સચિન તેંડુલકર

વિકિપીડિયામાંથી
સચિન તેંડુલકર
અંગત માહિતી
પુરું નામસચિન રમેશ તેંદુલકર
હુલામણું નામલીટલ માસ્ટર, તેન્ડીયા,[૧] માસ્ટર બ્લાસ્ટર,[૨] ધ માસ્ટર,[૩][૪] ધ લીટલ ચેમ્પિયન[૫]
ઉંચાઇ5 ft 5 in (1.65 m)
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીRight-arm leg spin / Right-arm off spin
ભાગBatsman
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap ૧૮૭)૧૫ નવેમ્બર ૧૯૮૯ v પાકિસ્તાન
છેલ્લી ટેસ્ટ૧૪ નવેમ્બર ૨૦૧૩ v વેસ્ટ ઇન્ડીઝ
ODI debut (cap ૭૪)૧૮ ડિસેમ્બર ૧૯૮૯ v પાકિસ્તાન
છેલ્લી એકદિવસીય૮ નવેમ્બર ૨૦૦૯ v ઓસ્ટ્રેલિયા
એકદિવસીય શર્ટ ક્રમાંક૧૦
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૮૮–૨૦૧૩મુંબઈ
૨૦૦૮-૨૦૧૩મુંબઈ ઈન્ડિયન્સ (ઈંડીયન પ્રિમિયર લીગ)
૧૯૯૨યોર્કશાયર
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ વન ડે પ્રથમ શ્રેણી એલ એ
મેચ ૧૯૨ ૪૩૯ ૨૬૪ ૫૨૩
નોંધાવેલા રન ૧૨,૯૭૦ ૧૭,૩૮૬ ૨૧,૮૫૯ ૨૦,૭૩૦
બેટિંગ સરેરાશ ૫૪.૭૨ ૪૪.૮૦ ૫૮.૭૬ ૪૫.૩૬
૧૦૦/૫૦ ૪૩/૫૪ ૪૫/૯૩ ૭૦/૧૦૦ ૫૬/૧૦૯
ઉચ્ચ સ્કોર ૨૪૮* ૧૮૬* ૨૪૮* ૧૮૬*
નાંખેલા બોલ ૩,૯૮૨ ૮,૦૨૦ ૭,૩૪૭ ૧૦,૧૯૬
વિકેટો ૪૪ ૧૫૪ ૬૯ ૨૦૧
બોલીંગ સરેરાશ ૫૨.૨૨ ૪૪.૨૬ ૬૦.૭૨ ૪૨.૦૧
ઇનિંગમાં ૫ વિકેટો
મેચમાં ૧૦ વિકેટો
શ્રેષ્ઠ બોલીંગ ૩/૧૦ ૫/૩૨ ૩/૧૦ ૫/૩૨
કેચ/સ્ટમ્પિંગ ૧૦૪/– ૧૩૨/– ૧૭૨/– ૧૬૭/–
Source: CricketArchive, માર્ચ ૩૧ ૨૦૦૯

સચિન રમેશ તેંડુલકર (મુંબઈ ખાતે, જન્મ ૨૪ એપ્રિલ ૧૯૭૩) એ ભારતીય ક્રિકેટર છે જે ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ છે. તે ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુખ્ય રન-સ્કોરર તેમજ સદી કરનાર છે. ૨૦૦૨માં વિઝડને સચિનને ટેસ્ટ ક્રિકેટમાં સર ડોનાલ્ડ બ્રેડમેન બાદ બીજા ક્રમના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન અને એક દિવસીય મેચોમાં સર વિવિયન રિચાર્ડ્સ બાદ બીજા ક્રમના સૌથી મહાન બેટ્સમેન ગણાવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ને તેંડુલકરને તેમની જોડે તેમજ તેમની સામે રમેલ સૌથી મહાન ખેલાડી તરીકે ઓળખાવ્યા હતા.[૬] તેંડુલકર એ વર્તમાન પેઢીના એક માત્ર ખેલાડી છે જેમને બ્રેડમેન ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે ઘણીવાર લિટલ માસ્ટર કે માસ્ટર બ્લાસ્ટરના નામથી પણ ઓળખાય છે. સચિન તેંડુલકર કુલ છ ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમમાં સામેલ હતા, જે પૈકી ૨૦૧૧ના વિશ્વકપની વિજેતા ભારતીય ટીમનો પણ સમાવેશ થાય છે.[૭]. આ ઉપરાંત તેમને સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલ ૨૦૦૩ના વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.

તેંડુલકર ટેસ્ટ મેચ અને વનડે બંનેમાં સૌથી વધુ રન નોંધવાનારો ખેલાડી છે અને બન્ને પ્રકારની રમતોમાં સૌથી વધુ સદી ફટકારવાનો પણ વિક્રમ ધરાવે છે. તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારવાવાળો પ્રથમ ખેલાડી છે, તેમજ ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો વિક્રમ ધરાવે છે.

૨૦ નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેંડુલકરે 30,000 રન પુરા કર્યાં. ૧૭ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ જ્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવવાના બ્રાયન લારા ના વિક્રમને પાર કર્યો ત્યારે તે આ પ્રકારની રમતમાં ૧૨૦૦૦ રન પૂર્ણ કરનારો પ્રથમ બેટ્સમેન બન્યો. તેમજ ટેસ્ટ ક્રિકેટમાં ૧૧૦૦૦ રન પાર કરનાર ત્રીજો બેટ્સમેન અને પ્રથમ ભારતીય છે. આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં ૧૦૦૦૦ રન પૂર્ણ કરનારા તેઓ પ્રથમ ખેલાડી હતા અને વનડે ક્રિકેટના ઇતિહાસમાં અનુગામી પ્રત્યેક ૧૦૦૦૦ રનના સિમાચિહ્નનને પાર કરનારા પણ તેઓ પ્રથમ બેટ્સમેન હતા. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૫૦ રનના આંકને સૌથી વધુ વખત પાર કરવાના ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરના વિક્રમને પાર કરી દીધો હતો અને ઓસ્ટ્રેલિયા સામે ૧૦ ટેસ્ટ શતકો નોંધાવવાના ૭૦ વર્ષથી વધુ જૂના ઇંગ્લેન્ડના સર જેક હોબ્સના વિક્રમની બરોબરી કરી હતી. તેંડુલકરને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ અને ભારતના ખેલ ક્ષેત્રે અપાતા સૌથી ઉચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.

ડિસેમ્બર ૨૦૧૨માં તેંડુલકરે આંતર્રાષ્ટ્રીય એકદિવસીય ક્રિકેટ મેચોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.[૮] તેણે ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચોમાંથી ઓક્ટોબર ૨૦૧૩માં નિવૃત્તિ લીધી,[૯] અને એજ રીતે સમગ્ર ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી,[૧૦] જે મુજબ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ સામે છેલ્લી ટેસ્ટ મેચ તે ૧૬ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમ્યો.[૧૧][૧૨] તેંડુલકર તેની સમગ્ર કારકિર્દી દરમ્યાન ૬૬૪ આંતર્રાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમ્યો અને કુલ ૩૪,૩૫૭ રન કર્યા.[૧૩]

શરૂઆતનાં વર્ષો અને વ્યક્તિગત જીવન

તેંડુલકરનો જન્મ ૨૪ એપ્રિલ ૧૯૭૩ના રોજ બોમ્બે (હાલના મુંબઈ) ખાતે રાજાપુર સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. [૧૪][૧૫][૧૬] એવા તેમના પિતા રમેશ તેંડુલકર મરાઠી નવલકથાકાર હતા અને તેમણે તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી સચિન નામ પાડ્યું હતું.[૧૭] તેંડુલકરના મોટા ભાઈ અજીતે તેમને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. આ ઉપરાંત સચિનને નીતિન નામે એક ભાઈ અને સવિતાઇ નામે એક બહેન હતા.તેમણે સાહિત્ય સહવાસ સહકારી હાઉસિંગ સોસાયટી, બાન્દ્રા (પૂર્વ), મુંબઈ માં પોતાના શરૂઆતના વર્ષો ગાળ્યા.તેમણે જહોન મેકએનોરે ને આદર્શ ગણી ટેનિસમાં રૂચિ દેખાડી હતી.[૧૮]

તેંડુલકર શારદાશ્રમ વિદ્યામંદિર માં (હાઇસ્કૂલ) અભ્યાસ કરતા હતા, જ્યાં તેમણે કોચ અને ગુરૂ રમાકાન્ત આચરેકર ના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી. શાળા ના દિવસો દરમિયાન તેમણે ઝડપી ગોલંદાજ ની તાલિમ લેવા માટે એમઆરએફ પેસ ફાઉન્ડેશન માં જોડાયા હતા,પરંતુ 3૫૫ ટેસ્ટ વિકેટો નો વિક્રમ ધરાવનારા ડેનિસ લિલી પર તેઓ અસર ઉપજાવી શક્યા ન હતા અને લિલી એ તેમને બેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.

તેંડુલકર જ્યારે યુવા વય ના હતા ત્યારે તેઓ નેટ્સ માં કલાકો સુધી પ્રેક્ટિસ કરતા. જો એ થાકી જાય તો આચરેકર એક રૂપિયા નો સિક્કો સ્ટમ્પ ના ટોચ પર મુકતા, અને જે ગોલંદાજ તેંડુલકર ને આઉટ કરે તેને તે સિક્કો મળતો. જો તેડુંલકર આઉટ થયા વગર બધા જ રાઉન્ડ પાસ કરે તો તે સિક્કો કોચ તેને આપતા. તેડુંલકર તેવા જીતેલા ૧૩ સિક્કાને પોતાની કીમતી સંપત્તિ માને છે.

શાળા માં તેઓ અસાધારણ પ્રતિભા ધરાવતા બાળક તરીકે નામના ધરાવતા હતા. મુંબઇ ના વર્તુળો માં તેઓ વાતચીત નો એક સામાન્ય મુદ્દો બની ગયા હતા. લોકો અગાઉ થી એવું માનતા કે ભવિષ્ય માં તેઓ મહાન ખેલાડી બનશે. વર્ષ ૧૯૮૮ તેંડુલકર માટે અસામાન્ય રહ્યું હતું. જેમાં તેમણે રમેલી દરેક ઇનિંગ્સ માં સદી ફટકારી હતી. ૧૯૮૮ માં લોર્ડ હેરિસ શીલ્ડ ઇન્ટર-સ્કૂલ મેચ માં નોંધાયેલી ૬૬૪ રન ની અખંડિત ભાગીદારી માં તેંડુલકર અને તેમના મિત્ર અને ટીમ ના સાથી વિનોદ કામ્બલી સંકળાયેલા હતા. કામ્બલી એ પણ ભારતીય ટીમનું પ્રતિનીધિત્વ કર્યુ હતું. આ આક્રમક જોડીએ એક બોલર ને રડાવી દીધો હતો અને વિરોધી ટીમ ને રમત બંધ કરવા પર મજબૂર બનાવી દીધી હતી. તેંડુલકરે તે ઇનિંગ્સ માં 3૨૬* તેમજ તે ટુર્નામેન્ટ માં એક હજાર ઉપર રન કર્યાં હતા. ૨૦૦૬ સુધી આ ભાગીદારી ક્રિકેટ ના કોઇ પણ સ્વરૂપ ની સૌથી મોટી હતી. ભારત ના હૈદરાબાદ ખાતે યોજાયેલી એક મેચ માં અંડર-૨૩ ની જોડી એ આ વિક્રમ તોડ્યો હતો.

તેઓ જ્યારે ૧૪ વર્ષ ના હતા ત્યારે ભારત ના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે તેમના પોતાના અલ્ટ્રા લાઇટ પેડ્સ ની એક જોડી તેને આપી હતી. આ ઘટના ના ૨૦ વર્ષ પછી ગાવસ્કર નો ૩૪ ટેસ્ટ સદીઓ ફટકારવા નો વિશ્વ વિક્રમ તોડ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તે મારા માટે સૌથી મોટી પ્રોત્સાહક પળ હતી. ૧૯૯૫ માં સચિન તેંડુલકર પિડીયાટ્રિશીયન અને ગુજરાતી ઉદ્યોગપતિ આનંદ મહેતા ની દિકરી અંજલી ને (જન્મ ૧૦ નવેમ્બર, ૧૯૬૭) પરણ્યા હતા. તેઓના બે બાળકો છે, સારા (જન્મ ૧૨ ઓક્ટોબર, ૧૯૯૭)અને અર્જુન (જન્મ ૨૪ સપ્ટેમ્બર, ૧૯૯૯).

તેંડુલકર તેમના સાસુ અન્નાબેન મહેતા સાથે જોડાયેલા મુંબઇ સ્થિત એનજીઓ અપનાલય દ્વારા દર વર્ષે ૨૦૦ અસંસ્કૃત બાળકોને સ્પોન્સર કરે છે.

શરૂઆતની રાષ્ટ્રીય કારકિર્દી

ડીસેમ્બર ૧૧, ૧૯૮૮, ના રોજ માત્ર ૧૫ વર્ષ અને ૨૩૨ દિવસ ના તેંડુલકરે પોતાની પ્રથમ ગુજરાત સામેની બોમ્બે ની મેચ માં અણનમ ૧00 રન બનાવ્યા, જેણે તેને પ્રથમ શ્રેણી ના સૌથી નાની ઉંમરનો સદી ફટકારનાર બનાવ્યો. જેના પછી તેમણે તેમની પ્રથમ દેઓધર એન્ડ દુલીપ ટ્રોફી માં પણ સદી ફટકારી.. મુંબઈ ના કેપ્ટન દિલીપ વેન્ગસરકારે તેને નેટ માં કપિલ દેવ સાથે રમતા જોઈ ને સિલેક્ટ કર્યો. ,અને બોમ્બે ના સૌથી વધારે રન સાથે શ્રેણી સમાપ્ત કરી. તેણે ઈરાની ટ્રોફી ફાઈનલ માં અદ્વિતીય સદી ફટકારી હતી, અને તે પછી ના વર્ષે ફક્ત એક પ્રથમ શ્રેણી ની સીઝન પછી પાકિસ્તાન ટુર માટે ચૂંટાયો હતો.

તેમણે કારકિર્દી ની પ્રથમ બેવડી સદી ૧૯૯૮ માં બ્રેબોર્ન સ્ટેડીમ ખાતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુંબઇ માટે ફટકારી હતી. તેંડુલકર એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઇરાની ટ્રોફી ની કારકિર્દી ની પ્રથમ મેચ માં જ સદી ફટકારી હોય.

૧૯૯૨ મા ૧૯ વર્ષ ની ઉંમરે તેંડુલકર યોર્કશાયર નું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો. તેંડુલકરે દેશ માટે ૧૬ પ્રથમ શ્રેણી ની મેચ રમી ને ૧૦૭૦ રન ૪૬.૫૨ ની એવરેજ થી કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય કારકિર્દી

શરૂઆત ની કારકિર્દી

તેંડુલકરે તેમની પ્રથમ ટેસ્ટ મેચ ૧૯૮૯ માં 16 વરસ ની ઉંમરે પાકિસ્તાન સામે કરાચીમાં રમી હતી. આ જ મેચ માં ક્રિકેટ માં પ્રવેશ કરનારા વકાર યુનિસ ની બોલિંગ માં તેઓ ૧૫ રન બનાવી આઉટ થયા હતા,પરંતુ પાકિસ્તાન ના બોલિંગ આક્રમણ દરમિયાન તેમના શરીર પર કરવા માં આવેલા પ્રહારો વિરૂદ્ધ નોંધપાત્ર રીતે પોતાની જાતને સંભાળી હતી. સીઆલકોટ ની ફાઈનલ મેચ માં એક બાઉન્સર બોલ તેમના નાક પર વાગતા તેમને નાક માંથી લોહી નીકળ્યું હતું છતાં તેમને સારવાર લેવાની ના પાડી ને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. પેશાવર માં ૨૦ ઓવર ની પ્રદર્શન રમત માં, તેંડુલકરે ૧૮ બોલ માં ૫૩ રન ફટકાર્યા જેમાં અબ્દુલ કાદિર ની એક ઓવર પણ સામેલ છે જેમાં તેમણે ૨૮ રન ફટકાર્યા. જેના પર પાછળ થી ભારતીય કેપ્ટન ક્રીસ શ્રીકાંત નું કેહવું હતું કે આ અત્યાર સુધી ની સર્વોત્તમ શ્રેણી માં ની એક છે. બધા માં, તેમણે ટેસ્ટ શ્રેણી માં ૨૧૫ રન ૩૫.૮૩ ની એવરેજ થી કર્યા, અને એક પણ રન કર્યા વગર એક માત્ર એક દિવસીય આંતરરાષ્ટ્રીય માં થી આઉટ થયી ગયા.

આ શ્રેણી પછી તેમણે ન્યુઝીલેન્ડ માં ૮૮ ની બીજી ટેસ્ટ શ્રેણી સાથે ૨૯.૨૫ ની એવરેજ થી ૧૧૭ રન ફટકાર્યા. તેમાં તે બે એક દિવસીય મેચ રમ્યા જે માંથી એક માં તે એક પણ રન કર્યા વગર ડીસમીસ થઇ ગયા અને બીજા માં 36 રન કર્યા હતા. તેમની તે પછી ની ૧૯૯૦ ની ઇંગ્લેન્ડ ટુર માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ૧૧૯* રન મારી ને તે બીજા સૌથી યુવાન ક્રિકેટર બની ગયા.વિઝડને તે શ્રેણી માટે જણાવ્યું "બહુ પરિપક્વતા નું એક અનુંસાસિત પ્રદર્શન" અને લખ્યું: તેંડુલકરે ૧૯૯૧-૧૯૯૨ ની ઓસ્ટ્રેલિયા ની ટુર વખતે વધુ વિકાસ કર્યો જયારે તેણે સિડની માં પર્થ ની બાઉન્સિંગ પીચ પર અજોડ 148 ફટકાર્યા. આ સમયે મર્વ હ્યુજીસે [[એલન બોર્ડરને[[]]]] કહ્યું હતું કે આ નાનો છોકરડો તારા કરતા વધુ રન બનાવશે, એબી.

રેન્કમાં સુધારો

સચિન તેંડુલકર બોલરના છેડા તરફ રાહ જોતા

૧૯૯૪-૧૯૯૯ ના વર્ષો દરમિયાન તેંડુલકર નો દેખાવ તેના શારિરીક વિકાસ ની સાથે ઝડપથી વિકાસ પામતો હતો. ૧૯૯૪ માં હિંદુઓ ના તહેવાર હોળી ના દિવસે તેંડુલકરને ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ઇનિંગ્સ ની શરૂઆત કરવાનું કહેવા માં આવ્યું. તેમણે ફક્ત ૪૯ બોલમાં ૮૨ રન બનાવ્યા. તેમણે શ્રીલંકા ના કોલમ્બો ખાતે ઓસ્ટ્રેલિયા સામે સપ્ટેમ્બર ૯, ૧૯૯૪ ના રોજ પ્રથમ વનડે સદી નોંધાવી હતી. તેમણે ૭૯ વનડે મેચો બાદ સદી નોંધાવી હતી.

૧૯૯૬ માં પાકિસ્તાન સામે શારજાહ માં ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન એક દુર્બળ વખત માંથી પસાર થઇ રહ્યા હતા. તેંડુલકર અને નવજોત સિંઘ સિદ્ધુએ સદીઓ ફટકારી બીજી વિકેટ માટે વિક્રમજનક ભાગીદારી નોંધાવી હતી. આઉટ થયા બાદ, તેંડુલકરે અઝરુદ્દીનને બેટિંગ અંગે દ્વિધા માં પડેલો જોયો. તેંડુલકરે અઝરુદ્દીન ને બેટિંગ માટે પ્રોત્સાહન આપ્યું અને અઝરુદ્દીને ફક્ત ૧૦ બોલમાં જ ૨૯ રન ફટકારી દીધા. તેને પગલે ભારતે પ્રથમ વખત ૩૦૦ થી વધુનો સ્કોર બનાવ્યો. આ મેચમાં ભારતે જીત મેળવી હતી.

૧૯૯૬ ના ક્રિકેટ વિશ્વ કપ માં બે સદીઓ અને ટોચ ની બેટિંગ સરેરાશ સાથે તેંડુલકરે ટુર્નામેન્ટ માં સૌથી વધુ રન બનાવ્યા અને ક્રિકેટ વિશ્વ માં તેમની વૃદ્ધિ સતત થતી રહી. તે વિશ્વકપ ની ઓછી જાણીતી સેમિફાઇનલ માં સારો દેખાવ કરનારા તે એકમાત્ર બેટ્સમેન હતા. જ્યારે તેંડુલકર ની વિકેટ પડી ત્યારબાદ બધા જ ખેલાડીઓ ના પતન ની શરૂઆત થઇ ગઇ અને પરિણામે ભારતે હારનો સામનો કરવો પડ્યો અને તેને પગલે પ્રેક્ષકોએ હુરિયો બોલાવી વિરોધ નોંધાવ્યો.

૧૯૯૮ માં ઓસ્ટ્રેલિયા ના પ્રવાસ દરમિયાન તેંડુલકરે સતત 3 સદી ફટકારતા બેટિંગ વિશ્વના ટોચ ના સ્થાન ના સમયગાળા ની તે શરૂઆત હતી. ઓસ્ટ્રેલિયા ના સ્પીનરો શેન વોર્ન અને ગેવિન રોબર્ટ્સન સામે આક્રમક વલણ અપનાવવા ના અગાઉથી કરાયેલા આયોજન તેની એક ઓળખ છે, જેમની સામે તેઓ હંમેશા ઉંચા ફટકા મારતા. આ આયોજન કામ કરી જતા ભારતે ઓસ્ટ્રેલિયા ને હરાવી દીધું. આ ટેસ્ટ મેચ ની સફળતા બાદ શારજાહ ખાતે તેમણે બે ઝમકદાર ઇનિંગ્સ રમી, જેમાં તેમણે જીતવી જ પડે તેવી મેચો માં સતત બે સદીઓ નોંધાવી અને ફાઇનલ મેચ માં ઓસ્ટ્રેલિયા સામે ફરી શેન વોર્ન ને માનસિક રીતે હતાશ બનાવી દીધો. આ શ્રેણી બાદ વોર્ને શોકાતુર મજાક કરી હતી કે તેને ભારતીય દેવતાના ભયંકર સપના આવે છે. તેનો તે શ્રેણી માં બોલ સાથે પણ સારો રોલ રહ્યો હતો, જેણે એક દિવસીય મેચ માં 5 વિકેટ ધોઈ કાઢી હતી. ઓસ્ટ્રેલિયા ની પાસે જીતવા માટે ૩૧0 રન નો ટાર્ગેટ હતો અને 3૧ ઓવર માં ૨૦૩ રન અને 3 વિકેટ સાથે આરામ થી રમી રહ્યું હતું તે પછી તેંડુલકરે માત્ર ૧૦ ઓવર માં ૩૨ જ રન આપી ને માઈકલ બેવન, સ્ટીવ વો, ડેરેન લેહમેન, ટોમ મૂડી અને ડેમીઅન માર્ટીન ની વિકેટ લઇ ને મેચ ભારત તરફ વાળી દીધી.

તેંડુલકરે ઢાકા ખાતે આઇસીસી 1998 ની ક્વોટર ફાઇનલમાં ફક્ત ૧૨૮ બોલ માં ૧૪૧ રન ફટકાર્યા બાદ ઓસ્ટ્રેલિયા ની ચાર વિકેટ ઝડપી એકલે હાથે મેચ જીતાડી સેમિફાઇનલમાં ભારત ના પ્રવેશ નો માર્ગ સરળ કર્યો હતો.

૧૯૯૯ માં પાકિસ્તાન જ્યારે ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે સચિનને પીઠ ના દુખાવાનો પ્રશ્ન ઉભો થયો. આ મેચ માં સચિને સદી મારી હોવા છતાં ભારતે ચેપોક ખાતે ની એ ઐતિહાસિક મેચ ગુમાવી દીધી હતી. ૧૯૯૯ ના ક્રિકેટ વિશ્વ કપના મધ્ય ભાગ માં તેંડુલકર ના પિતા પ્રોફેસર રમેશ તેડુંલકર નું મૃત્યું થયું ત્યારે વધુ ખરાબ પરિસ્થિતી નું નિર્માણ થયું. તેંડુલકર ઝીમ્બાવે સામે ની મેચ છોડી ને પિતા ના અંતિમ સંસ્કાર કરવા માટે પાછો ભારત આવી ગયો. આમ છતાં તેમણે બ્રિસ્ટલ ખાતે કેન્યા સામે ની પછી ની મેચ માં સદી (૧૦૧ બોલ માં અણનમ ૧૪0) ફટકારી આક્રમકતા સાથે પરત ફર્યા. તેમને આ સદી પોતાના પિતા ને અર્પણ કરી.

કપ્તાનપદ

ભારતીય ક્રિકેટ ટીમ ના કપ્તાન તરીકે ના તેંડુલકર ના બે સમયગાળા બહુ સફળ રહ્યા ન હતા. ૧૯૯૬ માં જ્યારે તેંડુલકર ને કપ્તાનપદ સંભાળ્યું ત્યારે તેના પ્રત્યે ઘણી આશાઓ અને અપેક્ષાઓ હતી. આમ છતાં ૧૯૯૭ થી ટીમનો દેખાવ ખૂબ નબળો રહ્યો. તે સમયે અઝરુદ્દીને કહ્યું હતું કે "નહીં જીતેગા! છોટે કી નસીબ મેં જીત નહી હે!" , જેનું ગુજરાતી થાય છે: "તે નહી જીતે! નાના ના નસીબ માં જીત નથી".

તેંડુલકરે તેના બીજા કાર્યકાળ દરમિયાન અઝરૂદ્દિન ના સ્થાને કપ્તાન પદ સંભાળ્યું જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા ના પ્રવાસે ગયું હતું. ભારત ને નવા વિશ્વવિજેતાઓ એ ૩-0 થી મક્કમ માત આપી હતી. છતાં તેંડુલકર દરેક વખત ની જેમ તેના બેસ્ટ પ્રદર્શન પર હતો અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડસ રમતોમાં ની કોઈ એક માં જીત્યો હતો. ભારત માં દક્ષિણ આફ્રિકા સામે ૦-૨ થી બીજી ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ તેંડુલકરે કપ્તાન પદે થી રાજીનામું આપ્યું અને સૌરવ ગાંગુલીએ ૨૦૦૦ માં કપ્તાન પદ સંભાળ્યું.

તેંડુલકર ભારતીય ટીમની વ્યૂહાત્કમ પ્રક્રિયાઓ ના એક મહત્વ ના ભાગ હતા. તેઓ ને ઘણી વાર કપ્તાન સાથે વ્યૂહો ઘડતા અને ચર્ચા કરતા જોવામાં આવ્યા છે. ભૂતપૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડે જાહેર માં કબૂલ્યું હતું કે તેંડુલકરે ઇરફાન પઠાણ ને ઉપર ના ક્રમે બેટિંગ માં મોકલવા ના કરેલા સૂચન નો અમલ કામચલાઉ રીતે થયો હોવા છતાં તે ટીમ ના ભવિષ્ય માટે તાત્કાલિક અસર ઉપજાવનારો રહ્યો હતો.

ઇજાઓ

તેંડુલકર નો ટેસ્ટ ક્રિકેટ માં સારો દેખાવ ૨૦૦૧ અને ૨૦૦૨ માં બેટ અને બોલ વડે કેટલીક મહત્વ ની ભૂમિકાઓ સાથે સતત ચાલુ રહ્યો. તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે૨૦૦૧ માં રમાયેલી જાણીતી કોલકાતા ટેસ્ટ ના અંતિમ દિવસે ત્રણ વિકેટ ઝડપી હતી. તેંડુલકરે મેથ્યુ હેડન અને એડમ ગિલક્રીસ્ટ ની ચાવીરૂપ વિકેટો ઝડપી, જેમણે અગાઉ ની ટેસ્ટ માં સદી ફટકારી હતી.

તેંડુલકરે 2003 ના ક્રિકેટ વિશ્વ કપ માં ૧૧ મેચ માં ૬૭૩ રન બનાવ્યા અને તેને સહારે ભારત ફાઇનલ સુધી પહોંચ્યું. ઓસ્ટ્રેલિયા એ ૧૯૯૯ માં જીતેલી ટ્રોફીનું પુનરાવર્તન કર્યુ અને તેંડુલકર ને મેન ઓફ ધી ટુર્નામેન્ટ એવોર્ડ થી નવાજવા માં આવ્યો. ૨૦૦૩/0૪ માં ભારતની તૈયાર શ્રેણી ની ઓસ્ટ્રેલીયા ની સફર માં છેલ્લી ટેસ્ટ શ્રેણી માં સિડની માં તેંડુલકરે ૨૪૧* રન ફટકારી ને પોતાનું સ્થાન જમાવી દીધું જેણે ભારત ને અણનમ સ્થિતિ માં લાવી દીધા. બીજી ઇનિંગ્સ માં પણ તેમણે અણનમ ૫0 રન નોંધાવ્યા અને આગામી શ્રેણી માં મુલતાન ખાતે પાકિસ્તાન વિરૂદ્ધ અણનમ ૧૯૪ રન ફટકાર્યા. તેંડુલકર જ્યારે બેવડી સદી સુધી પહોંચવા ની તૈયારી માં હતા ત્યારે રાહુલ દ્રવિડે દાવ પૂરો થયાની જાહેરાત કરતા ૧૯૪ રન ની ઇનિંગ્સ વિવાદિત રહી હતી. તે દિવસે સાંજે પ્રેસ સાથે ની મુલાકાત માં પાકિસ્તાન સામે ની બેવડી સદી ૨૦૦ રન મિસ કરવા ના પ્રશ્ન સામે જણાવ્યું કે તે દાવ પુરા થયા ની જાહેરાતે તેણે અચંબા માં મૂકી દીધેલો અને તે ઘણો નિરાશ થયો હતો. ઘણા પૂર્વ ક્રિકેટરો ના કહેવા પ્રમાણે દ્રવિડ ની ઘોષણા યોગ્ય ઘોષણા હતી. મીડિયા ના કેહવા પ્રમાણે ઘોષણા જાણીતી રીતે સૌરવ ગાંગુલી દ્રારા કરવામાં આવી હતી, અને ગાંગુલીએ પાછળ થી પોતે તેમ પણ કહ્યું હતું કે તે એક ભૂલ હતી. રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને કોચ જ્હોન રાઇટે જ્યારે ટીમ ના વિજય પછી આ બાબત આંતરિક મામલો હોવાનું જણાવ્યા બાદ આ વિવાદ નો અંત આવ્યો હતો.

તેંડુલકર ધરખમ ફોર્મ માં હોવા છતાંટેનીસ એલ્બો ની ઇજા ને કારણે વર્ષ ની મોટા ભાગ ની મેચ માં તેઓ ટીમ ની બહાર રહ્યા હતા અને ૨૦૦૪ માં ઓસ્ટ્રેલિયા ભારત ના પ્રવાસે આવ્યું ત્યારે છેલ્લી બે ટેસ્ટ માં તેમનું પુનરાગમન થયું હતું. મુંબઇ માં મળેલા વિજય માં તેમણે મોટો ફાળો આપ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયા તે શ્રેણી ૨-1 થી જીતી ગયું હતું.

૧0 ડિસેમ્બર, ૨00૫ ના રોજ ફીરોઝ શાહ કોટલા ખાતે તેંડુલકરે શ્રીલંકા સામે વિક્રમસર્જક 3૫મી ટેસ્ટ સદી નોંધાવી હતી. 6 ફેબ્રુઆરી, ૨00૬ ના રોજ તેમણે પાકિસ્તાન સામે 3૯મી વનડે સદી નોંધાવી હતી. તે પછી તેમણે ૧૧ ફેબ્રુઅરી, ૨૦૦૬, ના દિવસે પાકિસ્તાન સામે ની એક બીજી એક દિવસીય અંતરરાષ્ટ્રીયમાં રન-અ-બોલ ૪૨, અને પછી લાહોર માં 95 શત્રુતાપુર્વક જેણે 13 ફેબ્રુઅરી, ૨00૬ એ ભારત ના વિજય ની સ્થાપના કરી.

૧૯ માર્ચ, 2006 ના રોજ સ્થાનિક ગ્રાઉન્ડ વાનખેડે પર ઇંગ્લેન્ડ સામે ની ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવ માં સચિને નોંધાવેલા ૨૧ બોલમાં ૧ રનને કારણે પ્રેક્ષકો ના એક ટોળા એ સચિન નો હુરિયો બોલાવ્યો હતો. આ પ્રકાર નો તિરસ્કાર સચિને પ્રથમ વાર અનુભવ્યો હતો. તેંડુલકર એક પણ અર્ધ શતક માર્યા વગર ત્રણ ટેસ્ટ શ્રેણી પતાવા ના હતા અને તેમના ખભા ના ઓપરેશન ની ખબર બહાર પડી જેણે તેમની ક્રિકેટ ની લાંબી જિંદગી પર સવાલ ઉઠાવ્યો. તેંડુલકર ના ઘાયલ ખભા પર શસ્ત્રક્રિયા કરવા માં આવી. જૂલાઇ ૨૦૦૬ માં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ(બીસીસીઆઇ) એવી જાહેરાત કરી હતી કે સુધારણા કાર્યક્રમ બાદ સચિન તેની ખભા ની ઇજા માંથી બહાર આવી ગયો છે અને પંસદગી માટે પ્રાપ્ય છે અને અંતે આગામી શ્રેણી માટે તેની પસંદગી થઇ હતી.

પુનરાગમન

મલેશિયા માં યોજાયેલા ડીએલએફ કપ માં તેંડુલકર નું પુનરાગમન થયું અને સારો દેખાવ કરનારા તેઓ એકમાત્ર ભારતીય બેટ્સમેન હતા. પુનરાગમન બાદ ની પ્રથમ મેચ માં ૧૪ સપ્ટેમ્બર, ૨૦૦૬ ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે તેંડુલકરે ૪0મી વનડે સદી ફટકારીને તેના ટીકાકારો ને જડબાતોડ જવાબ આપ્યો હતો. સચિને અણનમ ૧૪૧ રન નોંધાવ્યા હોવા છતાં વરસાદ ને કારણે અટવાયેલી મેચ વેસ્ટ ઇન્ડિઝ ડકવર્થ-લુઇસ પદ્ધતિ ને આધારે જીતી ગયું.

૨૦૦૭ ના ક્રિકેટ વિશ્વ કપ ની તૈયારીઓ દરમિયાન ગ્રેગ ચેપલે તેંડુલકર ના અભિગમ વિષે ટીકા કરી હતી. અહેવાલ મુજબ ચેપલ એવું માનતા હતા કે તેંડુલકર નીચેના ક્રમે સારો દેખાવ કરી શકે છે, જ્યારે અન્ય લોકોના મતે તે ઓપનીંગ બેટ્સમેન તરીકે સારી કામગીરી કરે છે, જે ક્રમે તેઓ મોટે ભાગે રમતા આવ્યા છે. ચેપલ એવું પણ માનતા કે તેંડુલકર ની સતત નિષ્ફળતા ટીમ ની તકો પર અસર કરી રહી છે. બહુ ઓછી જોવા મળે તેવી ઘટના માં તેંડુલકરે ચેપલ ની વાત નો એવું કહેતા જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી ના કોઇ પણ કોચે તેના અભિગમ સામે વાંધો ઉઠાવ્યો નથી. ૭ એપ્રિલ, ૨૦૦૭ ના રોજ બીસીસીઆઇ એ તેંડુલકર ને માધ્યમો સામે કરેલી ટિપ્પણી માટે નો ખુલાસો માગતી નોટિસ આપી હતી.

વેસ્ટ ઇન્ડિઝ ખાતે યોજાયેલા ક્રિકેટ વિશ્વ કપ ૨00૭ માં તેંડુલકર અને રાહુલ દ્રવિડ ની આગેવા ની હેઠળ ની ભારતીય ક્રિકેટ ટીમ નો દેખાવ સામાન્ય સ્તરનો રહ્યો. ગ્રેગ ચેપલ દ્વારા દબાણપૂર્વક નીચેના ક્રમે બેટિંગ માં મોકલાતા તેંડુલકરે (બાંગ્લાદેશ સામે) ૭, (બર્મુડા સામે) અણનમ ૫૭ અને (શ્રીલંકા સામે) 0 રન નોંધાવ્યા હતા. તેના પરિણામે ભારતીય ટીમ ના પછી ના કોચ ગ્રેગ ચેપલ ના ભાઈ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન ઇયાન ચેપલે મુંબઇ ના મિડ ડે સમાચારપત્ર માં તેંડુલકર ને નિવૃત્તિ જાહેર કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ બાંગ્લાદેશ સામે ની શ્રેણી માં તેંડુલકર ઓપનીંગ બેટિંગ માં પરત ફર્યા અને મેન ઓફ ધી સિરીઝ બન્યા. દક્ષિણ આફ્રિકા સામે ફ્યુચર કપ દરમિયાન તેમણે સતત બે વાર ૯૦ થી વધુ રન માર્યા. તેઓ સૌથી વધુ રન નોંધાવનારા ખેલાડી હતા અને તેમને મેન ઓફ ધી સિરીઝ તરીકે નવાજવા માં આવ્યા.

2008 માં એસસીજી ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેંડુલકરે 38મી ટેસ્ટ સદી પૂરી કરી અને તેઓ ૧૫૪ રને અણનમ રહ્યા.

૨૮ જૂલાઇ, ૨૦૦૭ ના રોજ નોટિંગહામ ટેસ્ટના બીજા દિવસે તેંડુલકર ૧૧000 ટેસ્ટ રન પૂર્ણ કરનારા ત્રીજા બેટ્સમેન બન્યા. તે પછી ની ઇંગ્લેન્ડ સામે ની સળંગ એક દિવસીય શ્રેણી માં તેંડુલકર ૫3.૪૨ ની એવરેજ સાથે ભારત તરફ થી પ્રમુખ રન સ્કોરર રહ્યા હતા. ઓક્ટોબર ૨૦૦૭ માં ઓસ્ટ્રેલિયા સામે ની વનડે સિરીઝ માં તેંડુલકર કુલ ૨૭૮ રન સાથે સૌથી વધુ રન નોંધાવનાર બેટ્સમેન હતા.

૨00૭ માં તેંડુલકર સાત વખત ૯૦ થી 100 રનના ગાળા માં આઉટ થયા, જેમાં ત્રણ વખત ૯૯ રન નો પણ સમાવેશ થાય છે. કેટલાક લોકો એ એવું સૂચન કર્યું હતું કે તેની કારકિર્દી ના આ તબક્કા માં તે સદી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેંડુલકર તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માં 23 વખત ૯0 થી ૧00 રન ના ગાળા માં આઉટ થયા છે. ૮ નવેમ્બર, ૨00૭ ના રોજ તેઓ મોહાલી ખાતે પાકિસ્તાન સામે વનડેમાં ઉમર ગુલ ની બોલિંગ માં કામરાન અકમલ ના હાથે ૯૯ રન ના સ્કોરે કેચ આઉટ થયા હતા. ચોથી વનડે માં તેઓ ઉમર ગુલ ની બોલિંગ માં ૯૭ રન ના (૧૧૬ ચોગ્ગા સાથે ૧૦૨ બોલ માં) સ્કોરે બોલ્ડ આઉટ થયા હતા અને ૨00૭ માં વનડે માં બીજી વાર સદી કરવા માં નિષ્ફળ નિવડ્યા હતા.

૨૦૦૭/૦૮ ઓસ્ટ્રેલિયા ના પ્રવાસે

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, ૨00૭-0૮ માં ચાર ટેસ્ટ ની બીજી ઇનીંગ માં સદંતર નિષ્ફળતા છતાં ૪૯૩ રન સાથે શ્રેણી માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બની ને અસામાન્ય દેખાવ કર્યો. સચિન મેલબોર્ન માં મીલીગ્રામ માં પહેલી ટેસ્ટ ની પહેલી પરી માં ૬૨ રનબનાવ્યા,પણ રોક નથી ચાલી સકતી એક ભારે 33૭ રન ઓસ્ટ્રેલીયા ને માટે નથી જીતી સકતા. સિડની ખાતે રમાયેલી વિવાદાસ્પદ ટેસ્ટમાં સચિને અણનમ ૧૫૪ રન નોંધાવ્યા હતા અને ભારત મેચ હારી ગયું હતું. આ એસસીજી ના ગ્રાઉન્ડ પરની તેની ત્રીજી સદી હતી અને તેને પગલે ગ્રાઉન્ડ પરની તેની સરેરાશ ૨૨૧.33 હતી. પર્થ માં વાકા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ માં સચિને ઝમકદાર ઇનીંગ માં ૭૧ રન નોંધાવી ભારત ના પ્રથમ દાવ ના સ્કોર 330 રન માં મહત્વ નો ફાળો આપ્યો. તેમને એલબીડબ્લ્યૂ દ્વારા આઉટ આપવા માં આવ્યા હતા અને પાછળ થી આ નિર્ણય પર પ્રશ્નો ઉઠ્યા હતા. ભારત ને વાચા માં એક ઐતિહાસિક જીત લખી હતી.એડીલેડ ,જો કે એક આકર્ષિત માં સમાપ્ત માં ચૌથી ટેસ્ટ માં તેઓએ પહેલી પારી માં ૧૫૩ રન બનાવ્યા વી.વી.એસ.લક્ષ્મણ ની સાથે એક મહત્વપૂર્ણ ૧૨૬ રન સાથે પાંચવી વિકેટ ના માટે લક્ષ્મણ ૧૫૬ થી ૨૮૨ ના સ્કોર પર ભારતનું નેતૃત્વ કરવા માટે ના સુરક્ષિત ખેલાડી હતા. તેમણે પ્લેયર ઓફ મેચ એવોર્ડ મેળવ્યો.

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાસાથે ની કોમનવેલ્થ બેન્ક ત્રિકોણીય શ્રુંખલામાં તેંડુલકર વનડે માં ૧૬000 રન નોંધાવનારો પ્રથમ અને એક માત્ર ખેલાડી બન્યો. ૫ ફેબ્રુઆરી, ૨00૮ ના રોજ બ્રિસ્બેન ખાતે શ્રીલંકા વિરૂદ્ધ તેમણે આ સિમાચિહ્ન પ્રાપ્ત કર્યું. તે સીબી ના સારી રીતે ૧0,3૫,૪૪,અને 3૨ ના સ્કોર શ્રુંખલાનું નિશાન સાધવા નું ચાલુ કરી દીધું હતું,પણ તે મોટા સ્કોર માં ચાલુ થાય છે પરિવર્તિત નથી કરી સકતો. શ્રુંખલા ના મધ્ય ભાગ માં તેમના દેખાવ ખરાબ થવા લાગ્યો, પરંતુ હોબાર્ટ ખાતે શ્રીલંકા સામે ની જીતવી જ પડે તેવી મેચ માં 54 બોલમાં 63 રન નોંધાવી મજબૂત પુનરાગમન કર્યું. તેને પહેલી સીરીઝ માં ૧૨0 બોલ માં ૧૧૭ રન બનાવ્યા અને બીજી ફાઈનલ માં ૯૧ રન

દક્ષિણ આફ્રિકા સામે ઘરેલું સીરીઝ્સ

ત્રણ ટેસ્ટ સીરીઝ ફરિ થી સાઉથ આફ્રિકા ના ઘર પર તેંડુલકરે પહેલી ઈનિંગ્સ માં ૦ રન કર્યા. ત્યાર બાદ ની બાકી સીરીઝ એમને ખોઈ, તે સીરીઝ ૧-૧ સાથે બરાબર રહી.

શ્રીલંકા સીરીઝ

૨00૮ ના મધ્યમાં શ્રીલંકા માં ત્રણ ટેસ્ટ સીરીઝ પહેલા બ્રાયન લારા નો ટેસ્ટ ક્રિકેટ મા ૧૧૯૩૫ રન ના વિક્રમ થી ઉપર જવા માટે સચિન ને ફક્ત ૧૭૭ રનની જરૂર હતી. ભલે, ફક્ત ૯૫ રન ના સ્કોર પર તે બધા 6 દાવ માં અસફળ રહ્યા. ભારત ૧-૨ થી હારી ગયુ.

પાછા જોશ અને રેકોર્ડ તોડવા

શ્રીલંકા ની સામે એક દિવસીય શ્રુંખલા માં તેંડુલકર ચોટ ના કારણે સાઈડલાઈન થઇ ગયો હતો. તેમ છતાં, ભારત પછી ઓસ્ટ્રેલીયા ના પ્રવાસ દરમિયાન તેઓ ફિટનેસ અને જોશ માં આવી ગયા, બીજી ટેસ્ટ માં ૮૮ રન કરવા પહેલા, તેણે પહેલી ટેસ્ટ મેચ માં ૧૩ અને ૪૯ રન કર્યા, આ પ્રકારે ટેસ્ટ ના સોથી વધારે સંખ્યા માટે બ્રાયન લારા આયોજિત રેકોર્ડ તોડ્યો. તેમણે ૧૨000 રન પુરા કર્યા જયારે 61 રને પહોચેલા. સચીન તેંદુલકર એ ત્રીજી ટેસ્ટ માં ૫૦ અને ૧૦૯ ચોથી ટેસ્ટ માં રન કર્યા હતા, જેના ફળ સ્વરૂપ ભારત ૨-0 થી બોર્ડેર - ગાવસ્કર શ્રુંખલા જીતી ગયું હતું.

ઇંગ્લેન્ડ સામે ઓદિઆઇ અને ટેસ્ટ સીરીઝ્સ

ઇંગ્લેન્ડ સામે ની ઘરેલું ૭ ઓડીઆઇસ સીરીઝ માંથી ચોટ ના કારણે તેંડુલકર ફરી થી પહેલી ત્રણ ઓડીઆઇસ માંથી બહાર થઇ ગયો, પણ તેણે ચોથી ઓડીઆઇ માં ૧૧ અને પાંચવી માં ૫0 રન બનાવ્યા, મુંબઈ હુમલા ના કારણે ઓડીઆઇ સીરીઝ્સ રદ થતા પહેલા, ભારત માટે સ્કોરલાઈન ૫-0 હતો.

ડીસેમ્બર ૨00૮ માં ઇંગ્લેન્ડ ૨ મેચ ની ટેસ્ટ સીરીઝ માટે પાછો આવ્યું, અને ચેન્નઈ માં પહેલી ટેસ્ટ માં, જીત માટે ૩૮૭ રન નો પીછો કરતા, તેંડુલકરે યુવરાજ સિંગ પાંચવી ન તૂટેલી વિકેટ સાથે ૧૬૩ માં અણનમ ૧૦૩ રન બનાવ્યા. આ તેની ચોથી મેચ માં ત્રીજો શતક હતો, અને જીત ના પરિણામ માં પહેલો. આ તેની ૧૯૯૯ ની ચેન્નાઈ ટેસ્ટ માં પાકિસ્તાન સામે ૨૭૧ સ્કોર નો પીછો કરતા તેનો યોગદાન હતો, સચિને સખ્ત પીઠ ના દુખાવા સાથે ૧૩૬ રન બનાવ્યા અને લક્ષ્ય થી માત્ર ૧૭ રન દુર આઉટ થયો, દોરી જતા તૂટી પડ્યો અને ૧૨ રન થી હારી ગયું. તેણે પોતાનો આ શતક મુંબઈ હુમલા ના પીડિતો ને અર્પણ કર્યું. બીજી ટેસ્ટ ની બંને ઇનિંગ્સમાં તેંડુલકર નિષ્ફળ રહ્યો, ભારત ૧-0 થી સીરીઝ જીતી ગયું.

શ્રીલંકા ઓડીઆઇસ

૨00૯ ની શરૂઆત માં, મુંબઈ હુમલા અને પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ ના કારણે પાકિસ્તાન સીરીઝ રદ થતા, ભારતે શ્રીલંકા નું ૫ ઓડીઆઇ માટે પુનરાવર્તન કર્યું. પહેલી 3 ઓડીઆઇ માં ત્રણ સમયે ખોટો એલબીડબ્લ્યુ આઉટ અપાતા સચિને ૫,૬ અને ૭ રન બનાવ્યા. ત્યાર પછી તે ફરીથી ધાયલ થયો હતો.

ન્યુ ઝીલેન્ડ સીરીઝ

ભારતનું ત્યાર પછી નું કાર્ય ન્યુ ઝીલેન્ડ સામે ની સીરીઝ હતું. તે સતત 3 ટેસ્ટ અને 5 ઓડીઆઇ સાથે ચાલુ રહ્યું. તેંડુલકરે પહેલી મેચ માં ૨0 સાથે અને ત્યાર પછી બીજી મેચ માં 61 રન સાથે ઓડીઆઇ સીરીઝ માં શરૂઆત કરી. પછી તેણે ત્રીજી ઓડીઆઇ માં અણનમ ૧૬3 રન બનાવ્યા, પેટ ના મચકોડે તેણે રીટાયર હર્ટ માટે મજબુર કર્યો અને ઇનિંગ્સ પૂર્ણ થઇ. ભારતે ૩૯૨ બનાવ્યા અને સહેલાઇ થી જીતી ગયુ. સચિન ચોટ ના કારણે પાછલી બે ઓડીઆઇ માંથી બહાર હતો પણ એક ધોવાએલી રમત સાથે ભારત 3-૧ થી સીરીઝ જીતી ગયું. તેંડુલકરે પહેલી ટેસ્ટ માં ૧૬0 રન બનાવ્યા, તેનો ૪૨ મો શતક, અને ભારત જીતી ગયું. તેણે બીજી ટેસ્ટ માં ૪૯ અને ૬૪ અને ત્રીજી ટેસ્ટ માં ૬૨ અને ૯ રન બનાવ્યા, જેમાં છેલ્લા દિવસ માં વરસાદે ભારત ને જીતતા અટકાવ્યો હતો.ભારત ૧-0 થી સીરીઝ જીત્યું.

શ્રીલંકા માં કોમ્પેક કપ

તેંડુલકરે પોતાની જાત ને વેસ્ટ ઇન્ડીઝ ના પ્રવાસ ની ઓડીઆઇ માંથી આરામ આપ્યો, પણ સપ્ટેમ્બર ની શરૂઆત માં શ્રીલંકા, ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે ના કોમ્પેક કપ(ત્રિકોણીય સીરીઝ) માટે પાછો આવ્યો હતો. તેણે ફાઈનલ માં ૧૩૮ રન બનાવવા થી પહેલે લીગ મેચો માં ૪૬ અને ૨૭ રન બનાવ્યા. આ તેંડુલકર નું ઓડીઆઇ ફાઈનલ માં ૬ઠું શતક હતું અને ફાઈનલ્સ માં તેનું ત્રીજો અનુક્રમિત ૫0 ની ઉપર સ્કોર હતો. જયારે તેંડુલકરે ઓડીઆઇ ફાઈનલ માં શતક બનાવ્યો છે તેવી ૬ વખત ભારત જીત્યો છે.

આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 200૯

તેંડુલકર સાઉથ આફ્રિકા માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માં માત્ર એક ઇનિંગ્સ રમ્યો, પાકિસ્તાન સામે ૮ રન બનાવ્યા અને ભારત હારી ગયું. ઓસ્ટ્રેલીયા સામે ની પછી ની મેચ ધોવાઇ ગઈ અને વિન્ડીઝ સામે ની ત્રીજી મેચ માં તે ફૂડ પોઈઝનીંગ ના કારણે બહાર રહ્યો હતો,વિન્ડીઝ દ્રારા હાર અને તેમના ગ્રુપ માં ત્રીજો પૂર્ણ કર્યા બાદ ભારત બાકાત થઇ ગયું હતું.

ભારત-ઓસ્ટ્રેલીયા ઓડીઆઇ સીરીઝ

ઓસ્ટ્રેલીયા ઓક્ટોમ્બર માં ૭ મેચો ની ઓડીઆઇ માટે ભારત આવ્યુ, અને તેંડુલકરે પહેલી ચાર રમતોમાં ૧૪,૪,3૨ અને ૪0 રન બનાવ્યા.

પાંચવી મેચ માં,સીરીઝ બરોબરી સાથે ઓસ્ટ્રેલીયાએ ૫0 ઓવરમાં 3૫0/૪ નો સ્કોર બનાવ્યો. તેંડુલકરે ૧૪૧ બોલ માં ૧૭૫ રન સાથે તેની ૪૫મી ઓડીઆઇ શતક બનાવ્યો. માત્ર જયારે તે લાગ્યું કે તે ભારત ને મોટા વિજઈ જુમલા ની દિશા માં વાળશે, તે નવા પ્રવેશીત ક્લીન્ટ મેક્કેયના સીધા થી સોર્ટ ફાઈન લેગ ના પગ દ્રારા સંચાલિત સમાચાર મળ્યા, ભારત ને ચાર વિકેટ્સ સાથે ૧૮ બોલ માં ૧૯ રનની જરૂર હતી. ભારતીય પૂછડિયા ભાંગી પડયા અને તેઓ 3 રન દ્રારા હારી ગયા, 3૪૭ માં બધા આઉટ થઈ ગયા.

આ મેચ દરમ્યાન, તેંડુલકર ૧૭000 ઓડીઆઇ રન બનાવનાર પહેલો ખેલાડી પણ બન્યો,અને ઓસ્ટ્રેલીયા સામે તેનો અંગત શ્રેષ્ઠ હાંસિલ કર્યું, ત્રીજા સૌથી મોટા સ્કોર ની હાર તરીકે. તેણે તેને પોતાની શ્રેષ્ઠ ઇનિંગ્સ માંથી એક ગણાવી પણ કહ્યું કે તે વધારે સારી થઇ સકી હોત જો ભારત મેચ જીત્યું હોત.

ઇન્ડિયન પ્રીમિયર લીગ

૨૦૦૮ માં ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ઉદઘાટન માં તેંડુલકર તેના ઘરેલું પક્ષ મુંબઈ ઇન્ડિઅન્સ માટે પ્રતિક ખિલાડી અને કેપ્ટન બન્યો હતો. એક પ્રતિક ખેલાડી તરીકે, તે ટીમ માં બીજા ક્રમ ના સૌથી વધારે ભુગતાન ખિલાડી સનથ જયસુરીયા કરતા ૧૫% વધારે ૧,૧૨૧,૨૫0 ડોલર રકમ માટે સહી કરી હતી.

રમત ની શૈલી

તેંડુલકર લેગ-સાઈડ કાંડા ફ્લીઅક રમતો

તેંડુલકરે વર્ચસ્વ છેદયું છે: તે બેટિંગ, બોલિંગ અને થ્રો તેના જમણા હાથ થી પણ લેખન તેના ડાબા હાથ સાથે કરે છે. તેઓ પ્રેક્ટિસ દરમિયાન નિયમિત રીતે ડાબા હાથ થી થ્રો કરવા ની પ્રેક્ટિસ કરે છે. ક્રિકઇન્ફો ના કોલમિસ્ટ સમ્બિટ બાલે તેમને તેના સમય ના સૌથી તંદુરસ્ત બેટ્સમેન ગણાવ્યા હતા. તેમની બેટીંગ સંપૂર્ણ સમતોલ છે અને તે દરમિયાન તેઓ વધારા ની હલચલ કે અયોગ્ય ફટકો ન લગાવી સારી રીતે રમી શકે છે. તેણે ધીમી અને નીચી વિકેટ્સ ની ઓછી પસંદગી દેખાડી અને,સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ની સખ્ત, ઉછાળવાળી પીચ ઉપર ઘણા શતક બનાવ્યા. તેઓ સ્ક્વેર ની ઉપર થી બોલને પંચ શૈલી થી મારવા માટે વિખ્યાત છે. તેઓ કોઇ પણ ખામી વગરના સીધા શોટ મારવા માટે પણ જાણીતા છે, જેને તાજેતર માં જ ભારત ના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે એએફપી માં લખેલા એક અહેવાલ માં જણાવ્યું હતું કે સચિન તેંડુલકર જેવી ઉમદા તકનીક સાથે ની આક્રમકતા ધરાવતા ખેલાડી વિષેની કલ્પના ક્રિકેટ જગત ના ઇતિહાસ માં કરવી ખૂબ અઘરી છે.

સર ડોનાલ્ડ બ્રેડમેન, હમેશા ઘણા પાસે થી મહાન બેટ્સમેન ગણાતા આવ્યા છે,તેંદુલકર તેમના જેવી સમાન બેટિંગ છટા ધરાવે છે. બ્રેડમેન ના જીવનચરિત્ર માં લખવા માં આવ્યું છે કે બ્રેડમેન ને તેંડુલકર ની તકનીકો, ફટકાઓ ની પસંદગી અને ટકી ને રમવા ની અદા હંમેશા પોતાની બેટિંગ યાદ કરાવે છે અને તેઓ તેમના પત્ની ને કહેતા કે મારી યુવા વયની રમત જોવા માટે તેંડુલકર ની આજની રમત જો. બ્રેડમેન ની પત્ની, જેસ્સી એ સ્વીકાર કર્યો કે તેઓ સમાન દેખાય છે.

તેંડુલકર ક્રીઅસ ઉપર, ડીલીવરી નો સામનો કરવા તૈયાર થતો

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચે તેનો અભિપ્રાય આપ્યો કે સચિન તેના ફૂટવર્ક ના કારણે તેની શરૂઆતી ઇનિંગ્સ માં સોર્ટ બોલ પર સંવેદનશીલ થઇ ગયો હતો. બુચાનન એવું પણ માનતા હતા કે તેંડુલકર ડાબા હાથે થતી ઝડપી બોલિંગ સામે ન રમી શકવા ની નબળાઇ ધરાવે છે. ૨૦૦૪ થી થયેલી સંખ્યાબંધ ઇજાઓને કારણે તેના પર અસર થઇ હતી. ત્યાર થી તેંડુલકર ની બેટિંગ માં આક્રમકતા ના અભાવ જોવા મળે છે. તેની બેટિંગ ની શૈલી માં આવેલા પરિવર્તન માટે તેણે નીચેના કારણો આગળ ધર્યા હતા. (૧) કોઇ પણ બેટ્સમેન તેની લાંબી કારકિર્દી દરમિયાન એક સરખી શૈલી થી બેટિંગ કરી શકે નહીં અને (૨) હવે તે ટીમ નો વરિષ્ઠ ખેલાડી હોવા થી તેના પર વધુ જવાબદારીઓ છે. તેની કારકિર્દી ના શરૂઆત ના સમયગાળા માં તે વધુ આક્રમક બેટ્સમેન હતા અને સારી સરેરાશે સદીઓ ફટકારતા. ઓસ્ટ્રેલિયા ના ટીમ ના પૂર્વ ખેલાડી ઇયાન ચેપલે તાજેતર માં એવી ટિપ્પણી કરી હતી કે એક ખેલાડી તરીકે સચિન જ્યારે યુવા વય માં હતો તેની સરખામણી એ હાલ માં કઇં જ નથી. આમ છતાં, ૨૦૦૮ માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે કેટલીક ઉમદા ઇનીંગ રમી ને તેની આક્રમક પ્રતિભા છતી કરી હતી અને તેની યુવાવય ની રમત ની યાદ અપાવી હતી.

તેંડુલકર મુખ્ય બોલર ન હોવા છતાં એક સરખી સરળતા થી મધ્યમ ગતિએ, લેગ સ્પિન અને ઓફ સ્પિન બોલિંગ કરી શકે છે. મોટે ભાગે સામે ની ટીમ ના બે બેટ્સમેનો બહુ લાંબા સમય થી પિચ પર સ્થિર થઇ ગયા હોય ત્યારે સચિન બોલિંગ નાખે છે, કેમકે તે ભાગીદારી તોડનાર ઉપયોગી બોલર ગણાય છે. બોલિંગ દ્વારા તેણે ભારતને એકથી વધુ વખત વિજય અપાવ્યો છે. તેણે ટેસ્ટ મેચમાં 44 વિકેટ્સ લીધી અને ઓડીઆઇ માં ભારત માટે સૌથી વધારે વિકેટ્સ લેનારનો 9મો ક્રમ ધરાવે છે.

કારકિર્દીની સિદ્ધીઓ

સચિન તેન્ડુલકરની ૨૦૦મી ટેસ્ટ નિમિતે ટપાલ વિભાગ દ્વારા બહાર પાડેલ સ્મારક ટિકિટ
સચિન ની ટેસ્ટ મેચ ની બેટિંગ કારકિર્દી ની ઇનીંગ દર ઇનીંગ બ્રેકડાઉન માં બનાવેલા રન (લાલ રેખા) અને અને છેલ્લી દસ ઇનીંગ માં બનાવેલા રન ની સરેરાશ (વાદળી રેખા) છે.

સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય વનડે માં રન બનાવનાર ધુંવાધાર બેટ્સમેન છે. સચિન ના હાલ ના ટેસ્ટ ના કુલ રન થી તેણે બ્રાયન લારા ના ૧૧,૯૫૩ રન ના વિક્રમ ને ૨00૮ માં ઓસ્ટ્રેલિયા ના ભારત પ્રવાસ સમયે મોહાલિ ખાતે ની બીજી ટેસ્ટ માં વટાવી દીધો હતો. સચિને આ વિક્રમ તોડ્યો તે દિવસ ને તેની ૧૯ વર્ષ ની કારકિર્દી ની સૌથી મોટી સિદ્ધી ગણાવી હતી. તે ટેસ્ટ અને ઓડીઆઈ બને માં સૌથી વધારે શતકો નો વિક્રમ પણ ધરાવે છે. સમગ્ર કારકિર્દી દરમિયાન તેણે ભારતીય ક્રિકેટ પર ઉંડી અસર ઉપજાવી છે અને એક સમયે તો તેણે ટીમના મોટા ભાગ ના વિજય માં પાયા ની ભૂમિકાઓ ભજવી છે. ભારત જેવા ક્રિકેટ-પ્રિય દેશ માં રમતગમત ક્ષેત્રે અસરકારક પ્રદાન બદલ તેણે ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણથી નવાજવા માં આવ્યા છે. ૧૯૯૭ માં તેઓ વિઝડન ક્રિકેટર ઓફ ધી યર તરીકે પસંદ થયા હતા અને વિઝડન ૧00 ની યાદી માં ક્રિકેટ જગત ના સર્વ સમય માટે બીજા ક્રમ ના વનડે અને ટેસ્ટ ક્રિકેટ ના શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે સ્થાન મેળવ્યું.

તેંડુલકરે ક્રિકેટ વિશ્વ કપ માં પણ સતત સારો દેખાવ કર્યો. તેંડુલકર ક્રિકેટ વિશ્વ કપ, ૨૦૦૩ અને ક્રિકેટ વિશ્વ કપ, ૧૯૯૬ માં સર્વોચ્ચ રન કરનાર ખેલાડી હતા. તેંડુલકરે ઓડીઆઈ માં ૭ વખત ૧000 રન એક વર્ષ માં કર્યા, અને ૧૯૯૮ માં તેણે ૧૮૯૪ રન કર્યા, તેણે એક દિવસીય આંતરરાષ્ટ્રીયમાં એક વર્ષ માં કોઈ પણ ખિલાડી દ્રારા બનાવેલા રનોની સંખ્યા નો રેકોર્ડ આરામ થી બનાવ્યો. તેંડુલકર એવા ખેલાડીઓ ની યાદી માં સ્થાન ધરાવે છે જેઓ ૧૯૮૦ ના દાયકા થી આજ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા હોય.

તે ટેસ્ટ મેચો માં ૧૧ વખત મેન ઓફ ધી મેચ અને 4 વખત મેન ઓફ ધી સીરીઝ રહી ચુક્યો છે, તેમાંથી બે વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માં ઓસ્ટ્રેલિયા સામે. આ દેખાવ થી તેમને ઓસ્ટ્રેલિયા ના ઘણા ક્રિકેટરો અને પ્રસંશકો તરફ થી આદર મળ્યો હતો. સમાન રીતે તે એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો માં ૬0 વખત મેન ઓફ ધી મેચ અને ૧૪ વખત મેન ઓફ ધી સીરીઝ રહી ચુક્યો છે.

વ્યક્તિગત આદર અને કદર

જાન્યુઆરી ૨૦૦૮ માં બ્રિટન ના વડાપ્રધાન ગોર્ડન બ્રાઉને એવું સૂચન કર્યું હતું કે સચિન ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રદાન બદલ માનદ નાઇટહૂડ થી નવાજવા જોઇએ. તે ટાઈમ સામાયિક માં "તેની કળા નો મહાન જીવિત હિમાયતી" તરીકે ઉલ્લેખિત થયો હતો.

અન્ય ક્રિકેટર્સ દ્રારા બિરદાવવું

સપ્ટેમ્બર ૨૦૦૭ માં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર શેન વોર્ને ૫0 મહાન ક્રિકેટેર જેઓ તેના સમય દરમ્યાન રમ્યા હતા તેની યાદી છાપી, તેમાં તેંડુલકરે નંબર 1લુ સ્થાન સુનિશ્ચિત કર્યું. મહાન ભારતીય ટેસ્ટ બેટ્સમેન માંથી એક સુનીલ ગાવસ્કરે, સચિન ને " બેટિંગ સંપૂર્ણતા ની એકદમ નજીક હોવું" તરીકે ગણાવ્યો. શેન વોર્ને દશક પહેલા ઉલ્લેખ્યું હતું કે, "હું સચિન ને માત્ર વિકેટ ની અંદર દોરતો અને છગ્ગા ઉપર થી મને ચુપ કરતા દુ:સ્વપ્ન સાથે રાત્રે પથારી માં જઈશ. તે અણનમ હતો. હું નથી વિચારતો કે, ડોન બ્રેડમેન સિવાય, કોઈ પણ સચિન તેંડુલકર જેવા સમાન કક્ષા માં હોય. તે એક માત્ર અદભુત ખિલાડી છે." તેને વિવિધ ક્રિકેટર્સ દ્રારા ઘણી કદર પ્રાપ્ત કર્યા, વસીમ અક્રમ સહીત જેણે કહ્યું કે "સચિન જેવા ક્રિકેટર્સ જીવન સમય માં એક વખત આવે છે અને હું પ્રોત્સાહિત છું કે તે મારા સમય માં રમ્યો."વિવ રિચાર્ડ્સ જેણે કહ્યું કે " તે 99.95 પ્રતિશત સંપૂર્ણ છે. હું તેને જોવા માટે ભુગતાન કરીશ."બ્રાયન લારા જેણે કહ્યું કે "તમે મહાન પ્રતિભાશાળી જાણો છો જયારે તમે તેને જુઓ છો." અને મને કહેવા દો કે સચિન સ્પષ્ટ મહાન પ્રતિભાશાળી છે. અને બેરી રિચાર્ડ્સ જેણે કહ્યું કે "સચિન ક્રિકેટ નો ભગવાન છે." ભૂતપૂર્વ ન્યુ ઝીલેન્ડ નો ઓલ-રાઉંડર રીચાર્ડ હેડલી મને છે કે સચિન તેંડુલકર ક્યારે પણ થયેલો મહાન બેટ્સમેન છે જે રમત નો ગ્રેસ છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વોએ ભુતકાળ માં કહ્યું કે બ્રેડમેન પછી નો તેંડુલકર ઇતિહાસ માં મહાન ક્રિકેટર થશે. ભૂતપૂર્વ સાઉથ આફ્રિકા ના મહાન એલેન ડોનાલ્ડે તેંડુલકર ને મહાન બેટ્સમેન ગણાવ્યો જેની સામે તેણે ક્યારે પણ બોલિંગ કરી હોય. વર્તમાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીગ પણ મને છે કે તેંડુલકર મહાન બેટ્સમેન છે જેમની સાથે અથવા સામે તે રમ્યો.. સર ડોન બ્રેડમેને પણ કહ્યું કે તે જયારે સચિન ને બેટિંગ કરતા જુએ છે ત્યારે તેમાં તેમને પોતાની જાત દેખાય છે. ભૂતપૂર્વ પાકિસ્તાન કેપ્ટન અને બેટિંગ દંતકથા હનીફ મોહમ્મદે સચિન તેંડુલકરને "ઉપખંડ ના ક્રિકેટિંગ રત્ન" તરીકે ની અવધિ આપી, અને કહ્યું કે આ ભારતીય જમોણી બેટ્સમેન આવનારા વરસોમાં ઘણા બધા રેકોર્ડ્સ ટૂટવા નો નિમિત છે.

વિવાદો

માઇક ડેનિસ નો પ્રસંગ

૨00૧ માં ભારત ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ ની બીજી ટેસ્ટ મેચ માં મેચ રેફરિ માઇક ડેનિસે ચાર ભારતીય ખેલાડીઓ ને અતિશય અપિલ કરવા બદલ તેમજ કપ્તાન સૌરવ ગાંગુલી ને ટીમ ને નિયંત્રણ માં ન રાખવા બદલ દંડ કર્યો હતો. તેંડુલકર ને બોલ સાથે ચેડા કરવા બદલ એક મેચ માટે બહાર કરવા માં આવ્યા હતા. ટેલિવીઝન ના કેમેરા ની તસવીરો એવું સૂચવતી હતી કે તેંડુલકર પોર્ટ એલિઝાબેથ ના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ દરમિયાન ક્રિકેટ બોલ ની સિલાઇ ને દૂર કરવા માં સામેલ હોઇ શકે. તેનાથી બોલ ની સ્થિતી માં ફેરફાર કરી શકાય છે. મેચ રેફરિ માઇક ડેનિસે બોલ સાથે ચેડા કરવાના આરોપો ના દોષી ગણાવ્યા અને એક ટેસ્ટ મેચ નો પ્રતિબંધ લાદી દીધો. જાતિવાદ ના આરોપ સાથે નો બનાવ કાબુ બહાર હતો, અને માઇક ડેનીસ ને ત્રીજી ટેસ્ટ મેચ ની જગ્યા એ પ્રવેશ દ્રારા તેને સુમસાન બનાવ્યો. ઉંડી તપાસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આ મેચ ને રદ થયેલી જાહેર કરી અને તેંડુલકર નો પર નો પ્રતિબંધ ઉઠાવી લીધો. તેંડુલકર પર બોલ સાથે ચેડા કરવા બદલ મુકવામાં આવેલો આરોપ અને અતિશય અપિલ કરવા બદલ સેહવાગ પર મુકવા માં આવેલા પ્રતિબંધ સામે ભારતીય જનતા અને ભારતીય સંસદ માં પણ વિરોધ ના વંટોળ ઉઠ્યા.

ફેરારી પર કસ્ટમ ની છૂટ માટેનો વિવાદ

ડોન બ્રેડમેન ના ટેસ્ટ ક્રિકેટ માં ૨૯ શતક ના વિક્રમ ની સચિન તેંડુલકર ની બરોબરી ના ઉત્સવ માં, ફેરારી ઓટોમોટીવ એ તેના સિલ્વરસ્ટોન માં બ્રિટીશ ગ્રાન્ડ પ્રિક્ષ (જુલાઈ ૨૩, ૨૦૦૨) પર તેના ચરિયાણ ક્ષેત્ર પર દંતકથા સમાન એફ1 રેસર માઈકલ સ્ચુમાકર દ્રારા ફેરારી ૩૬૦ મોડેના સ્વીકાર કરવા માટે સચિન તેંડુલકરને આમંત્રણ આપ્યું. ૪ સપ્ટેમ્બર, ૨00૨ ના રોજ ભારત ના નાણાપ્રધાન જશવંતસિંઘે સચિન ને એવું કહેતા એક પત્ર લખ્યો હતો કે સરકાર તેની સિદ્ધી ને બિરદાવવા માટે તેની કાર પર લાદવા માં આવેલી કસ્ટમ ડ્યૂટી ને ઉઠાવી લેશે. આમ છતાં એ સમય ના નિયમો મુજબ ફક્ત ઇનામ તરીકે મળેલી વસ્તુઓ પર ની કસ્ટમ ડ્યૂટી માંથી છૂટ મળી શકે, ભેટ તરીકે મળેલી વસ્તુઓ પર નહીં. પછી થી ભારત માં કસ્ટમ ડુટી(રૂ.૧.૧૩ કરોડ અથવા રૂ.૭૫ લાખ ની કાર મુલ્ય પર ૧૨0%)ચૂકવ્યા વિના ફેરારી ખરીદવા ની પરવાનગી આપવા માં આવી. જૂલાઇ ૨00૩ માં જ્યારે કસ્ટમ ની છૂટ ની જાહેરાત કરવા માં આવી ત્યારે આ છૂટ સામે રાજકીય અને સામાજિક વિરોધ ઉભો થયો અને દિલ્હી હાઇકોર્ટ માં જાહેરહિત ની અરજી દાખલ કરવામાં આવી. આ વિવાદ ઘેરો બનતા સચિને કસ્ટમ ડ્યૂટી ચૂકવવાનો આગ્રહ કર્યો અને અંતે ફેરારી અંગે ના વિવાદ નો અંત આવ્યો. સચિન તેની ફેરારી મોડેના લઇ ને મુબંઇ માં રાત્રી ના સમયે ફરવા નીકળતા જોવા મળે છે.

પ્રસંશકો

સચિન પર જાન આપનાર પ્રસંશક, સુધીર કુમાર ચૌધરી જેણે જીવન પર્યાપ્ત ઘર ની બધી રમતો ની ટીકીટ માટેના હકો લઈ લીધા.

ક્રિકેટ વિશ્વ માં સચિન ના પ્રવેશ ને ભારત ના ભૂતપુર્વ અગ્રણી ખેલાડીઓ અને તેને રમતો જોનારા લોકોએ ખૂબ વખાણ્યો હતો. તેની બીજી મચ માં પહેલું અર્ધ શતક અને ૧૭ વર્ષની ઉમરે તેનો પહેલો શતક, તેંડુલકર ના સતત સારો દેખાવ તેને આખા વિશ્વ માં ઘણા પ્રસંશક કમાવી આપ્યા, જેમાં ઓસ્ટ્રેલિયન લોકોનો પણ સમાવેશ, જ્યાં તેંડુલકરે સતત શતક કર્યા હતા. સચિન ના પ્રસંશકો દ્વારા એક ખૂબ જાણીતી કહેવત બોલવામાં આવે છે કે, "ક્રિકેટ મારો ધર્મ છે અને સચિન મારો ભગવાન છે." ક્રિકઈન્ફો એ તેની પ્રોફાઈલ માં ઉલ્લેખ કર્યો કે "...તેંડુલકર અવશેષ, અંતર દ્રારા, દુનિયા માં સૌથી વધારે પૂજાયેલો ક્રિકેટર છે.

મુંબઇ માં તેના ઘર ખાતે, તેંડુલકર ના પ્રસંશકો ની ભીડ ઘણી હોવાથી તે સામાન્ય જીવન જીવવા માટે અસમર્થ છે. ઇયાન ચેપલે જણાવ્યું હતું કે તેણે અલગ પ્રકાર ની શૈલી થી જીવવા નું દબાણ છે અને તેણે વિગ પહેરી ને બહાર જવું પડે અને ફક્ત રાત ના સમયે જ ફીલ્મ જોવા જઇ શકે. ટીમ શેરીડેન ને આપેલા એક ઇન્ટર્વ્યૂ માં સચિને કબૂલ્યું હતું કે તે મુબંઇ ની શેરીઓ માં રાત ના સમયે શાંત ડ્રાઇવ કરવા જાય છે જ્યારે તે થોડી શાંતિ અને નિરવતા ને માણી શકે છે.

સચિન નો એક અત્યંત દિલી પ્રસંશક છે, તે છે સુધીર કુમાર ચૌધરી. સુધીર કુમાર ચૌધરી સચિન નો અને ભારતીય ક્રિકેટ ટીમ નો પ્રસિદ્ધ અત્યંત દિલી પ્રસંશક છે. તેણે પોતાના શરીર ને ભારતીય ઝંડા ના રંગથી રંગયુ અને તેની પીઠ પર તેંડુલકર નું નામ લખ્યું અને દરેક ઘરેલું રમત ની મુલાકાત લીધી. બધી ઘરેલું રમત ની જીવન પર્યાપ્ત નિશ્ચિત ટીકીટ મંજુર કરવા માટે ભૂતપૂર્વ બીસીસીઆઈ ના પ્રમુખ શરદ પવાર સામે તે પોતાનો રંગેલો શરીર બતાવવા માટે નગ્ન થયો હતો. તે સચિન ને દર વર્ષે ૧000 લીચીસ મોકલતો અને ક્રિકેટર્સ પાસે થી આભાર તરીકે ટીકીટસ અને ભેટ પ્રાપ્ત કરતો. તે બધી ભારતીય ઘરેલું રમત માં નજરે ચડ્યો અને તેને પોતે સચિન દ્રારા પ્રોત્સાહન અને ટીકીટ પ્રાપ્ત કર્યું.

ધંધાકીય રસ

સચિન ની જંગી લોકપ્રિયતા ને પગલે ભૂતકાળ માં તેને સંખ્યાબંધ ઔદ્યોગિક સોદાઓ પણ કર્યા છે. હાલ માં સમગ્ર વિશ્વ ના ક્રિકેટરો ની સરખામણી એ સૌથી વધુ સ્પોન્સરશીપ ધરાવતો ખેલાડી છે. સચિન ૧૯૯૫ માં વર્લ્ડટેલ સાથે પાંચ વર્ષ માટે રૂ.30 કરોડ રૂપિયા નો સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સોદો કર્યો ત્યારે તે ક્રિકેટ ના ઔદ્યોગિક સોદા ઓ કરનારા પ્રથમ ભારતીય ખેલાડી ગણાતા. ૨00૧ માં તેનો વર્લ્ડટેલ સાથે પછીનો કરાર ૫ વર્ષ માટે ૮0 કરોડ ના મૂલ્ય નો હતો. ૨00૬ માં તેમણે સાત્ચી અને સાત્ચી ના આઈકોનિક્ષ સાથે 3 વર્ષ માટે ૧૮0 કરોડ નો કરાર કર્યો. તેઓ વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા ક્રિકેટર છે.

પ્રસિધી નો ઉપયોગ કરતા, તેંડુલકરે બે રેસ્ટોરેન્ટ શરૂ કરી હતી :તેંડુલકર'સ (કોલાબા, મુંબઈ) અને (મુલુંડ, મુંબઈ). સચિન આ રેસ્ટોરેન્ટ્સ માં માર્સ રેસ્ટોરેન્ટ ના સંજય નારંગ સાથે ભાગીદારી ધરાવે છે. તેમણે બેંગલોર ખાતે સચિન્સ નામ ની નવી રેસ્ટોરેન્ટ ની પણ શરૂઆત કરી છે.

૨00૭ માં તેંડુલકરે એસ ડ્રાઇવ એન્ડ સચ બ્રાન્ડ હેઠળ હેલ્થકેર અને ફિટનેસ પ્રોડક્ટ્સ ની રજૂ કરવા ફ્યુચર ગ્રુપ અને મણીપાલ ગ્રુપ સાથે સંયુક્ત સાહસ ની રચના ની પણ જાહેરાત કરી હતી. વર્જિન કોમિક્સ ની એક કોમિક્સ બુકમાં સચિન ને સુપર હીરો તરીકે પણ વર્ણવવા માં આવ્યા હતા.

ઉત્પાદનો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ

સચિન તેંડુલકરે આ બ્રાન્ડ્સ સાથે એન્ડોર્સ કરેલ છે જે આ પ્રમાણે છે

જીવનચરિત્રો

સચિન તેંડુલકર પર ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. સચિન તેંડુલકર ની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરતા કેટલાક પુસ્તકો ના નામ નીચે મુજબ છે:

  • સચિન: ધી સ્ટોરી ઓફ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ બેટ્સમેન ગુલુ એઝેકીલ દ્રારા. પ્રકાશક: પેગ્વિન ગ્લોબલ આઈએસબીએન ૯૭૮-0-૧૪-30૨૮૫૪
  • ધ એ ટુ ઝેડ ઓફ સચિન તેંડુલકર ગુલુ એઝેકીલ દ્રારા. પ્રકાશક: પેગ્વિન ગ્લોબલ આઈએસબીએન ૯૭૮-૮૧-૭૪૭૬-૫30-૭
  • સચિન તેંડુલકર - એ ડેફિનીટીવ બાયોગ્રાફી - વૈભવ પુરાંદરે. પ્રકાશક: રોલિ બુક્સ. આઈએસબીએન ૮૧-૭૪3૬-3૬0-૨
  • સચિન તેંડુલકર - માસ્ટરફુલ - પિટર મરે, આશિષ શુક્લા પ્રકાશક: રૂપા. આઈએસબીએન ૮૧-૭૧૬૭-૮૦૬-૮
  • ઇફ ક્રિકેટ ઈઝ અ રિલિજિયન, સચિન ઈઝ ગોડ વિજય દ્રારા, શ્યામ બલાસુબ્રમાંનિયન પ્રકાશક: હાર્પારકોલ્લીન્સ ઇન્ડિયા આઈએસબીએન ૯૭૮-૮૧-૭૨૨૩-૮૨૧-૬

નોંધ

સંદર્ભો

  1. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; CricinfoProfileનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  2. Elegy for the Long Player
  3. Arora, Nishant. "India will need Sachin for next 2-3 years: Srikkanth: Cricket Next". Cricketnext.in.com. મૂળ માંથી 2008-10-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-27. સંગ્રહિત ૨૦૦૮-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન
  4. "Despite the loss of ageing stars, India is on the brink of a golden era". Theage.com.au. મેળવેલ 2008-11-27.
  5. Oct 18, 2008 (October 18, 2008). "AFP: Tendulkar a special talent, says Gavaskar". Afp.google.com. મૂળ માંથી 2008-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-27.
  6. "Shane Warne's 50 greatest cricketers". Timesonline.co.uk. મેળવેલ 2008-06-01.
  7. "Reliving a dream". The Hindu. 6 April 2011. મૂળ માંથી 19 મે 2012 પર સંગ્રહિત. મેળવેલ 6 April 2011. Italic or bold markup not allowed in: |newspaper= (મદદ)
  8. "Tendulkar announces limited-overs retirement". Wisden India. મૂળ માંથી 23 ડિસેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 23 December 2012.
  9. "Tendulkar calls time on IPL career". Wisden India. 26 May 2013. મૂળ માંથી 16 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 19 નવેમ્બર 2013. Check date values in: |archive-date= (મદદ)
  10. "Tendulkar to retire after 200th test - Cricinfo". espncricinfo.com. 10 October 2013.
  11. "Sachin Tendulkar announces retirement from Test cricket". Times of India. 10 October 2013.
  12. "Sachin Tendulkar: India batting legend to retire from all cricket". BBC Sport. 10 October 2013. મેળવેલ 11 October 2013.
  13. "Records | Combined Test, ODI and T20I records | Batting records | Most runs in career | ESPN Cricinfo". Stats.espncricinfo.com. મેળવેલ 18 December 2012.
  14. Mangalore Today News Network – Sachin Tendulkar celebrates twenty glorious years of cricket
  15. "Official Opus Website – Biography of Tendulkar". મૂળ માંથી 2012-09-20 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-25.
  16. India4u – Biography of Sachin Tendulkar
  17. Thani, L.; Mishra, R. (1999). Sensational Sachin. Diamond Pocket Books. પૃષ્ઠ 113. His mother Rajni Tendulka worked in L.I.C.ઢાંચો:ISBN missing
  18. "38 special facts about Sachin Tendulkar - 2". Sports.in.msn.com. 16 March 2012. મૂળ માંથી 6 જૂન 2013 પર સંગ્રહિત. મેળવેલ 18 December 2012. સંગ્રહિત ૨૦૧૩-૦૬-૦૬ ના રોજ વેબેક મશિન

પૂરક વાચન

  • Murray, Peter (2002). Sachin Tendulkar: Masterful. Murray Advertising. ISBN 81-7167-806-8. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)

બાહ્ય કડીઓ

પુરોગામી Indian National Test Cricket Captain
1996/97 - 1997/98
અનુગામી
Mohammad Azharuddin
પુરોગામી Indian National Test Cricket Captain
1999/2000
અનુગામી
Sourav Ganguly
પુરોગામી Rajiv Gandhi Khel Ratna
1997/1998
અનુગામી
Jyotirmoyee Sikdar
પુરોગામી Indian Awardees of Wisden Cricketer of the Year
1997
અનુગામી
Rahul Dravid