નિનાઈ ધોધ

વિકિપીડિયામાંથી
નિનાઈ ધોધ
નિનાઈ ધોધ is located in ગુજરાત
નિનાઈ ધોધ
નિનાઈ ધોધ
સ્થાનસગાઈ, નર્મદા જિલ્લો, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ21°40′0″N 73°49′20″E / 21.66667°N 73.82222°E / 21.66667; 73.82222
કુલ ઉંચાઇ30 feet (9.1 m)
નદીનર્મદા નદીની ઉપશાખા

નિનાઈ (હિંદી: नीनाई; અંગ્રેજી: Ninai Fallsધોધ ભારત દેશના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આવેલા ડેડિયાપાડા તાલુકામાં આવેલ છે.

ભૂગોળ[ફેરફાર કરો]

શીશા ગામ નજીક આવેલ નિનાઈ ધોધ ખાતે રાજ્ય ધોરી માર્ગ નં. ૧૬૩ પર ડેડિયાપાડા-માલસામોટ વચ્ચે આવેલ કોકટી ગામથી ચાર કિલોમીટર જેટલા કાચા માર્ગ દ્વારા પહોંચી શકાય છે. આ સ્થળ ડેડિયાપાડા થી આશરે ૩૫ કિલોમીટર જેટલા અંતરે તેમ જ સુરત થી આશરે ૧૪૩ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ ૧૨૫ કિલોમીટર જેટલું દૂર છે અને નજીકનું વિમાનમથક સુરત ખાતે આવેલ છે. [૧][૨]

ધોધ[ફેરફાર કરો]

નિનાઈ ધોધ ૩૦ ફુટ કરતાં વધુ ઊંચાઈ પરથી પડે છે.

ભૌગોલિક મહત્વ[ફેરફાર કરો]

નિનાઈ ધોધની આસપાસ અત્યંત સુંદર દૃશ્ય જોવા મળે છે[૩]. આ સ્થળ ડેડીયાપાડાના રમણીય જંગલોમાં શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યના સુરક્ષિત વિસ્તારમાં આવે છે.

પર્યાવરણીય પ્રવાસન યોજના[ફેરફાર કરો]

નર્મદા જિલ્લાના સમાહર્તા કાર્યાલય (કલેક્ટર ઓફિસ) તરફથી સરદાર સરોવર બંધ અને તેની આસપાસના આદિવાસી પ્રદેશમાં જોવાલાયક સ્થળોને પર્યાવરણીય પ્રવાસન સ્થંળો તરીકે પ્રસિદ્ધ કરવાની યોજના દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનામાં નિનાઈ ધોધ અથવા નિનાઈઘાટનો પણ સમાવેશ થાય છે.[૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Gujarat Tourism". મૂળ માંથી 2011-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-06.
  2. "Baroda Tourism". મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-06.
  3. "ગુજરાતમાં એક દિવસ ફરવાની મઝા માણવી હોય તો આ છે ઉત્તમ ધોધ". સંદેશ સમાચારપત્ર. ૨૬ ઓગસ્ટ ૨૦૧૬. મેળવેલ ૫ જુન ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
  4. "Eco Tourism". મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-06.