હસનપીર, દેલમાલ

વિકિપીડિયામાંથી

હસનપીરની દરગાહ હસનપીર નામના દાઉદી વોરા કોમના શહીદનો રોજો છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં આવેલો છે. સફેદ આરસથી બંધાયેલું આ સ્થાનક લગભગ ૬૦૦ વર્ષ જૂનું મનાય છે.

નજીકના સ્થળો[ફેરફાર કરો]

અહીંથી નજીકમાં સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામે પુષ્પાવતી નદીને કાંઠે એક ઓલિયાની દરગાહ મુસ્લિમોને માટે ઘણી શ્રદ્ધા છે, અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ પણ અહીં બાધા ઉતારવા આવે છે. ચાણસ્માથી લગભગ ૨૧ કિ.મી ના અંતરે દાઉદી વોરા કોમની બે જૂની દરગાહો છે, અહીં પણ સંખ્યાબંધ ભાવિકો આવે છે.[૧][મૃત કડી]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://www.vishvagujarativikas.com/muslim-religious-place/ મુસ્લિમ ધાર્મિક સ્થળો