લખાણ પર જાઓ

હરિજન સેવક સંઘ

વિકિપીડિયામાંથી
હરિજન સેવક સંઘ
સ્થાપના૩૦ ઓક્ટોબર ૧૯૩૨ ,મુંબઈ, ભારત
સ્થાપકમહાત્મા ગાંધી
મુખ્યમથકોગાંધી આશ્રમ, કિંગ્સ વે, દિલ્હી
વેબસાઇટhttps://harijansevaksangh.org

હરિજન સેવક સંઘ એ ભારતમાં અસ્પૃશ્યતા નિવારણ કરવા, હરિજન અથવા દલિત લોકો માટે કામ કરવા અને ભારતના દલિત વર્ગના ઉત્કર્ષ માટે ૧૯૩૨માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સંસ્થા છે.[] તેનું મુખ્ય મથક દિલ્હીના કિંગ્સવે કેમ્પમાં છે, જેની શાખાઓ ભારતના ૨૬ રાજ્યોમાં છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

બીજી ગોળમેજી પરિષદ પછી, બ્રિટિશ સરકારે બાબાસાહેબ આંબેડકરની વિનંતીથી દલિત વર્ગને કોમી પુરસ્કાર આપવાની સંમતિ આપી. ગાંધીજીએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. તેઓ માનતા હતા કે કોમી પુરસ્કાર હિંદુ સમાજને વિભાજીત કરશે. સરકારના આ નિર્ણય સામે તેઓ યરવાડા જેલમાં અનિશ્ચિત ઉપવાસ પર ઉતરી ગયા. ૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ આંબેડકર સાથે પૂના કરાર પર સહી કર્યા પછી તેમણે તેમનો ઉપવાસ સમાપ્ત કર્યો હતો. ૩૦ સપ્ટેમ્બરના રોજ, ગાંધીજીએ સમાજમાં અસ્પૃશ્યતાને દૂર કરવા માટે ઑલ ઇન્ડિયા એન્ટી ટચેબીલીટી લીગની સ્થાપના કરી, જેનું નામ પછીથી હરિજન સેવક સંઘ ("અસ્પૃશ્ય સોસાયટીના સેવકો") રાખવામાં આવ્યું.[] તે સમયે ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા તેના અધ્યક્ષ તરીકે અમૃતલાલ ટક્કર સાથે તેના સ્થાપના પ્રમુખ હતા. []

મુખ્ય મથક

[ફેરફાર કરો]

સંઘનું મુખ્ય મથક દિલ્હીના કિંગ્સવે કેમ્પમાં છે. તે પરિસરમાં વાલ્મીકી ભવન હતું, જે ગાંધીજીના એક ઓરડામાં આશ્રમ તરીકે કાર્યરત હતો, કસ્તુરબા ગાંધી અને તેમના બાળકો બિરલા હાઉસ જતા પહેલાં એપ્રિલ ૧૯૪૬ અને જૂન ૧૯૪૭ દરમિયાન નજીકના કસ્તુરબા કુટીરમાં રોકાયા હતા. આજે, ૨૦ (વીસ) એકરના પરિસરમાં ગાંધી આશ્રમ, હરિજન બસ્તી, લાલા હંસરાજ ગુપ્તા ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સમાવેશ થાય છે અને છોકરાઓ અને છોકરીઓ માટે રહેણાંક શાળા પણ છે.[] [] તેનું મુખ્ય મથક ગાંધી આશ્રમ, કિંગ્સવે કેમ્પ, સરકારી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ગાંધી હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ છે.

પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

સંઘ દ્વારા દલિત વર્ગને મંદિરો, શાળાઓ, રસ્તાઓ અને જળ સંસાધનો જેવા જાહેરસ્થળોએ પ્રવેશ કરવામાં મદદ મળી, આંતર ભોજન અને આંતર જાતિ લગ્ન પણ કરાવવામાં આવ્યા.[] તે દેશભરમાં ઘણી શાળાઓ અને છાત્રાલયોનું નિર્માણ અને જાળવણી કરે છે.[]

૧૯૩૯માં, તમિળનાડુના હરિજન સેવક સંઘ એ. વૈદ્યનાથ ઐયરની અધ્યક્ષતામાં, ઉચ્ચ જાતિના હિંદુઓના વિરોધ હોવા છતાં પી. કક્કન સહિત દલિત વર્ગના સભ્યો સાથે, મદુરાઇના મીનાક્ષી અમ્માન મંદિરમાં પ્રવેશ કર્યો. સંઘે ઐય્યરની આગેવાની હેઠળ તામિલનાડુના અન્ય ભાગોમાં અને ત્રાવણકોરમાં ઘણા મંદિર પ્રવેશ આંદોલનોનું આયોજન કર્યું.[] [૧૦] તેમની હિલચાલ દ્વારા, 100 થી વધુ મંદિરો સમાજના તમામ વર્ગ માટે ખોલવામાં આવ્યા હતા. [૧૧]

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]
  • Viyogī Hari (1971). History of the Harijan Sevak Sangh, 1932-1968. Harijan Sevak Sangh.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Harijan Sevak Sangh to publicise activities". The Hindu. 10 February 2007. મૂળ માંથી 12 ફેબ્રુઆરી 2007 પર સંગ્રહિત. મેળવેલ 6 May 2014. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૦૭-૦૨-૧૨ ના રોજ વેબેક મશિન
  2. "Organisation". Harijan Sevak Sangh. મૂળ માંથી 27 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 7 May 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "Naming the reality". 24 May 2018. મૂળ માંથી 24 May 2018 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  4. Ratna G. Revankar (1 January 1971). The Indian Constitution: A Case Study of Backward Classes. Fairleigh Dickinson Univ Press. p. 124. ISBN 978-0-8386-7670-7. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  5. "Share Gandhi's space @Rs 800 pm". CNN-IBN. 30 September 2006. મૂળ માંથી 12 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 2 ઑક્ટોબર 2020. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન
  6. "Tirath spends time with Dalits on Gandhi Jayanti". The Indian. 2 October 2009. મૂળ માંથી 4 મે 2021 પર સંગ્રહિત. મેળવેલ 2 ઑક્ટોબર 2020. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  7. Raj Kumar (1 January 2003). Essays on Dalits. Discovery Publishing House. p. 67. ISBN 978-81-7141-708-7. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  8. Bindeshwar Pathak (1 September 1999). Road to Freedom: A Sociological Study on the Abolition of Scavenging in India. Motilal Banarsidass. p. 70. ISBN 978-81-208-1258-1. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  9. "Man who led Harijans into the temple". The Hindu. 12 March 2013. મેળવેલ 7 May 2014. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  10. "Reliving the historic temple entry". The Hindu. 9 July 2013. મેળવેલ 7 May 2014. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  11. Rajendra Kumar Sharma (1997). Rural Sociology. Atlantic Publishers & Dist. p. 172. ISBN 978-81-7156-671-6.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]