લખાણ પર જાઓ

કબા ગાંધીનો ડેલો

વિકિપીડિયામાંથી
કબા ગાંધીનો ડેલો
પ્રવેશદ્વાર
નકશો
સ્થાનરાજકોટ, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ22°17′49″N 70°48′18″E / 22.297066667°N 70.804997222°E / 22.297066667; 70.804997222Coordinates: 22°17′49″N 70°48′18″E / 22.297066667°N 70.804997222°E / 22.297066667; 70.804997222
પ્રકારસંગ્રહાલય
સંગ્રહમહાત્મા ગાંધીની તસવીરો, વસ્તુઓ, સામાન
માલિકગાંધી સ્મૃતિ ટ્રસ્ટ
ઇમારતની વિગતો
નકશો
અન્ય નામોગાંધી સ્મૃતિ
સામાન્ય માહિતી
પ્રકારહવેલી
સ્થાપત્ય શૈલીસૌરાષ્ટ્રીયન સ્થાપત્ય
તકનિકી માહિતી
માળની સંખ્યા
માળ વિસ્તાર400 square yards (330 m2)

કબા ગાંધીનો ડેલો એ ભારતના ગુજરાત રાજ્યમાં રાજકોટ શહેરમાં આવેલું એક મકાન છે. આ ઘર ભારતીય નેતા મહાત્મા ગાંધીનું ૧૮૮૧થી ૧૯૧૫ સુધી મુખ્ય કુટુંબ નિવાસ હતું. તે પરંપરાગત સૌરાષ્ટ્રીયન સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યું છે અને વર્તમાનમાં ગાંધી સ્મૃતિ નામના કાયમી પ્રદર્શનમાં પરિવર્તીત કરવામાં આવ્યું છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી કબા ગાંધી તરીકે પ્રખ્યાત હતા અને તેથી તેમનું ઘર કબા ગાંધીનો ડેલો તરીકે ઓળખાતું હતું. કબા ગાંધી પોરબંદરના વતની હતા અને ૧૮૭૪માં જ્યારે તેઓ રાજકોટ રાજ્યના દિવાન તરીકે નિયુક્ત થયા ત્યારે તેઓ રાજકોટ આવ્યા હતા. પરિવાર બે વર્ષ બાદ રાજકોટ આવ્યો હતો. રાજકોટ રાજ્યએ તેમને ૧૮૮૦ની શરૂઆતમાં ૪૦૦ વાર જમીન આપેલી જ્યાં તેમણે ઘર બંધાવ્યું અને પરિવાર ૧૮૮૧માં ભાડાના મકાનમાંથી નવા મકાનમાં રહેવા ગયો. જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે મહાત્મા ગાંધી ૧૨ વર્ષના હતા. ૧૮૮૧થી ૧૮૮૭ દરમિયાન તેઓ આ ઘરમાં રહ્યા હતા જે ગાળામાં તેમણે કસ્તુરબા સાથે લગ્ન કર્યા અને તેમના મોટા પુત્રો હરિલાલ અને મણિલાલનો જન્મ થયો.[૧][૨][૩][૪] કબા ગાંધી ૧૮૮૫માં મૃત્યુ પામ્યા હતા.[૫] ગાંધીજી લંડન અને દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા તે વર્ષો દરમિયાન પણ આ ઘર ૧૯૧૫ સુધી ગાંધી પરિવારનું મુખ્ય નિવાસ રહ્યું હતું. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા પછી તેમણે અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી.[૬][૭]

ગાંધી પરિવારે ૧૯૨૦માં આ ઘર વેચી દીધું હતું. ભારતની આઝાદી પછી, સૌરાષ્ટ્ર રાજ્ય સરકારે તેને ૧૯૪૮માં તે વખતના માલિક પાસેથી ખરીદ્યું હતું. ૧૯૬૯માં ગાંધી જન્મ શતાબ્દી પર તેને ગાંધી સ્મૃતિ ટ્રસ્ટને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા વર્ષો સુધી પુતળીબા ઉદ્યોગમંદિર ટ્રસ્ટ અહીં શૈક્ષણિક અને સીવણ વર્ગો ચલાવતું હતું. તેમાં હવે કાયમી પ્રદર્શન છે, જે ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાય છે.[૧][૨][૮]

સ્થાપત્ય

[ફેરફાર કરો]
ઘરમાં પ્રદર્શિત ચિત્રો

આ હવેલીનું નિર્માણ પરંપરાગત સૌરાષ્ટ્રીયન (કાઠિયાવાડી) સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે, જેમાં એક કમાનવાળું પ્રવેશદ્વાર છે, જે ઓરડાઓથી ઘેરાયેલા આંગણા તરફ દોરી જાય છે.[૨][૩][૯] [૪] ઘરનું સરનામું ૮, કડિયા નવલાઈન છે. તે લાખાજીરાજ રોડ પર અને ઘીકાંટા રોડ પર સ્થિત છે.[૧][૨]

મકાનને બે માળ છે.[૫] તે સફેદ અને પીળું રંગવામાં આવ્યું છે. આ ઘર નજીકની દુકાનો અને અન્ય દરવાજાની સરખામણીમાં મોટો દરવાજો ધરાવે છે. ઘરમાં નવ ઓરડા અને આંગણાને અડીને રસોડું છે. હવે ઘરમાં એક કાયમી ચિત્ર પ્રદર્શન છે જેમાં મહાત્મા ગાંધીની છબીઓ, ચિત્રો, વસ્તુઓ અને સામાન પ્રદર્શિત છે.[૧][૨][૯] આંગણામાં હેન્ડપંપ છે.[૩]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Know Your City: Gandhi's family house which witnessed his transformation from 'Mohan to Mahatma'". The Indian Express (અંગ્રેજીમાં). 2024-07-14. મેળવેલ 2024-07-15.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Kaba Gandhi No Delo". gujrattourism (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 27 February 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-07-15.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Masoodi, Ashwaq (2018-10-02). "Searching for Gandhi". Live Mint. મૂળ માંથી 8 February 2023 પર સંગ્રહિત. મેળવેલ 15 July 2024.
  4. ૪.૦ ૪.૧ Guha, Ramachandra (2016-11-09). Gandhi before India (અંગ્રેજીમાં). Random House Publishers India Pvt. Limited. પૃષ્ઠ 35–36. ISBN 978-93-5118-322-8.
  5. ૫.૦ ૫.૧ Guha, Ramachandra (2018-11-30). Gandhi: Lawyer or Loyalist (Penguin Petit) (અંગ્રેજીમાં). Penguin Random House India Private Limited. ISBN 978-93-5305-429-8.
  6. "Kaba Gandhi No Delo, Rajkot". મૂળ માંથી 12 December 2010 પર સંગ્રહિત.
  7. On the Salt March: the historiography of Gandhi's march to Dandi by Thomas Weber. HarperCollins Publishers India, 1997. ISBN 978-81-7223-263-4.
  8. Shyam Singh Shashi (1996). Encyclopaedia Indica: India, Pakistan, Bangladesh, Volume 100. Anmol Publications. ISBN 978-81-7041-859-7.
  9. ૯.૦ ૯.૧ Joshua, Benny (2017-06-17). "Rajkot: A Laidback Gem". Outlook India (અંગ્રેજીમાં). મેળવેલ 2024-07-16.