પૂર્ણ સ્વરાજ

વિકિપીડિયામાંથી
૧૯૩૧માં અપનાવેલો ભારતીય ધ્વજ જેને સ્વતંત્ર ભારતની હંગામી સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો હતો.

પૂર્ણ સ્વરાજનો ઠરાવ અથવા તો ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા રાષ્ટ્રીય મહાસભા દ્વારા ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના દિવસે પારિત કરવામાં આવી. ૩૧ ડિસેમ્બર, ૧૯૨૯ના દિવસે આજના પાકિસ્તાનના લાહોર શહેરમાં રાવિ નદીના કિનારે જવાહરલાલ નહેરુ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્રીય મહાસભાએ ભારતના લોકોને ૨૬મી જાન્યુઆરીનો દિવસ "સ્વાતંત્ર્ય દિવસ" તરીકે ઉજવવા ભલામણ કરી. ભારતના ધ્વજને રાષ્ટ્રીય મહાસભાના સ્વયંસેવકો, રાષ્ટ્રવાદીઓ અને નાગરિકો દ્વારા ફરકાવવામાં આવ્યો.

પાર્શ્વભૂમિ[ફેરફાર કરો]

૧૯૩૦ પહેલાં જ અમુક ભારતીય રાજનૈતિક પક્ષોએ ખુલેઆમ યુનાયટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવવાની ધ્યેયની ઘોષણા કરી હતી. અખિલ ભારતીય હોમરુલ લિગ ભારત માટે બ્રિટિશ કોમનવેલ્થ હેઠળ ઓસ્ટ્રેલિયા, કેનેડા, આઈરીશ ફ્રી સ્ટેટ,ન્યુ ફાઉન્ડલેન્ડ, ન્યૂઝી લેન્ડ અને સાઉથ આફ્રીકા જેવા દેશોને અપાયેલ સ્વાયત્તતા જેવા હોમ રુલ (સ્વ સાશન)ની માંગણી કરતું હતું. અખિલ ભરતીય મુસ્લિમ લિગ એ પણ યુનાયટેડ કિંગડમના આધિપત્ય (ડોમિનિયન) સ્થિતીનું સમર્થન કર્યું હતું પણ ભારતીય સ્વતંત્રતાનો વિરોધ કર્યો હતો. ઈંડિયન લિબરલ પાર્ટી નામની સંસ્થા અંગ્રેજ સમર્થક હતી, બ્રિટિશ રાજ સાથે સંબંધો નબળા પડે તેવી સ્વતંત્રતા કે સ્વાયત રાજ્ય જેવી કોઈ પણ માંગણીઓને તેણે વિરોધ કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય મહાસભા આ વાદ-વિવાદમાં સૌથી મોખરે હતી. વયસ્ક મહાસહા ((કોંગ્રેસ) ના નેતા જેમ કે લોકમાન્ય ટિળક, અરબિંદો, અને બિપિનચંદ્ર પાલ વગેરે એ બ્રિટેશ હકૂમતથી મુક્ત એવી સ્વતંત્રતાની માંગણી કરી હતી.

૧૯૧૯ના જલિયાવાલા બાગ હત્યકાંડ પછી લોકોમાં અંગ્રેજો વિરુદ્ધ પ્રખર અસંતોષ જાગી ઉઠ્યો. યુરોપીય લોકો, નાગરિકો અને અધિકારીઓ સમગ્ર ભારતમાં ફેલાઈ ગયેલા હિંસચારનો ભોગ બન્યાં હતાં. ૧૯૨૦માં ગાંધીજી અને કોંગ્રેસે પોતાને સ્વરાજ સમર્પિત ઘોષિત કર્યાં. તેમણે આને ભારતનું રાજનૈતિક અને સને આધ્યાત્મીક સ્વતંત્રતા ગણાવી. તે સમયે ગાંધીજીએ સ્વરાજને ભારતીય લોકોનો જન્મ સિદ્ધ અધિકાર ગણાવ્યો હતો. તેમણે તે સમયે જણાવ્યું હતું કે ભારત સંપૂર્ણ સ્વતંત્રતા પસંદ કરશે કે બ્રિટિશ સામ્રાજ્યનોપ્ ભાગ બની રહેશે તેનો આધાર અંગ્રેજ સરકારના વર્તન પર રહેલો છે. ૧૯૨૦ અને ૧૯૨૨ વચ્ચે ગાંધીજીએ અસહકારની ચળવળનું નેતૃઅત્વ કર્યું હતું. રોલેટ એક્ટ અને ભારતીયોને પોતાના દેશની સરકાર રચવા અને ચલાવવા દેવાના રાજનિતિક અને નાગરિક હક્કો પરના પ્રતિબંધ વિરુદ્ધ તેમણે આ ચળવળ કરી હતી.

સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ[ફેરફાર કરો]

ભારતમાં સંવિધાન અને રાજનૈતિક વિષયે સુધારા કરવા માટે અંગ્રેજ સરકારે એક કમિશનની નિમણૂક કરી. જેને સાયમન કમિશન તરીકે ઓળખવામાં આવ્યું. આ કમિશન ભારતના સંવિધાન અને રાજનૈતિક સુધારા માટે નિમાયું હોવા છતં આમાં એકપણ ભારતીય સભ્ય ન હતો. આ સિવાય કોઈ પણ રાજનૈતિક પક્ષની સલાહ લેવામામ્ આવી નહતી કે તેમની આમાં શામિલ થવાનું નિમંત્રણ અપાયું હતું.. આને કારણે ભારતીય પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો. જ્યારે આ કમિશનન પ્રમુખ જ્હોન સાયમન ભારતમાં આવ્યાં ત્યારે તેમને ક્રોધે ભરાયેલા ટોળાઓના પ્રદર્શનો અને વિરોધનો સામનો કરવો પડ્યો. ભારતમાં જ્યાં જ્યાં પણ તેઓ ગયાં ત્યાં તેમની સામે વિરોધ પ્રદર્શનો થયાં. આ કમિશન સામે ના વિરોધ પ્રદર્શન સમયે અંગ્રેજો દ્વારા થયેલા લાઠીચારને કારણે ભારતીય નેતા લાલા લજપતરાયનું મૃત્ય થયું, આને કારણે લોકોમાં સાયમન કમિશન સમે રોષ અત્યંત વધી ગયો.

આ કમિશનની સામે મહાસભાએ એ સર્વ ભારતીય સભ્યો ધરાવતું એક શિષ્ટમંડળ રચ્યું જેણે ભારતીય સંવિધાન માં ફેરેફારો સૂચવ્યાં.મહસભાના પ્રમુખ મોતીલાલ નહેરુની આગેવાની હેઠળ અન્ય ભારતીય રાજનૈતિક પક્ષોના નેતાઓ પણ આ મંડળમાં જોડાયાં. આ સમિતીનો અહેવાલ "નહેરુ રિપોર્ટ" તરીકે ઓળખાય છે. આ અહેવાલમાં બ્રિટેશ આધિપત્ય (ડોમિનિયન) હેઠળ ભારતીયોને પોતાની સરકાર દ્વારા રાજ્ય ચલાવવાની માંગણી કરાઈ હતી. નહેરુ સમિતીનો અહેવાલ મોટાભાગના બધાં ભારતીય રાજકીય પક્ષોએ સ્વીકાર્યો હતો, પરંતુ ઈંડિયન નેશનલ લિબરલ પાર્ટી અને અખિલ ભારતીય મુસ્લીમ લિગએ તેનો વિરોધ કર્યો હતો. અંગ્રેજોએ આ કમિશન અને તેના રિપોર્ટની અવગણના કરી. અંગ્રેજોએ આ સમિતી દ્વારા સૂચવેલા સુધારાને પણ અમાન્ય કર્યાં.

સ્વાયત દેશ કે ગણરાજ્ય?[ફેરફાર કરો]

નહેરુ રિપોર્ટને વિષે મહાસભામાં પણ આંતરિક મતભેદ હતાં. સુભાષ ચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ જેવા યુવા નેતાઓ બ્રિટેન સાથે દરેક સંબંધને તોડીને નવા રાષ્ટ્રના નિર્માણની તરફેણ કરતાં હતાં. ૧૯૨૭માં જવાહરલાલ નહેરુ એ ૧૯૨૭માં સંપૂર્ણ રાષ્ટ્રીય સ્વતંત્રતાનો ઠરાવ લાવ્યાં હતાં જેને ગાંધીજીના વિરોધને કારણે પાછો ઠેલાયો હતો. [૧] સ્વાયત રાષ્ટ્ર તરીકે ભારત પર રાષ્ટ્રના પ્રમુખ તરીકે અંગ્રેજોનો સાંવિધાનિક દરજ્જો રહે તે બોઝ અને જવહરલાલ નહેરુને માન્ય ન હતું. વળી ભારતની સંવિધાની મસલતોમં પણ બ્રિટિશ સંસદની મંજૂરી મેળવવી પડે તે પન તેમને અયોગ્ય લાગતું. રાષ્ટ્રીય મહાસભાના ઘણાં સભ્યો અને હોદ્દેદારોનો ટેકો તેમને પ્રાપ્ત હતો.

ડિસેંબર ૧૯૨૮ના રાષ્ટ્રીય મહાસભાના કલકત્તા અધિવેશનમાં ગાંધીજી એવો ઠરાવ લાવ્યા હતાં કે અંગ્રેજો એ ભારતને રાષ્ટ્રકુળ સમાન સ્વાયત્ત દેશનો દરજ્જો આપવો. આ માટે તેમને અંગ્રેજ સરકારને બે વર્ષનો સમય આપ્યો હતો. જો આ સમય દરમ્યાન ભરતેને સ્વાયત નહીં બનાવાય તો ભારતીયો સંપૂર્ણ સ્વતંત્રતા માટે આંદોલન શરૂ કરશે. સુભાષ ચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુએ ગાંધેજી એ આપેલી બે વર્ષની સમય મર્યાદા સામે વાંધો ઉઠાવ્યો. તેમણે કોઈ પણ સમય મર્યાદા આપવાની ના પાડી. છેવટે એક વર્ષની મર્યાદા પર સહમતિ થઈ. જવાહર લાલે આ ઠરાવની પક્ષમાં મત આપ્યો જ્યારે સુભાષ ચંદ્ર બોઝએ કહ્યું કે તેઓ અને તેમના સાથીઓ આ ઠરાવનો વિરોધ નહીં અને મતદાન સમયે તેઓ ગેરહાજર રહ્યાં. રાષ્ત્રીય મહાસભામાં આ ઠરાવ ૧૧૮ ના મુકાબલે ૪૫ મતે પારિત થયો. પરંતુ જ્યારે મહાસભાના ખુલા સત્રમાં સુભાષબાબુએ આ ઠરાવમાં બ્રિટિશ રાજ થી સંપૂર્ણ છેડો ફાડી નાખવાનો સુધારો કરવાની વાત કરી ત્યારે ગાંધીજીએ તેમની નિંદા કરી:

" તમે તમારા હોઠે સ્વતંત્રતાનો શબ્દ લાવી શકો છેઓ પણ જ્યાં સુધી તેની પાછળના સન્માનની તમને જાણ નહીં થાય ત્યાં સુધી તે માત્ર શબ્દો જ રહી જવાના છે. જો તમે તમારા શબ્દો સાથે ઉભા નહીં રહી શકો તો સ્વતંત્રતા ક્યાં જશે?"[૨]

સુધરાનો આ પ્રસ્તાવ ૧૩૫૦ ના મુકાબલે ૯૭૩ મતો મેળવી ખારીજ થયો.

૩૧ ઓક્ટોબર ૧૯૨૯ના દિવસે લોર્ડ ઈર્વીને ઘોષણા કરી કે અંગ્રેજ સરકાર ભારતીય પ્રતિનિધીઓને લંડનમાં યોજાનરી ગોળમેજ પરિષદમાં મળશે. આ પરિષદમાં ભારતીય સહભાગને અસરકારક બનાવવા માટે લોર્ડ ઈર્વીન મહાત્મા ગાંધી, મોહમ્મ્દ અલી જીણા, અને કાર્યકાળ પૂરો કરનાર મહાસભાના પ્રમુખ મોતીલાલ નહેરુને મળ્યાં ગાંધેજી એ ઈર્વીનને પૂછ્યું કે શું આ પરિષદમાં સ્વાયતતાનો મુદ્દો લેવાશે? તેના જવાબમાં ઈર્વીને કહ્યું કે તે તેવી કોઈ ખાત્રી ન આપી શકે. આને પરિણામે તે મુલાકાત ત્યાં જ સ્થગીત થઈ.[૩]

ઉદ્ઘોષણા[ફેરફાર કરો]

જે સ્થળે ભારના સ્વાતંત્રયની ઘોષણા થઈ અને પાકિસ્તાન ઠરાવ પારિથ થયો તે સ્થળ, જ્યાં અત્યારે મિનાર એ પાકિસ્તાન નામનું સ્મારક આવેલું છે.

રાજૈનિક સુધરા અને હક્કો માટેની નામંજૂરી અને રાજનૈત્તિક પક્ષોની સતત અવગણનાને કારણે રાષ્ત્રીય મહાસભામાં અંગ્રેજોને ભારતમાંથી સંપૂર્ણરીતે બહાર હકાલવાનો મત ગૂઢ બનતો ગયો અને તેના પર એકાત્મતા સધાવા લાગી.[૩] કડકડતી ઠંડી હોવછતાં મોટી સંખ્યામાં કોંગ્રેસ સ્વયંસેવકો અને સહભાગીઓ, અન્ય રાજનૈતિક પક્ષો અને સામાન્ય જનતાએ મોટી સંખ્યામાં રાષ્ત્રીએય મહાસભાના લાહોર અધિવેશનમાં હાજરી આપી.તેના વિષે પટ્ટાભી સીતારામૈયા લખે છે કે:

" જુસ્સો અને આવેગ, ચર્ચાની નિસ્ફળતા, યુદ્ધના નગારા સાથે ચહેરા પરનો તરવરાટ - ઓહ, આ બધું આબોહવાથી કેટલિં ભિન્ન હતું."[૪]

જવાહરલાલ નહેરુ ને પ્રમુખ તરીકે નીમવામાં આવ્યાં. દીગ્ગજ નેતા જેમકે રાજગોપાલાચારી ચક્રવર્તી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ રાષ્ટ્રીય મહાસભાની કાર્યકારેણીમાં પાછા આવ્યાં ગાંધીજીએ ભારતીય સ્વતંત્રતાની ઘોષણાનિ મુસદ્દો બનાવ્યો, જેમાં લખ્યું હતું કે:

" અંગ્રેજ સરકારે ભારતીય લોકોને માત્ર તેમની સ્વતંત્રતાથી જ તેમને વંચિત નથી રાખ્યાં પણ લોકોનું શોષણ પણ કર્યું છે. ભારતને આર્થિક, રાજનૈતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે પાયમાલ કર્યો છે.... માટે... માટે ભારતે અંગ્રેજ સત્તા સાથેના સર્વ સંબંધો તોડીને "પૂર્ણ સ્વરજ કે પૂર્ણ સ્વતંત્રતા મેળવવી જોઈએ"[૫]

નવા વર્ષની મધ્ય રાત્રે પ્રમુખ જવાહરલાલ નહેરુ એ લાહોર (હાલમાં પાકિસ્તાનમાં) માં રાવિ નદીને કિનારે ભારતીય ત્રિરંગો ફેલાવ્યો. સ્વતંત્રતાની પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું, જેમાં કરવેરા ન ભરવાની ચળવળની તૈયારી બતાવવામાં આવી. વિશાળ જનમેદની પૂછવામાં આવ્યું શુંતેઓ આની સાથે સહમત છે? ત્યારે વિશાળ જન મેદનીએ પોતાનો હાથ ઉપર કરી સહમતી દર્શાવી. ત્યાર બાદ આ ઠરાવના ટેકામાં અને ભરતીય પ્રજાના મત સાથે સહમત થતાં મધ્ય ભારતના કાયદાઅ મંડળના ૧૭૨ સભ્યોએ રાજીનામું આપ્યું

૨૬ જાન્યૂઆરી ૧૯૩૦ ના દિવસે સત્તાવાર રીતે "સ્વતંત્રતાની ઘોષણાનો સ્વીકાર કરવામાં આવ્યો. ત્યાર બાદ ગંધીજી અને નેતાઓએ મોટા સ્તર પર ચળવળના આયોજનની શરૂઆત કરી, તેમણે આમાન્ય માણસને પણ અ અહીંસા ને સમર્પિત એવી આ ક્રાંતિમાં ભાગ લેવા જણાવ્યું. [૩] મીઠાનો સત્યાગ્રહ એ સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવાના આંદોલનની પ્રથમ ચળવળ હતી.

વારસો[ફેરફાર કરો]

રાષ્ત્રીય મહાસભાએ ચળવળ દર્મ્યાન લોકોના સમર્પણની યાદમાં વારંવાર ૨૬મી જાન્યૂઆરીનો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો. ૧૯૪૭માં અંગ્રેજો ભારતને સ્વતંત્રતા અને રાજનૈતિક સત્તા સોંપવા તૈયર થયાં અને ૧૫મી ઓગસ્ટનો દિવસે અસલ સ્વતંત્રતા દિવસ બન્યો. જો કે ભારતનું નવું સંવિધાન ૨૬ જાન્યૂઆરી ૧૯૫૦ ના દિવસથી લાગૂ થયો અને તે દિવસ થી ભારત ગણતંત્ર ઘોષિત થયો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Rajmohan Gandhi, Patel: A Life, pp. 171, ASIN: B0006EYQ0A
  2. D. G. Tendulkar, Mahatma, pp. 441, Bombay - 1951
  3. ૩.૦ ૩.૧ ૩.૨ R. Gandhi, Patel: A Life, pp. 185
  4. Pattabhi Sitaramayya, The History of the Congress, pp. 600, Allahabad - 1935
  5. "Declaration of independence". મૂળ માંથી 2013-05-17 પર સંગ્રહિત. મેળવેલ 2011-12-16.