લખાણ પર જાઓ

પ્રાંતિજ

વિકિપીડિયામાંથી
પ્રાંતિજ
—  નગર  —
પ્રાંતિજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°26′18″N 72°51′26″E / 23.43842°N 72.85718°E / 23.43842; 72.85718
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
વસ્તી ૨૨,૩૦૬ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
૧૮૭૭ના અમદાવાદ જિલ્લાના નકશામાં પ્રાંતિજ

પ્રાંતિજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

પ્રાંતિજ નગર ભૌગોલિક રીતે [http:https://geohack.toolforge.org/geohack.php?pagename=%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%9C&params=23.43842_N_72.85718_E_source:itwiki_region:IN ૨૩.૪૩૮૪૨° N ૭૨.૮૫૭૧૮° E][]. પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઉંચાઇ ૯૯ મીટર (૩૨૮ ફૂટ) જેટલી છે.

૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે[] પ્રાંતિજની વસતી ૨૨,૩૦૬ વ્યક્તિઓની હતી. જેમાં પુરુષો ૫૨% અને સ્ત્રીઓ ૪૮% હતી. પ્રાંતિજની સરેરાશ સાક્ષરતા ૭૦% હતી જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતાં વધુ હતી. પુરુષોમાં સાક્ષરતા દર ૭૭% અને સ્ત્રીઓમાં ૬૨% હતો. વસતીના ૧૨% વ્યક્તિઓની ઉંમર ૬ વર્ષ કરતાં ઓછી હતી.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

પ્રાંતિજ ખાતે મારકન્ડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર વર્ષે ગોકુળ અષ્ટમીના દિવસે મેળો ભરાય છે. આ ઉપરાંત અહીં અન્ય પવિત્ર સ્થળો સ્વામીનારાયણ મંદિર, વૈષ્ણવ સંપ્રદાયનું શેઠજીનું મંદિર, હરિહરેશ્વર મહાદેવ, જબેશ્વર મહાદેવ, બ્રહ્માણી માતા, જુમ્મા મસ્જીદ તેમ જ નગીના મસ્જીદ પણ આવેલાં છે.

પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજ અને સલાલ ખાતે પાવર સ્ટેશન આવેલાં છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Falling Rain Genomics, Inc - Parantij
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)