ગુજરાત વિદ્યાપીઠ
દેખાવ
| પ્રકાર | જાહેર સંસ્થા, સાર્વજનિક |
|---|---|
| સ્થાપના | ૧૯૨૦ |
| કુલપતિ | આચાર્ય દેવવ્રત (ગુજરાતના રાજ્યપાલ, હોદ્દાની રુએ) |
| ઉપકુલપતિ | શ્રી હર્ષદ એ. પટેલ[૧] |
| સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત |
| કેમ્પસ | શહેરી |
| જોડાણો | યુજીસી |
| વેબસાઇટ | ગુજરાત વિદ્યાપીઠનું અધિકૃત વેબસાઇટ |

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ના પ્રખ્યાત આશ્રમરોડ પર સ્થિત છે. જેની સ્થાપના મહાત્મા ગાંધીએ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી. સામાન્ય રીતે ગુજરાતની જોડણીમાં હ્રસ્વ 'ઉ' નો ઉપયોગ થાય છે પણ વિદ્યાપીઠ પોતાની જોડણી ગૂજરાત દીર્ઘ 'ઊ' વાપરી ગૂજરાત વિદ્યાપીઠ એમ કરે છે.[૨]
ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની પાછળ ડાહ્યાભાઈ ના બંગલામાં કરવામાં આવી હતી.
આ વિદ્યાલયની પેટા શાખાઓ પણ છે. જેમાં ઉચ્ચશિક્ષણની બે મહત્વની શાખાઓ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. જે નીચે મુજબ છે.
રાંધેજા સંકુલમાં કુલ ચાર પેટા સંકુલો આવેલા છે.
- કૃષિવિજ્ઞાન કેન્દ્ર
- જમનાલાલ બજાજ નિર્સગોપચાર કેન્દ્ર
- મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિધાલય
- ગ્રામવ્યવસ્થાપન કેન્દ્ર
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "GVP :: Administration". gujaratvidyapith.org. મેળવેલ 2024-11-18.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Welcome to Gujarat Vidyapith - Ahmedabad". www.gujaratvidyapith.org. મેળવેલ 2018-10-30.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર ગુજરાત વિદ્યાપીઠ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |