નેલ્સન મંડેલા
નેલ્સન મંડેલા | |
|---|---|
| Nelson Rolihlahla Mandela | |
| જન્મ | ૧૮ જુલાઇ ૧૯૧૮ Mvezo (Union of South Africa) |
| મૃત્યુ | ૫ ડિસેમ્બર ૨૦૧૩ Houghton Estate |
| અંતિમ સ્થાન | Qunu |
| અભ્યાસ સંસ્થા | |
| વ્યવસાય | પટકથાલેખક |
| કાર્યો | Long Walk to Freedom |
| રાજકીય પક્ષ | African National Congress |
| જીવન સાથી | Evelyn Mase, Winnie Madikizela-Mandela, Graça Machel |
| બાળકો | Makgatho Mandela, Makaziwe Mandela, Zenani Mandela-Dlamini, Thembekile Mandela, Zindzi Mandela |
| માતા-પિતા | |
| પુરસ્કારો |
|
| વેબસાઇટ | https://www.nelsonmandela.org |
| સહી | |
નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા (Nelson Rolihlahla Mandela) (ઢાંચો:IPA-xh) (૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.
ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.
તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા.
સન્માનો
[ફેરફાર કરો]૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક[૧], ૧૯૯૦માં ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન અને ૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા.[૨]
અવસાન
[ફેરફાર કરો]૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ તેમનાં નિવાસસ્થાન હૌગટન, જોહનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે, પરીવારજનોની ઉપસ્થિતિમાં, ફેફસાંના ચેપને કારણે તેઓનું અવસાન થયું.[૩] પ્રમુખ જેકબ ઝુમાએ તેમનાં અવસાનના ખબર વિશ્વને આપ્યા.[૩][૪]
વ્યક્તિ
[ફેરફાર કરો]તેમણે મેથોડિસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને બાપ્તિસ્મા લીધું હતું. યુવાનીમાં, તેઓ થેમ્બુ લોકોના રિવાજો અને ખ્રિસ્તી મિશન શાળાઓમાં પ્રાપ્ત થયેલા શિક્ષણથી ગહન પ્રભાવિત થયા હતા.
તેઓએ ત્રણ વખત લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન ૧૯૪૪માં એવલિન મેસ સાથે થયા હતા, અને ૧૯૫૭માં તેઓ છૂટાછેડા લઇ લીધો હતો. ૧૯૫૮માં, તેમણે વિન્ની સાથે બીજા લગ્ન કર્યા. જ્યારે મંડેલા જેલમાં હતા, ત્યારે વિન્ની જેલની બહાર રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલી હતી. જોકે, ૧૩ એપ્રિલ ૧૯૯૨ના રોજ, તેમણે છૂટાછેડા લેવા ઇરાદો જાહેર કર્યો, અને ચાર વર્ષ પછી, ૧૯ માર્ચ ૧૯૯૬ના રોજ, વિન્ની સાથે તેમનો છૂટાછેડો અંતિમ સ્વરૂપે પૂરું થયું. ૧૮ જુલાઈ ૧૯૯૮ના રોજ, તેમણે મોઝામ્બિકના પહેલા રાષ્ટ્રપતિ સમોરા માશેલની વિધવા ગ્રાસા માશેલ સાથે ત્રીજા લગ્ન કર્યા, જેમનો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
રાજકીય રીતે, તેમણે એવી શૈલી અપનાવી જે તેમના વિરોધીઓની રાજકીય નબળાઈઓને સ્પષ્ટ રીતે ઓળખતી હતી. પરંતુ તેઓ પર હુમલો કરવાનાં બદલે, સ્વીકાર્ય દરખાસ્તો રજૂ કર્યા, જેના કારણે તેમના રાજકીય વિરોધીઓમાં તેમના પ્રત્યે વિશ્વાસ ઉભો થયો. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી આ વલણ વધુ મજબૂત બન્યું, કારણ કે તેમણે પોતાને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે સ્થાપિત કર્યું.
જોકે, તેમનો સ્વભાવ ક્યારેક ઉગ્ર પણ હતો. ફ્રેડરિક ડી ક્લાર્ક સાથે તેમના કડવા સંબંધ હતા, અને અનેક પ્રસંગોએ તેમણે પોતાનો તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો, જે નેશનલ પાર્ટી ગઠબંધનના વિસર્જનનું એક કારણ બન્યું.
તેમની રાજકીય માન્યતાઓ ઉદાર લોકશાહી પર આધારિત હતી, જ્યારે તેમની આર્થિક નીતિ સામ્યવાદી પ્રેરિત હતી. મુક્તિ પછી તેઓ ખાણો અને અન્ય સંપત્તિના રાષ્ટ્રીયકરણની હિમાયત કરતા હતા. પરંતુ પછી તેમને સમજાયું કે આ શક્ય નથી, તેથી તેમણે સરકારની નવઉદારવાદી નીતિઓ અપનાવી.
તેમણે અહિંસાની હિમાયત કરી અને વારંવાર શાંતિવાદી વિચારો વ્યક્ત કર્યા. તેમ છતાં, ઉમખોન્ટુ વી સિઝવેની સ્થાપના દ્વારા પ્રાપ્ત પુરાવાઓ દર્શાવે છે કે શરૂઆતમાં તેઓ સશસ્ત્ર સંઘર્ષ તરફ વલણ ધરાવતા હતા અને મુક્તિ પછી થોડા સમય સુધી આ અભિગમને નકારી શક્યા નહીં.
ફિલ્મ
[ફેરફાર કરો]- માલ્કમ એક્સ (૧૯૯૩) અંતિમ દ્રશ્યમાં, માલ્કમ એક્સ પોતે એક નાનકડી ભૂમિકા ભજવે છે અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તેમનું સૌથી પ્રખ્યાત ભાષણ શીખવે છે: "અમે જાહેર કરીએ છીએ: હવે, આ દિવસે, આ ક્ષણે, આપણે આપણી માનવતા પાછી મેળવીશું, કોઈપણ રીતે જરૂરી!" મંડેલાનો અજાણ્યો રક્ષક (૨૦૦૭) આ ફિલ્મ જેલમાં બંધ મંડેલા અને તેમના જેલ રક્ષકો વચ્ચેના સંબંધને દર્શાવે છે, જેમાં ડેનિસ હેય્સબર્ટ મંડેલાની ભૂમિકા ભજવી રહ્યા છે. ઇન્વિક્ટસ (૨૦૦૯) આ ફિલ્મ ૧૯૯૫ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની રગ્બી ટીમની જીતની વાર્તા પર આધારિત છે. મોર્ગન ફ્રીમેન મંડેલાની ભૂમિકા ભજવે છે. મંડેલા: લોંગ વોક ટુ ફ્રીડમ (૨૦૧૩) આ ફિલ્મ મંડેલાની આત્મકથા પર આધારિત છે, જેમાં ઇદ્રિસ એલ્બા ભૂમિકા ભજવી રહ્યા છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Jawaharlal Nehru Awards". મૂળ માંથી 2009-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2013-12-06.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ અંગ્રેજી વિકિ પરની યાદી
- 1 2 "South Africa's Nelson Mandela dies in Johannesburg". BBC News. 5 December 2013. મેળવેલ 5 December 2013.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ); Italic or bold markup not allowed in:|publisher=(મદદ) - ↑ Polgreen, Lydia (5 December 2013). "Mandela's Death Leaves South Africa Without Its Moral Center". The New York Times. મેળવેલ 5 December 2013.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ); Italic or bold markup not allowed in:|publisher=(મદદ)