ગોપીનાથ બોરદોલોઈ
ગોપીનાથ બોરદોલોઈ | |
---|---|
![]() | |
જન્મ | ૬ જૂન ૧૮૯૦ ![]() |
મૃત્યુ | ૫ ઓગસ્ટ ૧૯૫૦ ![]() |
અભ્યાસનું સ્થળ | કોલકાતા વિશ્વવિદ્યાલય, Scottish Church College ![]() |
પદ | Member of the Advisory Committee of the Constituent Assembly of India (૧૯૪૭–) ![]() |
ગોપીનાથ બોરદોલોઈ (હિંદી: गोपीनाथ बोरदोलोई) (૧૮૯૦ - ૧૯૫૦) સ્વાતંત્ર્ય સેનાની અને આસામના પ્રથમ મુખ્યમંત્રી હતા.
ભારત દેશને સ્વતંત્રતા મળ્યા પછી એમણે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે નજીક રહીને કાર્ય કર્યાં હતાં. એમનાં યોગદાનોના કારણે આસામ, ચીન તથા પૂર્વ પાકિસ્તાન સાથે જોડાવાથી બચી જઇને ભારત દેશનો હિસ્સો બની શક્યું હતું. તેઓ બ્રિટિશ શાસનના સમયમાં ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૮ થી ૧૭ નવેમ્બર, ૧૯૩૯ સુધી આસામ પ્રાંતના મુખ્યમંત્રી રહ્યા હતા.
બાળપણ[ફેરફાર કરો]
એમનો જન્મ આસામ પ્રાંતમાં આવેલા રોહા ખાતે ૬ જૂન, ૧૮૯૦ના રોજ થયો હતો. એમના પિતાનું નામ બુદ્ધેશ્વર બોરદોલાઈ અને માતાનું નામ પરમેશ્વરી બોરદોલાઈ હતું. ગોપીનાથ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે જ એમનાં માતાનું અવસાન થયું હતું.
શિક્ષણ[ફેરફાર કરો]
ગોપીનાથ બોરદોલાઈ મેટ્રિક પાસ કર્યા બાદ ઈ. સ. ૧૯૦૭માં કોટન કોલેજમાં જોડાયા હતા. અહીંથી ઇ. સ. ૧૯૦૯માં એમણે 'આઇ. એ.' પરીક્ષા પ્રથમ વર્ગ મેળવી ઉત્તીર્ણ કરી હતી. ત્યારબાદ એમણે સ્કોટીશ ચર્ચ કોલેજ, કોલકાતા ખાતે પ્રવેશ મેળવ્યો હતો અને અહીંથી ઇ. સ. ૧૯૧૧માં તેઓ સ્નાતક થયા હતા. ત્યાર પછી ઇ.સ. ૧૯૧૪માં કલકત્તા યુનિ.માંથી એમણે અનુસ્નાતકની ઉપાધિ મેળવી હતી. આ પછી એમણે વકીલાત માટેના શિક્ષણ મેળવવાનું શરુ ર્ક્યું હતું. અહીંથી તેઓ સંજોગવસાત ત્રણ વર્ષ પછી બાકીનો અભ્યાસ અધૂરો છોડી આસામ પરત થયા હતા.
સન્માન[ફેરફાર કરો]
એમને ઇ.સ. ૧૯૯૯માં ભારત રત્ન પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
અવસાન[ફેરફાર કરો]
આસામના આ લોકપ્રિય નેતાનું અવસાન પાંચમી ઓગસ્ટ, ૧૯૫૦ના રોજ થયું હતું.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- ભારતીય વિમાનપતન પ્રાધિકરણ (એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા)ની વેબસાઇટ પર લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ વિમાનમથક, ગૌહત્તી વિશે માહિતી
- ગોપીનાથ બોરદોલોઇ વિશે આસામ પોર્ટલ પર માહિતી
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |