નિકોબાર ટાપુઓ
Geography | |
---|---|
Location | બંગાળની ખાડી |
Coordinates | 7°05′N 93°48′E / 7.083°N 93.800°E |
Archipelago | અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ |
Area | 1,841[૧] km2 (711 sq mi) |
Highest elevation | ૬૪૨ m (૨,૧૦૬ ft) |
Administration | |
ભારત | |
Demographics | |
Population | 36,842 |
Pop. density | ૨૦ /km૨ (૫૦ /sq mi) |
Additional information | |
Time zone | |
Official website | www.and.nic.in |
નિકોબાર ટાપુઓ પૂર્વી હિંદ મહાસાગરમાં એક ટાપુની સાંકળ છે. તે ભારતનો ભાગ છે.
નિકોબાર ટાપુઓમાં વિવિધ કદનાં ૨૨ ટાપુઓનો સમાવેશ થાય છે. તેમાં ગ્રેટ નિકોબાર સૌથી મોટો ટાપુ છે. આ ટાપુ-સાંકળનો કુલ જમીન વિસ્તાર ૧૮૪૧ ચો કિ.મી. છે. તેના પર આવેલ માઉન્ટ થુલીયર એ પર સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ ૬૪૨ મીટર છે. ૨૦૦૧માં ટાપુઓ પરની વસ્તી ૪૫,૦૨૬ હતી, જેમાંથી આશરે ૬૫% લોકો અહીંના મૂળ નિવાસીઓ છે. (નિકોબારી અને શોમ્પેન લોકોને ભારત અનુસૂચિત જનજાતિમાં નોંધાયેલા છે) તે સિવાય ૩૫% લોકો ભારત અને શ્રીલંકાથી સ્થળાંતર કરી આવ્યા છે.
નિકોબાર ટાપુઓ ભારતીય ઉપખંડની દક્ષિણ-પૂર્વ દિશામાં આવેલા છે. તે ભારતની મુખ્ય ભૂમીથી બંગાળની ખાડીમાં લગભગ ૧૩૦૦ કિમી દૂર અને આંદામાન ટાપુઓથી ૧૫૦ કિમી દૂર આવેલા છે. તે બે વચ્ચે ટેન ડિગ્રી ચેનલ આવેલી છે. ઈંડોનેશિયાના સુમાત્રાથી ટાપુ દક્ષિણપૂર્વ તરફ ૧૮૯ કિમી દૂર છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ બંગાળની ખાડી આંદામાન સમુદ્રથી અલગ કરે છે. ૨૦૦૪ના ની હિંદ મહાસાગરના ધરતીકંપ સુધી ગ્રેટ નિકોબારની દક્ષિણમાં આવેલો ઇન્દિરા પોઇન્ટ, ભારતીય ક્ષેત્રનો સૌથી દક્ષિણે આવેલો બિંદુ હતો.
આ ટાપુઓ ત્રણ જૂથમાં વિભાજીત છે. ઉત્તરી જૂથમાં કાર નિકોબાર (૧૨૭ ચો. કિ.મી.) અને નિર્વાસિત બત્તી માલવ (૨ ચો. કિ.મી.). મધ્ય જૂથમાં ચોરા (૮ ચો. કિ.મી.), ટેરેસા (૧૦૧ ચો.કિ.મી.), પોહહત (૧૩.૩ ચો.કિ.મી.), કચલ (૧૭૪ ચો. કિ.મી.), કેમોર્ટા (૧૮૮ ચો. કિ.મી.), નાન્કોવ્રી (૬૭ ચો. કિ.મી.) અને ટ્રિંકેટ (૮૬ ચો. કિ.મી.); આઇલ ઓફ મેન અને તિલંગચોંગ (૧૭ ચો. કિ.મી.) નિર્વાસિત છે. તિલંગચોંગ એક વન્યજીવન અભયારણ્ય છે. દક્ષિણ જૂથમાં ગ્રેટ નિકોબાર (૧૦૪૫ ચો. કિ.મી.), લિટલ નિકોબાર (૧૫૭ ચો. કિ.મી.), કુંડુલ (૪ ચો. કિ.મી.) અને પુલોમિલો (૧ ચો. કિ.મી.); મેરો, ટ્રાક, ટ્રેસ, મેન્ચેલ, ક્યુબ્રા, પીજીયન અને મેગાપોડના ટાપુઓ નિર્વાસિત છે. મેગાપોડ પણ એક વન્યજીવન અભયારણ્ય છે.
વહીવટી રીતે ટાપુઓ અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહનો ભાગ છે, જે ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની દક્ષિણ આંદામાન પર આવેલ નગર - પોર્ટ બ્લેયર છે. આ કેંદ્ર શાસિત પ્રદેશને બે જિલ્લાઓમાં વહેંચવામાં આવે છે, આંદામાન જિલ્લો અને નિકોબાર જિલ્લો (નિકોબાર જિલ્લો તેના બધા ટાપુઓને આવરી લે છે). ભારત સરકારે પરમિટ દ્વારા નિકોબારની પ્રવેશને નિયંત્રિત રાખ્યો છે અને સામાન્ય રીતે બિન-ભારતીય નાગરિકોને નિકોબાર ટાપુઓની મુલાકાત લેવાની પરવાનગી નથી.
યુનેસ્કો વડે ગ્રેટ નિકોબાર ટાપુને વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રીઝર્વ તરીકે જાહેર કર્યો છે.[૨]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Nicobar Islands. Encyclopedia Britannica.
- ↑ "Intangible Cultural Heritage Photo Gallery 2013". www.unesco.org. Retrieved 2019-01-19. Check date values in:
|accessdate=
(મદદ)