વેદ
| વેદ | |
|---|---|
ઋગ્વેદની એક પ્રાચીન હસ્તપ્રત | |
| માહિતી | |
| ધર્મ | હિંદુ ધર્મ |
| લેખક | - |
| ભાષા | સંસ્કૃત |
|
હિંદુ ધર્મને લગતો લેખ |
|---|
|
Practices
|
|
|
વેદ સનાતન ધર્મ અથવા હિંદુ ધર્મના પ્રાચીનતમ અને આધારભૂત ધર્મગ્રંથો છે. વેદ વિશ્વનું સૌથી પ્રાચીન સાહિત્ય પણ માનવામાં આવે છે. ભારતીય દર્શનમાં વેદને જનક, પ્રેરક અને પ્રમાણભૂત તરીકેનું કેન્દ્રીય સ્થાન પ્રાપ્ત છે. 'વેદ' શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ 'વિદ્' પરથી થયેલી છે, જેનો અર્થ 'જાણવું' અર્થાત જ્ઞાન થાય છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને શ્રુતિ (સાંભળવું) પણ કહેવામાં આવે છે.[૧]
વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાળ વિશે વિભિન્ન મત છે. વેદની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાની માનવામાં આવે છે. અત્યાર સુધીમાં મળી આવેલી હસ્તપ્રતોને આધારે ઋગ્વેદનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) મનાય છે, જ્યારે બાકીના અન્ય વેદ, સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક તેમજ ઉપનિષદોનો રચનાકાળ ઉત્તર વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦) માનવામાં આવે છે.[૨]
આજે 'ચતુર્વેદ' તરીકે ઓળખાતા આ ગ્રંથોનું વિવરણ નીચે મુજબ છે:


- ઋગ્વેદ - ચાર વેદોમાં ઋગ્વેદ વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ છે અને તેથી તેને માનવતાનો પ્રથમ દસ્તાવેજ પણ કહેવામાં આવે છે. ઋગ્વેદમાં ૧૦૨૮ સૂક્તો (ભજન) અને ૧૦,૫૮૦ ઋચાઓ (છંદ) છે. તે ૧૦ મંડળોમાં વિભાજિત છે. બીજાથી સાતમા મંડળને 'ગોત્ર/વંશ મંડળ' કહેવામાં આવે છે. ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્ર છે અને દસમા મંડળમાં પુરુષસૂક્ત છે, જે ચાર વર્ણો (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર) ની વ્યાખ્યા કરે છે. પહેલું અને દસમું મંડળ સૌથી છેલ્લે જોડવામાં આવ્યું હતું.
- યજુર્વેદ - તેમાં યજ્ઞ (સમર્પણ) અને ક્રિયાકાંડની પ્રક્રિયા માટે ૧૯૭૫ ગદ્યાત્મક મંત્રો છે. તે બે ભાગમાં વહેંચાયેલું છે: કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ.
- સામવેદ - આ વેદનો મુખ્ય વિષય ઉપાસના છે. સંગીત અને સૂરો સાથે ગાવા માટે ૧૮૭૫ સંગીતમય મંત્રો તેમાં છે. તે ભારતીય સંગીતનો આધાર માનવામાં આવે છે.
- અથર્વવેદ - તેમાં ગુણ, ધર્મ, આરોગ્ય અને યજ્ઞ માટે ૫૯૭૭ કવિતામય મંત્રો છે.
ઉત્પત્તિ અને મહત્વ
[ફેરફાર કરો]ચારેય વેદોનો સંબંધ યજ્ઞ સાથે છે. યજ્ઞના અનુષ્ઠાન માટે ચાર પ્રકારના ઋત્વિજો (પુરોહિતો)ની આવશ્યકતા હોય છે:
- હોતા (ઋગ્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરનાર)
- ઉદ્ગાતા (સામવેદના મંત્રોનું ગાન કરનાર)
- અધ્વર્યુ (યજુર્વેદ પ્રમાણે યજ્ઞકર્મ કરનાર)
- બ્રહ્મા (અથર્વવેદના જ્ઞાતા અને યજ્ઞના નિરીક્ષક)
વેદોને અપૌરુષેય (જેની રચના કોઈ પુરુષ કે મનુષ્ય દ્વારા ન થઈ હોય, અર્થાત ઈશ્વરકૃત) માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ જ્ઞાન વિરાટપુરુષ અથવા કારણબ્રહ્મ પાસેથી શ્રુતિ પરંપરાના માધ્યમથી સૃષ્ટિકર્તા બ્રહ્માજીએ પ્રાપ્ત કર્યું હતું. એવી પણ એક માન્યતા છે કે પરમાત્માએ સૌથી પહેલા ચાર મહર્ષિઓ - અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગિરા - ના આત્માઓમાં ક્રમશઃ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનું જ્ઞાન પ્રગટ કર્યું. ત્યારબાદ તે ઋષિઓએ આ જ્ઞાન બ્રહ્માને આપ્યું.
વૈદિક સાહિત્યનું વર્ગીકરણ
[ફેરફાર કરો]વેદ મંત્રોની વ્યાખ્યા કરવા માટે અનેક ગ્રંથો જેમ કે બ્રાહ્મણ-ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદોની રચના કરવામાં આવી. આમાં પ્રયોજાયેલી ભાષા વૈદિક સંસ્કૃત કહેવાય છે, જે લૌકિક સંસ્કૃત કરતા થોડી અલગ છે. ઐતિહાસિક રૂપથી પ્રાચીન ભારત અને હિંદ-આર્ય જાતિ વિશે વેદોને એક સારો સંદર્ભ સ્ત્રોત માનવામાં આવે છે. વેદોને સમજવા માટે પ્રાચીન કાળથી જ ભારતીય અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં પ્રયાસો થતા રહ્યા છે. વેદના ગૂઢ અર્થો, કર્મકાંડ અને ક્રિયાઓને વ્યવસ્થિત સમજવા માટે વિશાળ સાહિત્યની રચના કરવામાં આવી છે.
વેદ તથા વેદ સંબંધિત સાહિત્યને 'વૈદિક સાહિત્ય' કહે છે, જેને મુખ્યત્વે સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે:
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ અગ્નિહોત્રી, ડૉ. વી.કે. (2009). ભારતીય ઇતિહાસ (14th આવૃત્તિ). નવી દિલ્હી: એલાઈડ પબ્લિશર્સ પ્રાઈવેટ લિમિટેડ. p. 108-109. ISBN 978-81-8424-413-7.
- ↑ ઝા, ડૉ. દ્વિજેન્દ્રનારાયણ (2009). પ્રાચીન ભારતનો ઇતિહાસ (30th આવૃત્તિ). નવી દિલ્હી: દિલ્હી વિશ્વવિદ્યાલય. p. 113-139.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |

