સર્વોદય
સર્વોદય શબ્દ મહાત્મા ગાંધી દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો. એનો અર્થ 'દરેકના જીવનની દરેક બાબતોની સંપૂર્ણ પ્રગતિ થાય' તેવો છે. ગાંધીના મતે આદર્શ સમાજ કે આદર્શ રાજ્યનું અંતિમ ધ્યેય 'સર્વોદય' છે. જૉન રસ્કિનનું 'અન ટુ ધિસ લાસ્ટ' પુસ્તક વાંચીને ગાંધીજીએ 'અંત્યોદય'નો ખ્યાલ આપ્યો હતો. આગળ જતાં અંત્યોદયને બદલે 'સર્વોદય' શબ્દ પ્રયોજાયો.[૧]
પાર્શ્વભૂમિ[ફેરફાર કરો]
૧૯૦૪માં જ્યારે ગાંધીએ રસ્કિનનું પુસ્તક 'અન્ ટુ ધી લાસ્ટ' પુસ્તક વાંચ્યું ત્યારે તેના વિશે એમણે પોતાની આત્મકથામાં લખ્યું છે: "આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઇરાદો કર્યો.'[૨]
રસ્કિનના આ પુસ્તકમાંથી ગાંધીને નવા દર્શનની પ્રેરણા મળી. આ પુસ્તકના સારરૂપ સર્વોદયના મુખ્ય સિદ્ધાંતો એમણે આ મુજબ સમજાવ્યા છે:જાયો.[૧][૨]
- સર્વની ભલાઈમાં આપણી ભલાઈ છે.
- વકીલ અને વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ કેમ કે સ્વરોજગારી માટે દરેકને એકસરખો અધિકાર મળવો જોઈએ.
- સાદું અને પરિશ્રમયુક્ત ખેડૂતનું જીવન જ સાચું જીવન છે.
સર્વોદયનો સિદ્ધાંત એવા વર્ગ, જાતિવિહીન અને શોષણવિહીન સમાજની સ્થાપના કરવા ચાહે છે કે જેમાં દરેક વ્યક્તિ અને સમૂહને, દરેકને પોતાનો સર્વાંગી વિકાસ કરવાનો મોકો મળે. અને એમાં પણ ગરીબોનું સ્થાન વિશેષ છે. ગાંધીએ લખ્યું છે કે મારા સ્વરાજ્યનું સ્વપ્ન એ ગરીબોનું સ્વરાજ્ય છે.[૧]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧૬૨–૧૬૩. ISBN 978-93-85344-46-6. Check date values in:
|year=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ શાહ, કાન્તિ (2000). "સર્વોદય". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૨ (સ – સા) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૪૧૯–૪૨૧. OCLC 213511854. Unknown parameter
|publication-location=
ignored (મદદ); Check date values in:|year=
(મદદ)
![]() |
વિકિસ્રોતમાં સર્વોદય સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે. |
પૂરક વાચન[ફેરફાર કરો]
- S. Narayanasamy (2003). The Sarvodaya Movement: Gandhian Approach to Peace and Non-violence. New Delhi: Mittal Publications. ISBN 978-81-7099-877-8. Check date values in:
|year=
(મદદ)