નાનાજી દેશમુખ
ભારત રત્ન રાષ્ટ્ર ઋષિ નાનાજી દેશમુખ | |
|---|---|
૨૦૧૭ની ભારતીય ટપાલ ટિકિટ પર નાનાજી | |
| સંસદીય સભ્ય, લોક સભા | |
| પદ પર ૧૯૭૭ – ૧૯૭૯[૧] | |
| પુરોગામી | ચંદ્રભાણ મણી તિવારી |
| અનુગામી | ચંદ્રભાણ મણી તિવારી |
| બેઠક | બલરામપુર સંસદીય ક્ષેત્ર્, ઉત્તર પ્રદેશ |
| રાજ્ય સભા | |
| પદ પર ૧૯૯૯ – ૨૦૦૫ | |
| બેઠક | નિયુક્ત |
| અંગત વિગતો | |
| જન્મ | ચંડીકાદાસ અમ્રુતરાવ દેશમુખ ૧૧ ઓક્ટોબર ૧૯૧૬ કડોલી, પરભણી જિલ્લો, હૈદરાબાદ રાજ્ય બ્રિટીશ ભારત વર્તમાન: કડોલી, હિંગોલી જીલ્લો, મહારાષ્ટ્ર, ભારત) |
| મૃત્યુ | ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૦ (ઉંમર 93) ચિત્રકૂટ, સતના જીલ્લો, મધ્ય પ્રદેશ, ભારત |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| રાજકીય પક્ષ | ભારતીય જનસંઘ |
| માતૃ શિક્ષણસંસ્થા | બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, પિલાની |
| પુરસ્કારો | |
નાનાજી દેશમુખ (૧૧ ઓક્ટોબર ૧૯૧૬ - ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૦) તરીકે જાણીતા ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ ભારતના સમાજ સુધારક અને રાજકારણી હતા. તેમણે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ સ્વાવલંબનના ક્ષેત્રોમાં કામ કર્યું હતું. તેમને ભારત સરકાર દ્વારા ૨૦૧૯માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મરણોપરાંત એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ભારતીય જનસંઘના નેતા હતા અને રાજ્યસભાના સભ્ય પણ હતા.[૨]
બાળપણ અને શિક્ષણ
[ફેરફાર કરો]નાનાજીનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૧૬ના રોજ મહારાષ્ટ્રના હીંગોલી જીલ્લાના કંડોલી ગામમાં એક મરાઠીભાષી કુટુંબમાં થયો હતો. તેમણે શાળાકીય શિક્ષણ સીકર અને કોલેજનું શિક્ષણ બિરલા કોલેજ (હાલની બીટસ ,પિલાની)માં લીધું હતું. કોલેજનું શિક્ષણ સમાપ્ત કરીને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઇને ઉત્તર પ્રદેશના ગોરખપુર જીલ્લામાં પૂર્ણ સમયના પ્રચારક નિયુક્ત થયા હતા.
સંઘપ્રચારક તરીકેની કારકિર્દી
[ફેરફાર કરો]રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. હેડગેવાર સાથેના નિકટના સંબધોને કારણે નાની ઉંમરથી દેશસેવા અને સમાજસેવામાં રસ ધરાવતા હતા. ૧૯૪૦માં પોતાનો કોલેજનો અભ્યાસ પુરો કરીને ઉત્તર પ્રદેશના ગોરખપુર જીલ્લામાં પ્રચારક બનીને સમાજસેવાનું અને સંઘનું પ્રચાર કાર્ય શરુ કર્યુ હતું. નાનાજી અને અન્ય સ્વયંસેવકોના પ્રયાસોથી ગોરખપુર જીલ્લામાં ૨૫૦થી પણ વધારે શાખાઓ ખોલી હતી આ ઉપરાંત સૌપ્રથમ સરસ્વતી શિશુ મંદિરની પણ તેમણે સ્થાપના કરી હતી. ૧૯૪૭ બાદ તેઓ સંઘના મુખપત્ર રાષ્ટ્ર્ધર્મ અને પાંચજન્યજેવા સામયિકોમાં મેનેજીંગ તંત્રીની નિમણૂક પામ્યા હતા.
રાજકીય કારકિર્દી
[ફેરફાર કરો]૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના બાદ નાનાજીની ઉત્તર પ્રદેશના રાજ્ય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ૧૯૬૭ની વિધાનસભાની ચૂંટણી બાદ નાનાજીના પ્રયત્નોથી જનસંઘ ડૉ. રામ મનોહર લોહીયાની આગેવાની હેઠળ રાજ્યની સૌપ્રથમ બિનકોંગ્રેસી સંયુક્ત વિધાયક દળની સરકાર બનાવવામાં સફળ રહ્યું હતું. ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં નાનાજી નવનિર્મિત જનતા પક્ષના નેજા હેઠળ બલરામપુર મતવિસ્તારમાંથી સૌપ્રથમ વખતે સંસદ સભ્ય ચૂંટાયા હતા. ૧૯૯૯માં તત્કાલીન રાષ્ટ્રીય જનતાંત્રિક જોડાણની સરકારે તેમને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતા.
સમાજસેવા
[ફેરફાર કરો]નાનાજી ૧૯૮૦ની સાલમાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈને પૂર્ણ સમય માટે સમાજસેવાના કાર્યમાં જોડાયા હતા. નાનાજીએ કૃષિ,કુટીર ઉદ્યોગ, આરોગ્ય અને ગ્રામીણ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું હતું. સમાજસેવાના ભાગરુપે તેઓ મંથનસામયિકનું પ્રકાશન કરતા હતા. નાનાજી દ્વારા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ૫૦૦ જેટલા ગામોમાં સામાજીક ઘડતરનું કાર્ય કર્યું હતું. નાનાજીએ ચિત્રકૂટમાં ચિત્રકૂટ ગ્રામોદય વિદ્યાલયની સ્થાપના કરી હતી. આ ઉપરાંત બૂંદેલખંડ વિસ્તારના ૧૫૦થી વધારે ગામડાઓમાં એકાત્મ માનવવાદનો પ્રચાર કર્યો હતો. સમાજસેવાના આ પ્રયાસો બદલ ભારત સરકાર ધ્વારા ૧૯૯૯માં પદ્મ વિભૂષણ અને ૨૦૧૯માં દેશનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્નનો ઇલ્કાબ મરણોત્તર આપવામાં આવ્યો હતો.
મૃત્યુ
[ફેરફાર કરો]નાનાજીનું મૃત્યુ ૨૭મી ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ ચિત્રકૂટ ખાતે થયું હતું. તેમના અંતિમ સંસ્કાર તેઓની ઇચ્છા અનુસાર દેહ દાન કરીને કરવામાં આવ્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Lok Sabha condoles Nanaji Deshmukh's death. The Hindustantimes. મેળવેલ 10 March 2010.
{{cite book}}: Check date values in:|access-date=(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "Who was Nanaji Deshmukh?". The Indian Express. મેળવેલ 11 October 2017.
{{cite news}}: Check date values in:|access-date=(મદદ)