રુકમણી દેવી મંદિર

વિકિપીડિયામાંથી
રુકમણી દેવી મંદિર

રુકમણી દેવી મંદિર ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકાથી, 2 kilometres (1.2 mi)ના અંતરે આવેલું શ્રીકૃષ્ણની મુખ્ય રાણી રુકમણીને સમર્પિત મંદિર છે. આ મંદિર ૨૫૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે, પરંતુ તેના હાલના બાંધકામ પરથી તે ૧૨મી સદીનું હોવાનું જણાય છે. આ મંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (ક્રમાંક N-GJ-128) છે.

વર્ણન[ફેરફાર કરો]

મંદિરમાં બાહ્ય દિવાલો પર દેવો અને દેવીઓના શિલ્પો કોતરેલા છે અને ગર્ભગૃહમાં રુકમણીની મૂર્તિ આવેલી છે. મંદિરના સ્તંભો પર માનવ આકૃત્તિઓ અને હાથીઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

દંતકથાઓ[ફેરફાર કરો]

રુકમણી અને તેમના પતિ કૃષ્ણના અલગ અને એકબીજાથી દૂર રહેલા મંદિરો માટેની રસપ્રદ દંતકથા છે. એવું કહેવાય છે દુર્વાસા ઋષિની વિનંતી પર કૃષ્ણ અને રુકમણી ભોજન માટે તેમને રથમાં જાતે ખેંચીને લઇ ગયા. માર્ગમાં જ્યારે રુકમણીને તરસ લાગી ત્યારે, કૃષ્ણએ પાણી માટે પોતાનો અંગૂઠો જમીન પર મૂકીને ગંગાનું અવતરણ કર્યું. રુકમણીએ તે પાણીથી પોતાની તરસ છીપાવી પરંતુ, પોતાને પાણી માટેનું ન પૂછતાં દુર્વાસાને અપમાન લાગ્યું અને તેમણે રુકમણીને તે તેના પતિથી અલગ રહેશે તેવો શ્રાપ આપ્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Jamnagar". Government of Gujarat Tourism. મૂળ માંથી 27 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 April 2015.