લખાણ પર જાઓ

ઉનાવા

વિકિપીડિયામાંથી
ઉનાવા
—  ગામ  —
ઉનાવાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°48′13″N 72°23′53″E / 23.803571°N 72.397926°E / 23.803571; 72.397926
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો ઉંઝા
વસ્તી ૧૨,૯૦૧ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બેંક
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી, એરંડા, કપાસ

ઉનાવા ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું ગામ છે, જે મુસલમાનોનું પવિત્ર યાત્રાધામ છે જે મીરા દાતાર તરીકે જાણીતુ છે. ઉનાવામાં મુખ્યત્વે ઉનાવા ગામ ઉપરાંત આનંદપુરા, લક્ષ્મીપુરા અને પ્રતાપગઢ જેવા નાનાં-નાનાં પરાંઓનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ-પાલનપુર ધોરીમાર્ગ પર મહેસાણાથી ઊંઝા તરફ ૧૯ કિ.મી.ના અંતરે મુખ્ય રસ્તા પર ઉનાવા આવેલું છે. ઉનાવાની સૌથી નજીકનું વેપારી મથક ઊંઝા છે જે ફક્ત ૫ કિ.મી.ના અંતરે જ આવેલુ છે. ઉનાવામાં ખેત ઉત્પાદન સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે જે હાલમાં અગત્યના તમાકુ બજાર તરીકે ઉભરી આવ્યું છે.

ઉનાવા એક વિશાળ ગામ છે, જેમાં કુલ ૨૭૪૯ પરિવારો રહે છે. ઉનાવા ગામની વસ્તી ૧૨૯૦૧ છે, જેમાંથી ૬૭૦૧ પુરુષો અને ૬૨૦૦ સ્ત્રીઓ છે. ઉનાવા ગ્રામ વસ્તીમાં ૦-૬ વર્ષની વયના બાળકોની વસ્તી ૧૩૮૪ છે, જે ગામની કુલ વસ્તીના ૧૦.૭૩% જેટલી છે. ઉનાવા ગામનું સરેરાશ લિંગનું પ્રમાણ ૯૨૫ છે, જે ગુજરાત રાજ્યની સરેરાશ ૯૧૯ કરતાં ઊંચું છે. વસ્તી ગણતરી મુજબ ઉનાવા માટે બાળ જાતિ ગુણોત્તર ૭૭૨ છે, જે ગુજરાત સરેરાશ ૮૯૦ થી નીચો છે[].

ગુજરાતના સરેરાશની તુલનામાં ઉનાવા ગામનો સાક્ષરતા દર વધારે છે. ૨૦૧૧માં ઉનાવા ગામનો સાક્ષરતા દર ૯૧.૬૬% હતો જ્યારે ગુજરાતમાં સાક્ષરતાનું સરેરાશ પ્રમાણ ૭૮.૦૩% છે. ઉનાવામાં પુરુષની સાક્ષરતા ૯૫.૯૫% છે જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૮૭.૧૨% છે.

મીરા દાતાર

[ફેરફાર કરો]

ઉનાવા ગામમાં સુફી પીર સૈયદ અલી મીરા દાતારની દરગાહ આવેલી છે જે ઉનાવા શરિફના નામે મુસલમાનોમાં જાણીતી છે. મુસલમાનો એમ માને છે કે, મીરા દાતારમાં આવી ને તેમના પર થયેલા મેલીવિદ્યા, ભૂતપ્રેત, અજ્ઞાત બીમારી, વગેરેની અસર નાબુદ કરી શકાય છે અને માટે લોકો અહીં એ માટેની બાધાઓ રાખી ને આવે છે. ખાસ કરીને આસપાસના લોકો માનસિક બીમારી ધરાવતા દર્દીઓને અહીં લાવે છે અને તેમને સારું થાય છે એવી માન્યતા છે. હાલમાં મીરા દાતાર મુસ્લિમોનું યાત્રાનું ધામ છે. તેમની દરગાહ પાસે ૨૮મા મુહર્રમના રોજ આ પીરના માનમાં પ્રતિવર્ષ ઉર્સ ભરાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Unava Population - Mahesana, Gujarat". મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૬. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. દેસાઈ, મહેબૂબ (ફેબ્રુઆરી ૨૦૦૨). "મીરા દાતાર સૈયદઅલી". ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. મેળવેલ ૧૧ એપ્રિલ ૨૦૨૫. {{cite magazine}}: Check date values in: |access-date= (મદદ)