સત્ય

વિકિપીડિયામાંથી

સત્ય એટલે સાચી હકીકત.

સત્યમેવ જયતે[ફેરફાર કરો]

ભારત દેશની ન્યાય આપવાનું કાર્ય કરતી બધી જ અદાલતો પર સત્યમેવ જયતેનું સુત્ર લખાયેલું જોવા મળે છે. આ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલ વાક્યનો અર્થ એવો થાય છે કે, સત્યનો હંમેશાં વિજય થાય છે. આ ઉક્તિ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવી છે.[૧] આથી પ્રાચીન કાળથી જ ભારતીય ઉપખંડમાં સત્યનો મોટો મહિમા છે તેવું જણાઇ આવે છે. હિંદુ ધર્મના મહત્વના પ્રાચીન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ સત્યનો મહિમા ગવાયો છે.

सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् सत्यस्य परमं निधानम् ॥

મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે સત્યાગ્રહ અને અહિંસાના માર્ગ પર ચાલીને આઝાદી મેળવી હતી. ગાંધીજીએ સત્યના પ્રયોગો નામનું આત્મકથાત્મક પુસ્તક પણ લખ્યું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Mundaka Upanishad". IIT Kanpur. મૂળ માંથી 2020-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2020-06-04.