અહિંસા

વિકિપીડિયામાંથી

અહિંસા શબ્દનો સામાન્ય અર્થ છે 'હિંસા ન કરવી'. એનો વ્યાપક અર્થ છે - કોઈપણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું. મનમાં કોઈકનું અહિત ન વિચારવું, કોઈને કટુવાણી વગેરે દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી પણ કોઈપણ સ્થિતિમાં, કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી, તે અહિંસા છે. હિંદુ ધર્મમાં અહિંસાનું ખુબજ મહત્વ છે. અહિંસા પરમો ધર્મ: (અહિંસા પરમ(સૌથી મોટો) ધર્મ કહેવાયેલ છે. આધુનિક કાળમાં મહાત્મા ગાંધીએ ભારત દેશની આઝાદી મેળવવા માટે જે આંદોલન ચલાવ્યું હતું તે ઘણી રીતે અહિંસાત્મક હતું.

હિંદુ શાસ્ત્રોમાં અહિંસા[ફેરફાર કરો]

હિંદૂ શાસ્ત્રોની માન્યતા પ્રમાણે "અહિંસા"નો અર્થ છે સર્વદા તથા સર્વથા તથા(મનસા, વાચા અને કર્મણા) સૌ પ્રાણીઓ સાથે દ્રોહ ન હોવો (અંહિસા સર્વથા સર્વદા સર્વભૂતાનામનભિદ્રોહ: - વ્યાસભાષ્ય, યોગસૂત્ર ૨;૩૦). અહિંસાની અંદર આ પ્રકારે સર્વકાળમાં કેવળ કર્મ અથવા વચનથી જ સહુ જીવોની સાથે દ્રોહ ન કરવાની વાત સમાવિષ્ટ નથી હોતી, પ્રત્યુત મન દ્વારા પણ દ્રોહના અભાવનો સંબંધ રહેલો છે. યોગશાસ્ત્રમાં નિર્દિષ્ટ યમ તથા નિયમ અહિંસામૂલક જ માનવામાં આવે છે. જો એના દ્વારા કોઈપણ પ્રકારની હિંસાવૃત્તિનો ઉદય થતો હોય તો સાધનાની સિદ્ધિમાં ઉપાદેય તથા ઉપકાર માનવામાં આવતા નથી. "સત્ય"નો મહિમા તથા શ્રેષ્ઠતા સર્વત્ર પ્રતિપાદિત કરવામાં આવેલો છે, પરંતુ જો ક્યાંય અહિંસા સાથે સત્યનો સંઘર્ષ થાય ત્યારે ત્યાં સત્યને વસ્તુત: સત્ય નહીં પણ સત્યાભાસ જ માનવામાં આવે છે. કોઈ વસ્તુ જેવી જોવામાં આવી હોય તથા જેવી અનુમિત હોય તેનું તેવાજ રૂપમાં વચન દ્વારા પ્રગટ કરવાને તથા મન દ્વારા સંકલ્પ કરવાને "સત્ય" કહેવામાં આવે છે, પરંતુ તે વાણી પણ બધા ભૂતોના ઉપકાર માટે પ્રવૃત્ત હોય છે, ભૂતોના ઉપઘાત માટે નહીં. આ પ્રકારે સત્યની પણ કસોટી અહિંસા જ છે. આ પ્રસંગમાં વાચસ્પતિ મિશ્રાએ "સત્યતપા" નામક તપસ્વીનાં સત્યવચનને પણ સત્યાભાસ જ માન્યાં હતાં, કેમ કે એમણે ચોરો દ્વારા પૃચ્છા કરવામાં આવતાં તે માર્ગથી જવા વાળા સાર્થ (વ્યાપારીઓનો સમૂહ)નો સાચો પરિચય આપ્યો હતો. હિંદુ શાસ્ત્રોમાં અહિંસા, સત્ય, અસ્તેય (ન ચોરવું), બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ, એમ પાંચેય યમ ને જાતિ, દેશ, કાળ તથા સમય વડે અનવચ્છિન્ન હોવાને કારણે સમભાવેન સાર્વભૌમ તથા મહાવ્રત કહેવામાં આવ્યાં છે, (યોગવૂત્ર ૨;૩૧) અને એમાં પણ, સહુનો આધાર મળવાથી, "અહિંસા"ને જ સૌથી અધિક મહાવ્રત કહી શકાય તેમ યોગ્યલાગે છે.

અહિંસા પર જૈન દૃષ્ટિ[ફેરફાર કરો]

જૈન દૃષ્ટિ અનુસાર બધા જીવો પ્રત્યે સંયમપૂર્ણ વ્યવહાર અહિંસા છે.અહિંસાનો શબ્દાનુસારી અર્થ છે, હિંસા ન કરવી. આનો પારિભાષિક અર્થ વિધ્યાત્મક અને નિષેધાત્મક બંને છે. દ્વેષાત્મક પ્રવૃત્તિ ન કરવી, પ્રાણવધ ન કરવો અથવા પ્રવૃત્તિ માત્રનો વિરોધ ના કરવો એ નિષેધાત્મક અહિંસા છે. સત્પ્રવૃત્તિ, સ્વાધ્યાય, અધ્યાત્મસેવ, ઉપદેશ, જ્ઞાનચર્ચા આદિ આત્મહિતકારી વ્યવહાર વિધ્યાત્મક અહિંસા છે. સંયમી દ્વારા પણ અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય છે, તે પણ નિષેધાત્મક અહિંસા હિંસા નથી. નિષેધાત્મક અહિંસામાં કેવળ્ હિંસા વર્જિત હોય છે, વિધ્યાત્મક અહિંસામાં સત્ક્રિયાત્મક સક્રિયતા હોય છે. આ સ્થૂળ દૃષ્ટિનો નિર્ણય છે. ઊંડાણમાં પહોચતા તથ્ય કૈક બીજું જ મળે છે. નિષેધ માં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ માં નિષેધ હોય જ છે. નિષેધાત્મક અહિંસામાં સત્પ્રવૃત્તિ અને સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસાનો નિષેધ હોય છે. હિંસા ના કરવા વાળો જો આંતરિક પ્રવૃત્તિ ને જો શુદ્ધ ના કરે તો તે પણ અહિંસા નથી. એટલે નિષેધાત્મક અહિંસા માં સ ત્પ્રવૃતીની આશા રહે છે, તે બાહ્ય હોય કે આઁતરિક, સ્થૂળ હોય કે સૂક્ષ્મ. સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસા નો નિષેધ હોવો આવશ્યક છે. આના વિના કોઈ પ્રવૃત્તિ સત્ કે અહિંસક ના થઇ શકે, આ નિશ્ચય દૃષ્ટિની વાત છે. વ્યવહારમાં નિષેધાત્મક અહિંસા ને નિષ્ક્રિય અહિંસા અને વિધ્યાત્મક અહિંસા ને સક્રિય અહિંસા કહેવાય છે.

જૈન ગ્રંથ આચારાંગસૂત્રમાં, જેનો સમય સંભવત: ત્રીજી ચોથી શતાબ્દી ઈ. પૂ. છે, અહિંસાનો ઉપદેશ આ પ્રકારે આપ્યો છે : ભૂત, ભાવી અને વર્તમાનના અર્હત આ જ કહે છે- કોઈ પણ જીવિત પ્રાણીને, કોઈ પણ જંતુને, કોઈ પણ વસ્તુ કે જેમાં આત્મા છે એને ના મારો, ના અનુચિત વ્યવહાર કરો, ન અપમાનિત કરો, ન કષ્ટ આપો અને ના હેરાન કરો.

પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આ બધા અલગ જીવ છે. દરેક માં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ ધારક અલગ અલગ જીવ છે. ઉપર્યુકત સ્થાવર જીવો ઉપરાંત અન્ય ન્નસ (જંગમ) પ્રાણી છે કે જેમના માં હરવા ફરવા નું સામર્થ્ય છે. આ જ જીવોના ૬ વર્ગ છે. આના સિવાય દુનિયા માં કોઈ જીવ નથી. જગત માં કોઈ જીવ ન્નસ (જંગમ) છે અને કોઈ સ્થાવર. એક પર્યાય માં હોવું કે બીજા માં એ કર્મો ની વિચિત્રતા છે. પોતપોતાની કમાણી છે, જેનાથી જીવ ન્નસ (જંગમ) કે સ્થાવર હોય છે. એક જીવ જો એક જન્મ માં ન્નસ (જંગમ) હોય તો બીજા જન્મ માં સ્થાવર હોઈ શકે છે. ન્નસ (જંગમ) હોય કે સ્થાવર બધા જીવોને દુખ અપ્રિય હોય છે. આ સમજી ને મુમુક્ષ બધા જીવો પ્રતિ અહિંસા ભાવ રાખે.

બધા જીવવા માંગે છે, મારવા કોઇ નથી માંગતું. તેથી જ નિર્ગ્રંથ પ્રાણિવધ ની મનાઈ કરે છે. બધા પ્રાણીઓ ને પોતાની આયુ પ્રિય છે, સુખ અનુકુળ છે, દુખ પ્રતિકુળ છે. જે વ્યક્તિ લીલી વનસ્પતિ નું છેદન કરે છે તે પોતાના આત્મા ને દંડ દેવાવાળો છે. તે બીજા પ્રાણીઓ ની હત્યા કરીને પોતાના આત્માની જ હત્યા કરે છે.

આત્મા ની અશુદ્ધિ માત્ર હિંસા છે. આ બાબત નું સમર્થન કરતા આચાર્ય અમૃત્ચંદ્ર એ લખ્યું છે: અસત્ય વગેરે વિકાર આત્મપરિણતિ ને બગાડે એવું છે, તેથી તે બધી હિંસા છે. અસત્ય વગેરે જે દોષ બતાવ્યા છે તે કેવળ "શિષ્યાબોધાય" છે. સંક્ષેપ માં રાગદ્વેષનો અપ્રાદુર્ભાવ અહિંસા અને તેનો પ્રાદુર્ભાવ હિંસા છે. રાગદ્વેષરહિત પ્રવૃત્તિ થી અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય તો પણ નૈશ્ચયિક હિંસા ગણાતી નથી. જે રાગદ્વેષની પ્રવૃત્તિ કરે છે તે પોતાના સાતમાં નો જ ઘાત કરે છે, પછી તે બીજા જીવો નો ઘાત કરે કે ના કરે. હિંસાનો વિરોધ ના કરવો તે પણ હિંસા છે અને હિંસા માં પરિણત થવું પણ હિંસા છે. તેથી જ જ્યાં રાગદ્વેષ ની પ્રવૃત્તિ છે ત્યાં નિરંતર પ્રાણવધ થાય છે.

અહિંસાની ભુમિકાઓ[ફેરફાર કરો]

હિંસા થી માત્ર પાપ નુ કર્મ જ બંધાય્ છે આ દૃષ્ટિ એ હિંસાનો કોઇ પ્રકાર નથી હોતો. પરંતુ હિંસા ના કારણ અલગ્ હોય્ છે, તેથી કારણ ની દ્રષ્ટિ એ તેના પ્રકાર પણ અનેક થઇ જાય છે. કોઈ જાણી જોઇને હિંસા કરતા નથી, તો કોઈ અજાણતા માં પાના હિંસા કરી નાખે છે. કોઈ પ્રયોજન થી કરે છે તો કોઈ પ્રયોજન વગર.

સૂત્રકૃતાંગમાં હિંસા ના પાંચ સમાધાન બતાવ્યા છે : (૧) અર્થદંડ, (૨) અનર્થદંડ, (૩) હિંસાદંડ, (૪) અકસ્માદ્દંડ, (૫) દૃષ્ટિવિપર્યાસદંડ.અહિંસા આત્મા ની પૂર્ણ વિશુદ્ધ દશા છે. તે એક અને અખંડ છે, પરંતુ મોહ ને કારણ તે ઢંકાઈ જાય છે. મોહ નો જેટલો નાશ થાય એટલો જ વિકાસ થાય. તેથી મોહવિલય કે તારતમ્ય પર એના બે રૂપ નિશ્ચિત કર્યા છે. (૧) અહિંસા મહાવ્રત, (૨) અહિંસા અણુવ્રત. આમાં સ્વરૂપભેદ નથી, માત્ર (પરિણામ) નો ભેદ છે.

મુની ની અહિંસા પૂર્ણ છે. આ સ્થિતિ માં શ્રાવકની અહિંસા અપૂર્ણ છે. મુનિ ની જેમ શ્રાવક બધા પ્રકાર ની હિંસા થી મુક્ત રહી શકતો નથી. મુનિ ના પ્રમાણમાં શ્રાવકની અહિંસા નું પરિમાણ બહુ ઓછું છે.ઉદાહરણ : મુનિની અહિંસા 20 બિસ્વા છે તો શ્રાવકની અહિંસા સવા બિસ્વા છે.(પૂર્ણ અહિંસા કે અંધ બીસ હૈં, ઉનમેં સે શ્રાવક કી અહિંસા કા સવા અંશ હૈ૤) ઇસકા કારણ યહ હૈ કિ શ્રાવક 19 જીવોં કી હિંસા કો છોડ઼ સકતા હૈ, વાદર સ્થાવર જીવોં કી હિંસા કો નહીં૤ ઇસસે ઉસકી અહિંસા કા પરિમાણ આધા રહ જાતા હૈ-દસ બિસ્વા રહ જાતા હૈ૤ ઇસમેં ભી શ્રાવક ઉન્નીસ જીવોં કી હિંસા કા સંકલ્પપૂર્વક ત્યાગ કરતા હૈ, આરંભજા હિંસા કા નહીં૤ અત: ઉસકા પરિમાણ ઉસમેં ભી આધા અર્થાત્ પાઁચ બિસ્વા રહ જાતા હૈ૤ સંકલ્પપૂર્વક હિંસા ભી ઉન્હીં ઉન્નીસ જીવોં કી ત્યાગી જાતી હૈ જો નિરપરાધ હૈં૤ સાપરાધ ન્નસ જીવોં કી હિંસા સે શ્રાવક મુક્ત નહીં હો સકતા૤ ઇસસે વહ અહિંસા ઢાઈ બિસ્વા રહ જાતી હૈ૤ નિરપરાધ ઉન્નીસ જીવોં કી ભી નિરપેક્ષ હિંસા કો શ્રાવક ત્યાગતા હૈ૤ સાપેક્ષ હિંસા તો ઉસસે હો જાતી હૈ૤ ઇસ પ્રકાર શ્રાવક (ધર્મોપાસક યા વ્રતી ગૃહસ્થ) કી અંહિસા કા પરિમાણ સવા બિસ્વા રહ જાતા હૈ૤ ઇસ પ્રાચીન ગાથા મેં ઇસે સંક્ષેપ મેં ઇસ પ્રકાર કહા હૈ :

"જીવા સુહુમાથૂલા, સંકપ્પા, આરમ્ભાભવે દુવિહા,

સાવરાહ નિરવરાહા, સવિક્ખા ચૈવ નિરવિક્ખા"

(૧) સૂક્ષ્મ જીવહિંસા, (૨) સ્થૂળ જીવહિંસા, (૩) સંકલ્પ હિંસા, (૪) આરંભ હિંસા, (૫) સાપરાધ હિંસા, (૬) નિરપરાધ હિંસા, (૭) સાપેક્ષ હિંસા, (૮) નિરપેક્ષ હિંસા. હિંસાના આ ૮ પ્રકાર છે. શ્રાવક આમાથી ૪ પ્રકારની, (૨, ૩, ૬, ૮) હિંસાનો ત્યાગ કરે છે. અત: શ્રાવકની અહિંસા અપૂર્ણ છે.

બૌદ્ધ અને ઈસાઈ ધર્મ[ફેરફાર કરો]

આ પ્રમાણે બૌદ્ધ અને ઈસાઈ ધર્મોં માં પણ અહિંસા નો ખુબ મહિમા છે. વૈદિક હિંસાત્મક યજ્ઞોં કા ઉપનિષત્કાલીન મનીષિયોં ને વિરોધ કર જિસ પરંપરા કા આરંભ કિયા થા ઉસી પરંપરા કી પરાકાષ્ઠા જૈન ઔર બૌદ્ધ ધર્મોં ને કી૤ જૈન અહિંસા સૈદ્ધાંતિક દૃષ્ટિ સે સારે ધર્મોં કી અપેક્ષા અસાધારણ થી૤ બૌદ્ધ અહિંસા નિ:સંદેહ આસ્થા મેં જૈન ધર્મ કે સમાન મહત્વ કી ન થી, પર ઉસકા પ્રભાવ ભી સંસાર પર પ્રભૂત પડ઼ા૤ ઉસી કા યહ પરિણામ થા કિ રક્ત ઔર લૂટ કે નામ પર દૌડ઼ પડ઼નેવાલી મધ્ય એશિયા કી વિકરાલ જાતિયાઁ પ્રેમ ઔર દયા કી મૂર્તિ બન ગઈં૤ બૌદ્ધ ધર્મ કે પ્રભાવ સે હી ઈસાઈ ભી અહિંસા કે પ્રતિ વિશેષ આકૃષ્ટ હુએ; ઈસા ને જો આત્મોત્સર્ગ કિયા વહ પ્રેમ ઔર અહિંસા કા હી ઉદાહરણ થા૤ ઉન્હોંને અપને હત્યારોં તક કી સદ્ગતિ કે લિએ ભગવાન્ સે પ્રાર્થના કી ઔર અપને અનુયાયિયોં સે સ્પષ્ટ કહા હૈ કિ યદિ કોઈ ગાલ પર પ્રહાર કરે તો દૂસરે કો ભી પ્રહાર સ્વીકાર કરને કે લિએ આગે કર દો૤ યહ હિંસા કા પ્રતિશોધ કી ભાવના નષ્ટ કરને કે લિએ હી થા૤ તોલ્સ્તોઇ (ટૉલ્સ્ટૉય) ઔર ગાંધી ઈસા કે ઇસ અહિંસાત્મક આચરણ સે બહુત પ્રભાવિત હુએ૤ ગાંધી ને તો જિસ અહિંસા કા પ્રચાર કિયા વહ અત્યંત મહત્વપૂર્ણ થી૤ ઉન્હોંને કહા કિ ઉનકા વિરોધ અસત્ સે હૈ, બુરાઈ સે નહીં૤ ઉનસે આવૃત વ્યક્તિ સદા પ્રેમ કા અધિકારી હૈ, હિંસા કા કભી નહીં૤ અપને આઁદોલન કે પ્રાય: ચોટી પર હોતે ભી ચૌરાચૌરી કે હત્યાકાંડ સે વિરક્ત હોકર ઉન્હોંને આઁદોલન બંદ કર દિયા થા૤

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]