સ્વરૂપ રાણી નેહરુ
સ્વરૂપ રાણી નેહરુ | |
|---|---|
| જન્મની વિગત | ૧૮૬૮ લાહોર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત |
| મૃત્યુ | ૧૦ જાન્યુઆરી ૧૯૩૮ (ઉંમર 70) |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
| જીવનસાથી | મોતીલાલ નહેરૂ |
| સંતાનો | જવાહરલાલ નેહરુ વિજયાલક્ષ્મી પંડિત કૃષ્ણા હઠીસિંગ |
| કુટુંબ | નેહરુ–ગાંધી પરિવાર |
સ્વરૂપ રાણી નેહરુ (પૂર્વે: થુસુ, ૧૮૬૮ – ૧૦ જાન્યુઆરી ૧૯૩૮) ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના માતા અને બેરિસ્ટર અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા મોતીલાલ નહેરૂના પત્ની હતા. તેમણે ૧૯૨૦-૩૦ના દાયકામાં ભારતની સ્વતંત્રતા ચળવળમાં બ્રિટિશ રાજ અને તેના મીઠાના કાયદાઓ સામે સવિનય કાનૂનભંગના હિમાયતી તરીકે અગ્રણી ભૂમિકા ભજવી હતી અને મહિલાઓને મીઠું બનાવવા માટે પ્રોત્સાહિત કરી હતી.
કશ્મીરી પંડિત પરિવારમાં જન્મેલાં સ્વરૂપ રાણી બ્રિટિશ ભારતના લાહોરથી આવ્યા હતા. મોતીલાલ નેહરુની પ્રથમ પત્ની અને બાળકનું પ્રસૂતિમાં મૃત્યુ થતાં સ્વરૂપ રાણીએ તેમની સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો હતા; જવાહરલાલ, વિજયાલક્ષ્મી અને કૃષ્ણા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, સ્વરૂપ રાણીએ યુરોપિયન અને ભારતીય મહિલાઓના જૂથો સાથે સૈનિકો માટે ઊનના વસ્ત્રોને ગૂંથવામાં અને એકત્રિત કરવામાં મદદ કરી હતી.
સ્વરૂપ રાણી સંબંધી વૈભવ-વિલાસમાં ઉછર્યા હતા. તેઓ એક વિસ્તૃત પરિવાર સાથે ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં તે સમયે આનંદ ભવન તરીકે ઓળખાતા એક વિશાળ મકાનમાં રહેતા હતા. ૧૯૨૦માં, ગાંધીજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા અને અંગ્રેજો સાથે અસહકારની લડત અને અસ્પૃશ્યતા જેવા ભારતીય "સામાજિક અનિષ્ટો" સામેની લડત સાથેની તેમની બેવડી વ્યૂહરચનાએ સ્વરૂપ રાણીના ઘરની નૈતિકતા અને કાર્યપ્રણાલીમાં પરિવર્તન આણ્યું હતું.
તેમના પતિ અને પુત્ર બંનેએ તેમનો કાયદાનો વ્યવસાય છોડી સવિનય કાનૂનભંગની ચળવળ સાથે જોડાયા. ૧૯૩૦ના દાયકામાં, તેણીની બ્રિટીશ મીઠાના કાયદાનો ભંગ કરીને મહિલાઓ માટે મીઠું બનાવવાની હિમાયત કરવા માટે સક્રિય થયા હતા અને એક પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જમાં માર મારવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત થયાનો અનુભવ થયો હતો.
૧૯૩૮માં સ્વરૂપ રાનીનું અવસાન થયું હતું. અલ્હાબાદની 'સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલ'નું નામ તેમના સન્માનમાં રાખવામાં આવ્યું છે.
તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રથમ મહિલા પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિતના માતા હતા અને ભારતના એકમાત્ર મહિલા વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના દાદી હતા.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]
સ્વરૂપ રાની નહેરુનો જન્મ ૧૮૬૮માં થયો હતો અને તેઓ બ્રિટિશ ભારતના લાહોરથી આવ્યા હતા.[૧] તેમનો પરિવાર કાશ્મીરી બ્રાહ્મણ મૂળનો હતો.[૨] તેની આંખોનો રંગ બદામી હતો અને તેના વાળ કથ્થઈ રંગના હતા.[૩] તે પોતે અંગ્રેજી ભાષા સમજતા હતા, પરંતુ બોલી શકતા ન હતા.[૨]
તેઓ મોતીલાલ નેહરુના દ્વિતીય પત્ની હતા, જેમણે અગાઉ તરુણ વયે લગ્ન કર્યા હતા અને તેમની પ્રથમ પત્ની અને તેમનો પુત્ર બંને બાળકના જન્મ સમયે મૃત્યુ પામ્યા હતા. સ્વરૂપ રાણી અને મોતીલાલના લગ્ન પછી તરત જ તેમને પણ એક પુત્ર થયો જે બાળપણમાં જ મૃત્યુ પામ્યો હતો. એક દંતકથા અનુસાર તેમને એક યોગી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને ક્યારેય પુત્ર નહીં થાય, અને તે યોગીના મૃત્યુના દસ મહિના પછી, ૧૪ નવેમ્બર, ૧૮૮૯ ના રોજ, દંપતીને એક પુત્ર નામે જવાહરલાલ નહેરુનો જન્મ થયો હતો. જોકે, તેમના લગ્નના થોડા વર્ષો બાદ સ્વરૂપ રાણીની તબિયત લથડી હતી.[૪] જીવનભર, વારંવાર માંદગીના પુનરાવર્તન દરમિયાન,[૩] તેમની મોટી બહેન રાજવતીએ તેમની સંભાળ લીધી હતી.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The Nehru-Gandhi family tree". Msn.com. મેળવેલ 28 April 2019.
{{cite web}}: Check date values in:|accessdate=(મદદ) - 1 2 Thapar, Suruchi (1993). "The Nehru Women" (PDF). મૂળ (PDF) માંથી 9 ઑગસ્ટ 2017 પર સંગ્રહિત. મેળવેલ 16 August 2019.
{{cite news}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 Nanda, B. R. The Nehrus Motilal and Jawaharlal (1962). p.24-25
- ↑ Tharoor, Shashi Nehru (2003). Chapter 1. "With Little to Commend Me: 1889–1912. p.1-9
- ↑ Nanda, B. R. The Nehrus Motilal and Jawaharlal (1962). p.42