સપ્તપર્ણી
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
| સપ્તપર્ણી | |
|---|---|
| Indian Devil tree (Alstonia scholaris) | |
| પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
| વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
| Kingdom: | Plantae |
| (unranked): | Angiosperms |
| (unranked): | Eudicots |
| (unranked): | Asterids |
| Order: | Gentianales |
| Family: | Apocynaceae |
| Tribe: | Plumeriae |
| Subtribe: | Alstoniinae |
| Genus: | 'Alstonia' |
| Species: | ''A. scholaris'' |
| દ્વિનામી નામ | |
| Alstonia scholaris L. R. Br. | |


સપ્તપર્ણીનું વૃક્ષ બહુ મોટું થતું હોય છે. આ ઝાડને હિન્દી ભાષામાં સતવન પણ કહેવામાં આવે છે. લગભગ ઉદ્યાનો, રસ્તાઓ અને ઘરોની આસપાસ સુંદર સફેદ ફુલોવાળા મધ્યમ આકારનાં સપ્તપર્ણીનાં વૃક્ષ જોવા મળે છે. આ એક એવું વૃક્ષ છે જેનાં પાંદડા ચક્રાકાર સમૂહમાં સાત-સાતનાં ક્રમમાં લાગેલા હોય છે અને આ જ કારણથી તેને સપ્તપર્ણી કહેવામાં આવે છે. આનું વાનસ્પતિક નામ એલ્સટોનિયા સ્કોલારિસ છે. સુંદર ફૂલો અને તેની મોહક ગંધનાં કારણે જ આ ઉદ્યાનોમાં પણ જોવા મળે છે. આ ફૂલોને મહત્તમ રીતે મંદિરો અને પૂજા ઘરોમાં ભગવાનને અર્પણ પણ કરવામાં આવે છે. આદિવાસીઓ આ વૃક્ષની છાલ, પાંદડા અને પત્તા વિગેરેને અનેક હર્બલ નુસખા તરીકે અજમાવતા હોય છે. આવો જાણીએ કે સપ્તપર્ણીનાં ઔષધિય મહત્વનાં વિશે ખાસ ઉપયોગી માહિતી...
આધુનિક વિજ્ઞાન આ છાલથી પ્રાપ્ત ડિટેઇન અને ડિટેમિન જેવા રસાયણોને ક્વિનાઇનથી ઉચ્ચતમ માને છે. આદિવાસીઓનાં જણાવ્યા અનુસાર, આ વૃક્ષની છાલને સુકવીને ચૂર્ણ બનાવીને 2-3 ગ્રામ જો સેવન કરવામાં આવે, તો મેલેરિયાનાં તાવમાં ખુબ ઝડપથી ફાયદો થાય છે. મજાની વાત તો એ છે કે તેની અસર કંઇક આવી રીતે થાય છે કે શરીરમાં પરસેવો નથી થતો, જ્યારે ક્વિનાઇનની દવા લેવાથી પુષ્કળ પરસેવો થાય છે.