ડિસેમ્બર ૯
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૯ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૪૬ - ભારતનું બંધારણ ઘડવા અર્થે , ભારતીય બંધારણ સભા (જે પ્રથમ ભારતીય સંસદ પણ હતી)ની પ્રથમ બેઠક મળી.
- ૧૯૬૧ - ટાંગાનીકા બ્રિટનથી સ્વતંત્ર થયું.
- ૧૯૬૬ - બાર્બાડોસ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જોડાયું.
- ૧૯૭૧ - સંયુક્ત આરબ અમિરાત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જોડાયું.
- ૧૯૭૧ - ભારત-પાક યુદ્ધ, ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાની રક્ષાપ્રણાલી ભેદી અને ભારતીય ભૂમિ સેનાની ટુકડીઓને ઉતારી (એરડ્રોપ કરી). (મેઘના નદીના પુલ પાસે)
- ૧૯૭૯ - શિતળાના વિષાણુઓનો જગતભરમાંથી નાશ કરી દેવાયાનું જાહેર કરાયું. શિતળાએ ત્યાર સુધીનો માનવજાતનો પ્રથમ રોગ હતો જેના પર સંપૂર્ણ કાબુ કરાયો હોય.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૪૬ - સોનિયા ગાંધી, ઈટલીમા જન્મેલ ભારતીય રાજકારણી.
- ૧૯૪૬ - શત્રુઘ્ન સિંહા, ભારતીય અભિનેતા.
- ૧૯૭૪ - રાહત ફતેહઅલી ખાન, પાકિસ્તાની ગાયક.
- ૧૯૮૧ - દીયા મિર્ઝા, ભારતીય અભિનેત્રી.
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર December 9 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |