રુક્મિણી
રુક્મિણી | |
---|---|
અષ્ટાભાર્યાના સભ્ય | |
![]() 12મી-13મી સદીનું રુક્મિણીનું શિલ્પ | |
અન્ય નામો | શ્રીજી, વૈદર્ભી, ભાઇશ્મી, રખુમાઈ, દ્વારિકેશ્વરી, ચિર્યઉવાણા, લખુબાઈ |
દેવનાગરી | रूक्मिणी |
ધર્મ | વારકરી, હરિદાસ |
જોડાણો | દેવી, શ્રીદેવીનો અવતાર, અષ્ટભાર્યા |
રહેઠાણ | દ્વારકા, પંઢરપુર, વૈકુંઠ |
ગ્રંથો | વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, મહાભારત, હરિવંશ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ‚ બ્રહ્મ વૈવર્ત પુરાણ‚ ગર્ગ સંહિતા‚ ગરુડ પુરાણ, |
લિંગ | સ્ત્રી |
ઉત્સવો | રુક્મિણી અષ્ટમી, વસંતોત્સવ, અષાઢી એકાદશી |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | વિદર્ભ રાજ્ય |
દેહત્યાગ | દ્વારકા |
જીવનસાથી | કૃષ્ણ |
બાળકો |
|
માતા-પિતા |
|
સહોદર | રુક્મિ |
કુળ | ભોજ (જન્મે) યદુવંશ-ચંદ્રવંશ (લગ્ન) |


રુક્મિણી (સંસ્કૃત: रुक्मिणी) એક હિન્દુ દેવી છે અને કૃષ્ણની પ્રથમ રાણી છે.[૧][૨][૩] તેણીને કૃષ્ણની પત્નીઓમાં પ્રમુખ રાણી તરીકે વર્ણવવામાં આવી છે.[૪][૫][૬] રુક્મિણી લક્ષ્મીના અવતાર તરીકે પૂજનીય છે અને મુખ્યત્વે વારકરી,[૭] અને હરિદાસ પરંપરા,[સંદર્ભ આપો] તેમજ વૈષ્ણવ ધર્મમાં પણ પૂજનીય છે.[૮]
રુક્મિણી મુખ્યત્વે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં પૂજાય છે. મહારાષ્ટ્રના લોકો તેમને વિઠોબા (કૃષ્ણનું પ્રાદેશિક સ્વરૂપ) સાથે પૂજે છે અને તેણીને રખુમાઈ કહે છે.[૯] દક્ષિણ ભારતમાં તેણીની પૂજા કૃષ્ણ અને તેમની અન્ય પ્રાથમિક પત્ની સત્યભામા સાથે કરવામાં આવે છે. તેણીનો જન્મદિવસ દર વર્ષે રુક્મિણી અષ્ટમીના પ્રસંગે ઉજવવામાં આવે છે.[૧૦]
દંતકથા
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]મહાકાવ્ય મહાભારત અને અન્ય પૌરાણિક ગ્રંથો અનુસાર, રાજકુમારી રુક્મિણીનો જન્મ ભોજ વંશના વિદર્ભ રાજ્યના રાજા ભીષ્મકને ત્યાં થયો હતો.[૧૧] તેમને પાંચ મોટા ભાઈઓ હતા - રુક્મી, રુક્મરથ, રુક્મબાહુ, રુક્મકેશ અને રુક્મનેત્ર.[૧૨] વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ અને પદ્મ પુરાણ જેવા પુરાણોમાં તેમને ભગવાન વિષ્ણુની પત્ની દેવી લક્ષ્મીના અવતાર તરીકે બિરદાવવામાં આવ્યા છે.[૧૩]
કૃષ્ણ સાથે વિવાહ
[ફેરફાર કરો]
હરિવંશ પુરાણના ગ્રંથ અનુસાર, કૃષ્ણ સાથે પહેલી મુલાકાત થાય છે ત્યારે રુક્મિણીની ઉંમર સોળ વર્ષની હોવાનું વર્ણવવામાં આવ્યું છે, પરંતુ મૂળ સંસ્કૃત ગ્રંથમાં આ વાત જણાવવામાં આવી નથી. સ્કંદ પુરાણ અનુસાર રુક્મિણી જ્યારે કૃષ્ણ સાથે લગ્ન કર્યા ત્યારે તેમની ઉંમર આઠ વર્ષની હતી. તેના પિતાને એક સપનું આવ્યું હતું કે જ્યારે તેની પુત્રીનો જન્મ થયો ત્યારે તે ચાર ભુજા વાળી વ્યક્તિ સાથે લગ્ન કરશે જ્યારે રુક્મિણી આઠ વર્ષની હતી ત્યારે તેણે જાહેરાત કરી હતી કે તે લગ્ન માટે તૈયાર છે. તેણીના પિતા તેના લગ્ન ચેદીના યુવરાજ શિશુપાલ સાથે કરવાની તૈયારીમાં છે, પરંતુ રુક્મિણી શિશુપાલ સાથે લગ્ન કરવા માંગતી ન હતી, આ સમયે તેણીએ પોતાની મદદ માટે કૃષ્ણને માટે એક પત્ર લખ્યો હતો. આ સમય દરમિયાન જ કૃષ્ણ આવીને તેને ભગાડી જાય છે અને પછી તેની સાથે લગ્ન કરે છે.[૧૪][૧૫]
ભાગવત પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે રુક્મિણીએ એક વખત કૃષ્ણ અને તેના પરાક્રમી કાર્યો વિશે સાંભળ્યું હતું, જેમ કે જુલમી રાજા કંસની હત્યા કરવી, અને દુષ્ટ રાજા જરાસંધનો વિરોધ કરવો. તેણી તેના પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા કરી. રુક્મિણી કલ્યાણમનો પ્રસંગ અને રુક્મિણીની તેના ઇચ્છિત પતિ પ્રત્યેની ભક્તિ શુક મુનિએ રાજા પરીક્ષિતને સંભળાવી છે.[૧૨]
રુક્મિણીના માતા-પિતાએ આનંદ વ્યક્ત કર્યો અને તેમની પરવાનગી આપી, પરંતુ રુકમી - જે જરાસંધનો સાથી હતો - તેણે તેનો સખત વિરોધ કર્યો. તેના બદલે, તેણે એવો પ્રસ્તાવ મૂક્યો કે તે તેના મિત્ર શિશુપાલ સાથે લગ્ન કરે - જે ચેદી સામ્રાજ્યનો યુવરાજ છે અને કૃષ્ણનો એક પિતરાઈ છે.[૧૩][૧૬] ભીષ્મક સંમત થયા, અને વ્યથિત રુક્મિણીએ તરત જ એક વિશ્વાસુ બ્રાહ્મણને મોકલ્યો અને કૃષ્ણને સંદેશો આપવા કહ્યું.[૧૩] આ સંદેશમાં તેણે કૃષ્ણને પોતાના પ્રેમ વિશે લખ્યું હતું અને લગ્ન પહેલા જ્યારે તે દેવી અંબિકા (પાર્વતી)ના મંદિરે જાય ત્યારે તેનું અપહરણ કરવાનું કહ્યું હતું. કૃષ્ણને દ્વારકામાં સંદેશો મળ્યો એટલે તેમણે સંદેશવાહકને કહ્યું કે તે રુક્મિણીને જાણ કરે કે તેને તેનો પત્ર મળ્યો છે અને તે તેને પોતાની પત્ની બનાવવા આવશે. ત્યારબાદ કૃષ્ણ તરત જ પોતાના મોટાભાઈ બલરામ સાથે વિદર્ભ જવા રવાના થઈ ગયા.[૧૬][૧૭]
આ દરમિયાન વિદર્ભની રાજધાની કુંદિનામાં ભીષ્મકે રુક્મિણીના લગ્નની તૈયારી કરી લીધી હતી. આમંત્રિત રાજાઓની ભીડ જોઈને ચિંતિત થઈ ગઈ. તે વિચારતી હતી કે તેણે જે બ્રાહ્મણને મોકલ્યો હતો તે સલામત રીતે પહોંચ્યો હશે કે નહીં, અને શું ઈશ્વર તેને તેના પ્રયત્નોમાં મદદ કરશે. તેણીનો ચહેરો ફિક્કો પડી ગયો હતો અને તેણીએ પોતાની જાતને બાકીની દુનિયાથી અલિપ્ત રાખતાં તેના વિચારો વ્યથિત થઈ ગયા હતા. કૃષ્ણ હજી તેની સાથે લગ્ન કરવા માટે ન પહોંચ્યા તેનું દુઃખ એટલું બધું હતું કે તેણે ભોજન માટે ના પાડી દીધી, તેના પોપટને ગાવાની કે પોતાની વીણા વગાડવાની ના પાડી દીધી.[૧૮] શિશુપાલ, જરાસંધ સહિત તેના સાથીઓ સાથે આવી પહોંચ્યા હતા. કૃષ્ણ અને બલરામ પણ આવી પહોંચ્યા હતા અને ભીષ્મકએ તેમનું સ્વાગત કર્યું હતું. રાજમહેલમાં રુક્મિણીએ બધી જ આશા ગુમાવી દીધી હતી, પરંતુ સંદેશવાહકે આવીને જાણ કરી કે કૃષ્ણએ તેની વિનંતી સ્વીકારી લીધી છે. બીજા દિવસે તે મંદિરમાં અંબિકાને પ્રાર્થના કરવા ગઈ. જ્યારે તે લગ્નના સ્થળ તરફ આગળ વધી, ત્યારે તેણે કૃષ્ણને જોયો અને તેણે તરત જ તેને પોતાની સાથે પોતાના રથમાં બેસાડી દીધી. જરાસંધની બધી જ સેનાએ ઝડપથી તેમનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ બલરામ અને તેની સેનાએ તેમને પાછળ ખદેડી મૂક્યા હતા.[૧૯]
રુક્મીએ કૃષ્ણ અને રુક્મિણીનો પીછો કર્યો.[૨૦] તેમણે કૃષ્ણને લડાઈ માટે પડકાર ફેંક્યો હતો, પરંતુ તે કૃષ્ણ દ્વારા સરળતાથી પરાજિત થઈ ગયો હતો. રુક્મિણીએ કૃષ્ણને પોતાના ભાઈનો જીવ બચાવવા આજીજી કરી અને કૃષ્ણ સંમત થઈ ગયા. જો કે, સજાના ચિહ્ન તરીકે તેણે શિશુપાલના વાળ અને મૂછો મુંડાવી નાખી, અને તેને મુક્ત થવા દીધો. કૃષ્ણ અને રુક્મિણી દ્વારકા પહોંચ્યા, જ્યાં તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ લગ્ન પણ કરવામાં આવ્યા.
લગ્નજીવન અને સંતાનો
[ફેરફાર કરો]
કૃષ્ણએ બીજી ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હોવા છતાં, રુક્મિણી તેમની મુખ્ય પત્ની અને દ્વારકાની રાણી રહી.[૨૧] જ્યારે તેણીએ સંતાનની ઝંખના વ્યક્ત કરી ત્યારે કૃષ્ણ તેમના વાહન ગરુડ દ્વારા કૈલાસ પર્વત પર ગયા હતા, અને તેમની પત્નીની ઇચ્છા શિવ સમક્ષ વ્યક્ત કરી હતી. શિવે રુક્મિણીને કામદેવના નવા અવતારની વાહક બનવાનું વરદાન આપ્યું, જેને તેમણે અગાઉ પોતાની ત્રીજી આંખથી અગ્નિદાહ આપ્યો હતો. આ રીતે પ્રદ્યુમ્નનો જન્મ થયો.[૨૨] ઘણાં શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રુક્મિણી અને કૃષ્ણની અન્ય પત્નીઓ બહેનોની જેમ રહેતી હતી.
ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે રુક્મિણી અને કૃષ્ણને પ્રદ્યુમ્ન, ચારુદેશના, સુદેશના, ચારુદેહ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર, વિચારુ અને ચારુ એમ દસ પુત્રો હતા.[૨૩][૧૩][૨૪] હરિવંશમાં રુક્મિણીના પુત્રોમાં પ્રદ્યુમ્ન, ચારુદેશના, ચારુચંદ્ર, ચારુગર્ભ, સુદાંગસ્ત્ર, દ્રુવા, સુશેના, ચારુગુપ્ત, ચારુવન્દા અને છરુવાહુનો સમાવેશ થાય છે. મહાભારતના અનુશાસન પર્વમાં એક અલગ જ યાદી જોવા મળે છે, જ્યાં પ્રદ્યુમ્ન, ચારુદેશના, સુચારુ, ચારુવેસ, યસોધન, ચારુસર્વ, ચારુયસ અને શંભુ રુક્મિણીના પુત્રો છે.[૧૩][૨૫] વિષ્ણુ પુરાણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે રુક્મિણીને ચારુમતી નામની એક પુત્રી હતી.[૨૬][૨૭]
સુદામા સાથે મુલાકાત
[ફેરફાર કરો]ભાગવત પુરાણમાં રુક્મિણીના વિવાહિત જીવનનો વધુ એક જાણીતો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. કૃષ્ણના બાળપણના મિત્ર સુદામા જ્યારે દ્વારકાની મુલાકાતે આવ્યા ત્યારે રુક્મિણીએ સુદામાનું સ્વાગત કર્યું અને તેમને ભોજન કરાવ્યું. તેણીએ અને કૃષ્ણએ તેની લાંબી મુસાફરીમાંથી આરામ કરતી વખતે તેની સેવા કરી. આ પ્રકારની ભક્તિ રુક્મિણીની એક લાક્ષણિકતા છે, જે તેનું એક લક્ષણ પ્રચલિત છે.[૨૮]
દેહત્યાગ
[ફેરફાર કરો]જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો ત્યારે રુક્મિણી આ આઘાત સહન ન કરી શકી. કૃષ્ણના વિયોગમાં તેણે કૃષ્ણના મૃતદેહને સાથે લઈ ને અગ્નિપ્રવેશ કરી વૈકુંઠગમન કર્યું.
ભારતીય લોકસંસ્કૃતિમાં રુક્મિણી
[ફેરફાર કરો]આમ તો આખા ભારતમાં રુક્મિણી કૃષ્ણ સાથે પૂજાય છે પણ વારકરી સંપ્રદાય જેવા સંપ્રદાયોમાં રુક્મિણીને સર્વોચ્ય દેવી તરીકે પૂજવામાં આવે છે. આ સંપ્રદાય અને આખા મહારાષ્ટ્રમાં તેમની ભગવાન વિઠ્ઠલ (કૃષ્ણ) સાથે પૂજા કરવામાં આવે છે. આ સિવાય દક્ષિણ ભારતમાં રુક્મિણીને અનુલક્ષી ને સંપ્રદાય પણ અસ્તિત્વ ધરાવે છે જે રુક્મિણી સંપ્રદાય તરીકે ઓળખાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Balfour, Edward (1885). The Cyclopædia of India and of Eastern and Southern Asia: Commercial, Industrial and Scientific, Products of the Mineral, Vegetable, and Animal Kingdoms, Useful Arts and Manufactures (અંગ્રેજીમાં). B. Quaritch. પૃષ્ઠ 454.
- ↑ Select Specimens of the Theatre of the Hindus (અંગ્રેજીમાં). Parbury, Allen. 1835. પૃષ્ઠ 83.
The marriage was solemnized at Dwarakú, and Rukmini remained the chief of Krishna's wives
- ↑ Mitchell, John Murray (1885). Hinduism Past and Present: With an Account of Recent Hindu Reformers and a Brief Comparison Between Hinduism and Christianity (અંગ્રેજીમાં). Religious Tract Society. પૃષ્ઠ 117.
He had eight chief wives; the queen of all, Rukmini, had been betrothed to another, but on her marriage-day Krishna carried her off in a chariot and made her his own wife.
- ↑ "Rukmini, Rukmiṇī: 13 definitions". www.wisdomlib.org (અંગ્રેજીમાં). 2012-06-24. મેળવેલ 2022-08-06.
- ↑ Dasa, Gopiparanadhana (2002-01-01). Sri Brhad-bhagavatamrta: Volume One (અંગ્રેજીમાં). The Bhaktivedanta Book Trust. પૃષ્ઠ Verse 74. ISBN 978-91-7149-784-0.
- ↑ Bhandarkar, Ramkrishna Gopal (1987). Vaiṣṇavism, Ṡaivism and Minor Religious Systems (અંગ્રેજીમાં). Asian Educational Services. પૃષ્ઠ 21. ISBN 978-81-206-0122-2.
expressed a desire for as good a son as Rukmini, his chief consort, had.
- ↑ Iwao, Shima (June–September 1988). "The Vithoba Faith of Maharashtra: The Vithoba Temple of Pandharpur and Its Mythological Structure" (PDF). Japanese Journal of Religious Studies. Nanzan Institute for Religion and Culture. 15 (2–3): 183–197. ISSN 0304-1042. મૂળ (PDF) માંથી 2009-03-26 પર સંગ્રહિત.
- ↑ www.wisdomlib.org (2024-09-20). "Shri Rukmini-devi: Significance and symbolism". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2024-11-26.
- ↑ Bryant, Edwin Francis (2007). Krishna: A Sourcebook (અંગ્રેજીમાં). Oxford University Press. ISBN 978-0-19-803400-1.
- ↑ Melton, J. Gordon (2011-09-13). Religious Celebrations: An Encyclopedia of Holidays, Festivals, Solemn Observances, and Spiritual Commemorations [2 volumes]: An Encyclopedia of Holidays, Festivals, Solemn Observances, and Spiritual Commemorations (અંગ્રેજીમાં). ABC-CLIO. પૃષ્ઠ 755. ISBN 978-1-59884-206-7.
- ↑ Mani 1975, p. 138.
- ↑ ૧૨.૦ ૧૨.૧ Ayyar, P. V. Jagadisa (1982). South Indian Shrines: Illustrated (અંગ્રેજીમાં). Asian Educational Services. પૃષ્ઠ 29. ISBN 978-81-206-0151-2.
- ↑ ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ ૧૩.૩ ૧૩.૪ Mani, Vettam (1975). Puranic encyclopaedia : a comprehensive dictionary with special reference to the epic and Puranic literature. Robarts – University of Toronto. Delhi : Motilal Banarsidass. પૃષ્ઠ 657. ISBN 9780842608220.
- ↑ www.wisdomlib.org (2020-10-22). "The Greatness of Rukmiṇī Tīrtha [Chapter 142]". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2024-10-29.
- ↑ Harivamsha Purana (Supplement to Mahabharata). Gita Press. 2014. પૃષ્ઠ 1169.
- ↑ ૧૬.૦ ૧૬.૧ "CHAPTER FIFTY-TWO". vedabase.io (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-14.
- ↑ Ayyar, P. V. Jagadisa (1982). South Indian Shrines: Illustrated (અંગ્રેજીમાં). Asian Educational Services. પૃષ્ઠ 32. ISBN 978-81-206-0151-2.
- ↑ Ayyar, P. V. Jagadisa (1982). South Indian Shrines: Illustrated (અંગ્રેજીમાં). Asian Educational Services. પૃષ્ઠ 33. ISBN 978-81-206-0151-2.
- ↑ Pattanaik, Devdutt (2018-07-01). Shyam: An Illustrated Retelling of the Bhagavata (અંગ્રેજીમાં). Penguin Random House India Private Limited. ISBN 978-93-5305-100-6.
- ↑ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. 1884. પૃષ્ઠ 380–381.
- ↑ Books 8-12: Krishna, spirit of delight (અંગ્રેજીમાં). Vighneswara Publishing House. 1976. પૃષ્ઠ 740.
Rukmini : Chief consort of Krishna
- ↑ Mani, Vettam (2015-01-01). Puranic Encyclopedia: A Comprehensive Work with Special Reference to the Epic and Puranic Literature (અંગ્રેજીમાં). Motilal Banarsidass. પૃષ્ઠ 594. ISBN 978-81-208-0597-2.
- ↑ Gita Press Gorakhpur. Vishnu Puran (Hindiમાં). પૃષ્ઠ 389.CS1 maint: unrecognized language (link)
- ↑ Sinha, Purnendu Narayana (1950). A Study of the Bhagavata Purana: Or, Esoteric Hinduism (અંગ્રેજીમાં). Library of Alexandria. ISBN 978-1-4655-2506-2.
- ↑ "The Mahabharata, Book 13: Anusasana Parva: Anusasanika Parva: Section XIV". sacred-texts.com. મેળવેલ 2021-06-18.
- ↑ Dalal, Roshen (2010). Hinduism: An Alphabetical Guide (અંગ્રેજીમાં). Penguin Books India. ISBN 978-0-14-341421-6.
- ↑ Gita Press Gorakhpur. Vishnu Puran. પૃષ્ઠ 389.
- ↑ Mani 1975, p. 437.
ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]- Rajachudamani Dikshita; English introduction, P.P. Subramanya Sastry (1920). Rukmini Kalyanam (Sanskrit). Sri Vani Vilas Press, Srirangam.
- Iyer, Saiswaroopadate (2021). Rukmini — Krishna's Wife. Rupa. ISBN 9789390356089.