માઝમ બંધ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
માઝમ બંધ ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં મોડાસાથી ૯ કિમીના અંતરે મોડાસા તાલુકાના વોલવા ગામ નજીક વાત્રક નદીની ઉપનદીઓ પૈકીની મુખ્ય એવી માઝમ નદી પર આવેલો છે.
આ બંધનો મુખ્ય હેતુ સિંચાઇ છે. આ બંધમાંથી નીકળતી નહેરની લંબાઈ ૧૨.૦૬ કિલોમીટર જેટલી છે, જેની જળવહન ક્ષમતા ૩.૫૦ ઘન મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે. આ નહેર વડે એકંદરે ૮૦૦૦ હેક્ટરમાં સિંચાઇ કરી શકાય છે. આ બંધની મહત્તમ ઊંચાઇ ૨૮.૭૫ મીટર જેટલી અને બંધની કુલ લંબાઇ ૨૪૦૨ મીટર જેટલી છે. આ બંધના નિર્માણમાં કોંક્રીટ ૦.૦૨૯ મિલિયન ઘન મીટર, ચણતર કામ ૦.૦૭૭ મિલિયન ઘન મીટર તેમ જ માટીકામ ૧.૮૧ મિલિયન ઘન મીટર જેટલું કરવામાં આવેલ છે. આ બંધમાં રેડિયલ પ્રકારના ૯.૧૫ મીટર x ૬.૧ મીટર કદના કુલ નવ દરવાજા લગાવવામાં આવેલ છે.[૧]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "માઝમ જળાશય યોજના". નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (જળ સંપત્તિ વિભાગ). Retrieved ૧૯ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |