ધ્વજ સત્યાગ્રહ

વિકિપીડિયામાંથી

ધ્વજ સત્યાગ્રહ (હિંદી: झंडा सत्याग्रह) એ ભારતના સ્વતંત્રાતા સંગ્રામ દરમ્યાન થયેલા સવિનય કાનૂન ભંગનો એક ભાગ હતી. આ ચળવળ લોકોને તેમનો રાષ્ટ્રવાદી ધ્વજ ફરકાવવા દેવાનો હક્ક અને તે અનુસાર અંગ્રેજોની સત્તાને આહવાન આપતી હતી. અંગ્રેજ સરકારના કાયદાઓ અનુસાર કોઈપણ પ્રકારના રાષ્ટ્રવાદી ધ્વજ ફરકાવવા પર પાબંદી હતી જે નાતરિક હક્કનો ઉલ્લંધન હતો. ૧૯૨૩ દરમ્યાન ધ્વજ સત્યાગ્રહ ખાસ કરીને નાગપુર શહેરમાં અને ભારતના અન્ય ભાગોમાં કરવામાં આવ્યો

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

નિજી કે સાર્વજનિક ઈમારતો પર (અને ક્યારે ક સરકારી ઈમારતો પર પણ) રાષ્ટ્રવાદી ધ્વજ ફરકાવવા એ પ્રાય: વિરોધ પ્રકટ કરવા કે સત્તાને અમાન્ય કરવાનો એક પ્રદર્શન રહ્યું છે. ભારતીય સ્વતંત્રતાની ચળવળો અને ખાસ કરીને ગદર પાર્ટી તરીકે ઓળખાતા રાષ્ટ્રવાદી પક્ષનો વિરોધ પ્રદર્શનનો આ મુખ્ય પ્રકાર હતો. લોકમાન્ય ટિળક, બિપિન ચંદ્ર પાલ અને લાલા લજપત રાય જેવા રાષ્ટ્રીય નેતાઓ ના નેતૃઅત્વમાં આને વધુ મહત્ત્વ મળ્યું.

નાગરિક સ્વતંત્રતા પર અંગ્રેજોએ લાદેલા નિયંત્રણના વિરોધ પ્રદર્શન કરવા માટે અને ધ્વજ ન ફરકાવવાના કાયદાનો બંગ કરવના હેતુ થી ધ્વ જ ફરકાવીને કાનૂન ભંગ કરવાને "ધ્વજ સત્યાગ્રહ" નામ આપવામાં આવ્યું. આ સત્યાગ્રહ ૧૯૨૦-૧૯૨૨ની અસ્ત્યાગ્રહની ચળવળ, ૧૯૩૦નો મીઠાનો સત્યાગ્રહ અને ૧૯૪૨ની ભારત છોડો ચળવળ એ દરેકનો એક ભાગ રહ્યો હતો. સ્વયંસેવકોને ધ્વજ ફરકાવી કોઈ પણ પ્રતિરોધ વિના ધરપકડ વહોરી લેવા માટે પ્રેરિત કરાતાં હતાં.

આંદોલનો[ફેરફાર કરો]

સંપૂર્ણ સ્વતંત્રતા સમ્ગ્રામ દરમ્યાન ધ્વજ સત્યાગ્રહ દરેક ચળવળનો ભાગ બની રહ્યો.દરેક રાષ્ટ્રવાદી ટોળા કે સરઘસો દ્વારા ધ્વજ સાથે રાખવામાં આવતો. ૩૧ ડિસેંબર ૧૯૨૯ના દિવસે રાવી નદીને કિનારે પૂર્ણ સ્વરાજ્યના સ્વીકાર કર્યાં પછી જવાહરલાલ નહેરુ એ ધ્વજ ફરકાવ્યો હતો. ૭ ઓગસ્ટ ૧૯૪૨ના દિવસે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન ખાતે ભારત છોડો ચળવળની શરૂઆત વખતે પણ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

૧૯૨૩નો નાગપુર અને જબલપુરનો ધ્વજ સત્યાગ્રહ ઘણાં મહોના સુધી ચાલ્યો હતો. અંગ્રેજોના ધ્વજ ફરકાવવાના હક્ક પરના પ્રતિબંધ કાયદા નો વિરોધ કરનર ઘણાં લોકોને જેલમાં પુરવામાં આવ્યાં હતાં. તેમં વળી ગાંધીજીને પણ કારાવાસ થયો હતો. આવામામ્ રાષ્ટ્રવાદી નેતાઓ જેવા કે સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, ચક્રવર્તી રાજગોપાલાચારી અને વિનોબા ભાવે એ વિવિધ ક્ષેત્રોમાં આંદોલનનું આયોજન કર્યું. વિવિધ રાજ્યોન હજારો લોકો નાગપુરમાં જમા થયાં આ ચળવળના અંતે અંગ્રેજોએ લોકો અને મહાસભાના નેતાઓ સાથે કરાર કર્યો તે અનુસાર તેમને ધ્વજ ફરકાવવાની સંમતિ અને ધ્રપકડ થયેલા લોકોને મુક્ત કર્યાં.

તે સિવાયનો અન્ય મહત્વપૂર્ણ ધ્વજ સત્યાગ્રહ ૧૯૩૮માં હલના કર્ણાટકન મૈસુરમાં યોજવામાં આવ્યો હતો. આની યાદમાં ઘણા સરધસો ૧૫મી ઑગસ્ટ અને ૨૬મી જાન્યૂઆરીના કાઢવામાં આવે છે

સંદર્ભો[ફેરફાર કરો]

  • Rajmohan Gandhi. Patel: A Life. (Navajivan House; 1992)
  • Arundhati Virmani. National Symbols Under Colonial Domination: The Nationalization of the Indian Flag, March-August 1923 (Past and Present Society; 1999)

See also[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]