મે ૨૬

વિકિપીડિયામાંથી

૨૬ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator) જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ.
  • ૧૯૦૯ – શિવનેરી કિલ્લાને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક જાહેર કરાયો.
  • ૧૯૨૮ – એથેન્સ, ગ્રીસમાં પ્રથમ ચલચિત્રની જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
  • ૧૯૬૯ – ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી 'એપોલો ૧૦' યાન પૃથ્વી પર પરત ફર્યું.
  • ૧૯૭૨ – યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયને એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૮૬ – યુરોપિયન સમુદાયે યુરોપિયન ધ્વજ અપનાવ્યો.
  • ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનના ત્રણ દિવસ પછી શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. નેપાળના પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટિ કરી.
  • ૨૦૧૪ - ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.
  • ૨૦૧૭ – ભારતના સૌથી લાંબા પુલ ભુપેન હજારિકા સેતુ (ઢોલા-સદિયા પુલ)નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૯૪ – અંબાલાલ પુરાણી, ભારતીય લેખક, શ્રી અરવિંદના શિષ્ય અને જીવનચરિત્રકાર (અ. ૧૯૬૫)
  • ૧૯૧૭ – હરિવલ્લભ ભાયાણી, સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક (અ. ૨૦૦૦)
  • ૧૯૩૦ – કરીમ ઇમામી, ભારતીય-ઈરાની કોષલેખક અને વિવેચક (અ. ૨૦૦૫)
  • ૧૯૩૭ – મનોરામા, દક્ષિણ ભારતીય અભિનેત્રી અને ગાયિકા (અ. ૨૦૧૫)
  • ૧૯૬૫ – રાજદીપ સરદેસાઈ, ભારતીય સમાચાર ઉદ્‌ઘોષક અને લેખક

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૦૮ – મિર્ઝા ગુલામ અહમદ, ભારતીય ધાર્મિક નેતા અને અહમદિયા ચળવળના સ્થાપક (જ. ૧૮૩૫)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]