સભ્ય:Ahzaz18/સિંધી લોકો

વિકિપીડિયામાંથી
સિંધી
سنڌي / सिन्धी /
કુલ વસ્તી
c. 3.૨ કરોડ[સંદર્ભ આપો]
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
 પાકિસ્તાન૩,૦૫,૦૦,૦૦૦[૧]
 ભારત3,810,000[૨]
 સંયુક્ત આરબ અમીરાત341,000[સંદર્ભ આપો]
 મલેશિયા30,500[સંદર્ભ આપો]
 યુનાઇટેડ કિંગડમ30,000[સંદર્ભ આપો]
 કેનેડા11,500[સંદર્ભ આપો]
 ઇન્ડોનેશિયા10,000[સંદર્ભ આપો]
 યુનાઈટેડ સ્ટેટ્સ9,801[સંદર્ભ આપો]
 સિંગાપુર8,800[સંદર્ભ આપો]
 હોંગ કોંગ7,500[૩]
 ઓમાન700[સંદર્ભ આપો]
 જિબ્રાલ્ટર500[સંદર્ભ આપો]
ભાષાઓ
સિંધી
ધર્મ
મુખ્યત્વે ઇસ્લામ
લઘુમતી હિન્દુ ધર્મ અને શીખ ધર્મ

સિંધી ( Sindhi: سنڌي ( પર્સો-અરબી ), सिन्धी ( દેવનાગરી ) , link= ( ખુદાબદી ) ) એ ભારત-આર્યન એથનો-ભાષીય જૂથ છે જે સિંધી ભાષા બોલે છે અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના મુળવતની છે. 1947 માં ભારતના ભાગલા પછી, મોટાભાગના સિંધી હિંદુઓ અને સિંધી શીખ નવા રચાયેલા ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં સ્થળાંતરિત થયા. આજે, વંશીય સિંધીઓ ભારત અને પાકિસ્તાન બંનેમાં છે. ભારતીય સિંધીઓ મુખ્યત્વે હિન્દુ છે, જ્યારે પાકિસ્તાની સિંધીઓ મુખ્યત્વે મુસ્લિમ છે.

સિંધી મુસ્લિમ સંસ્કૃતિ સુફી સિદ્ધાંતો થી ખૂબ પ્રભાવિત છે. [૪] શાહ અબ્દુલ લતીફ ભીટાઇ, લાલ શાહબાઝ કાલંદર, ઝુલેલાલ અને સચલ સરમસ્ત લોકપ્રિય સાંસ્કૃતિક ખ્યાતીઓ માથી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાગૈતિહાસિક સમયગાળો[ફેરફાર કરો]

ભારતીય સિંધી લોકોનો જુનવાણી ગ્રુપ ફોટો

ઇ.સ.પૂર્વે 1700 વર્ષ આસપાસ સિંધુ ખીણ ની જનસંસકૃતી અજાણ્યા કારણોસર લુપ્ત થવા લાગી હતી. જોકે આ ઘટાડો ભૂકંપ અને ઘાગ્ગર નદી ના સુકાવાના કારણે હોવાનું મનાય છે. ઇ.સ. પૂર્વે 1500 વર્ષ આસપાસ આર્યો એ સરસ્વતી અને ગંગા નદી આસપાસ વૈદિક સંસકૃતી ની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. આ સંસકૃતી નો આવનારા સમય માં બીજી સનસકૃતિઓ ને રૂપ આપવામાં મોટો ફાળો છે.

ઐતિહાસિક સમયગાળો[ફેરફાર કરો]

ઇ.સ. પૂર્વેના પ્રથમ સહસ્ત્રાબ્દીની કેટલીક સદીઓથી અને પ્રથમ સહસ્ત્રાબ્દીની પ્રથમ પાંચ સદીઓમાં, સિંધનો પશ્ચિમ ભાગ (સિંધુ નદીના પશ્ચિમ ભાગ પરના ક્ષેત્રો) ૭મી અને ૧૦મી સદી વચ્ચેના ઇસ્લામિક આક્રમણ પહેલાં પર્સિયન, ગ્રીક અને કુશન શાસન હેઠળ હતા, [સંદર્ભ આપો] પેહલા અકિમિડીન રાજવંશ (૫૦૦-૩૦૦ પૂર્વે) દરમિયાન, ત્યારબાદ એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, ત્યારબાદ ઈન્ડો-ગ્રીક અને ત્યારબાદ પણ ભારત-સસાનીડ્સ હેઠળ. એલેક્ઝાંડર પર્સિયન સામ્રાજ્ય પર વિજય મેળવ્યા પછી પંજાબ અને સિંધ તરફ આગળ વધ્યો હતો. ઈસ. પૂવૅ ૪૫૦ થી ઈસ.૪૮૯ સુધી રોર રાજવંશ એ આધુનિક સિંધ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં શાસન કર્યું હતું.

ઈસ. ૭૨૦ પછી આરબો દ્વારા શરુઆત મા જીતવામા આવેલા અને ઈસ્લામ થી પ્રભાવીત થવા વાળા પ્રદેશો માથી એક સિંધ હતો.

જાતિ અને ધર્મ[ફેરફાર કરો]

સૂમરો (ઈસ ૯૭૦ થી ૧૩૫૧ સુધી રાજ કરેલ સૂમરો રાજવંશ ના વંશજો) અને કુરેશી (ઈસ ૧૩૫૧ થી ૧૫૨૧ સુધી રાજ કરેલ કુરેશી રાજવંશ ના વંશજો) સિંધની મુખ્ય અને સર્વોચ્ચ ક્રમાંકિત આદિજાતિઓ છે. આ બન્ને આદિજાતિઓ એક જ પેઢી માંથી આવે છે. ભચાો, ભુટ્ટો, ભાટી, ભાંભ્રો. મહેન્દ્રો, બુરીરો, લાખા, સહેતા, લોહાણા, મોહાણા, ડાહર, ઈંધાર, ચાચર, ધારેજા, રાથોડ, દખણ, લંઘા, મહર્સી વગેરા સિંધી રાજપુત માંથી છે. રાજસ્થાન ના ગુજરાત ના સિંધી સિપાઈ અને ગુજરાત ના સંધિ મુસ્લીમ એ સિંધી રાજપુત ના સમુદાય છે. સિંધ નો જાટ સમુદાય, જે મુખ્યત્વેે સિંધ ના ભાગો મા જોવા મળે છે, એ સિંધી રાજપુત સાથે નજીકથી સંબંધિત છે. જોકે, પંજાબ અને બલુચિસ્તાનની તુલનામાં સિંધમાં આદિજાતીઓનું બહુ મહત્વ નથી. સિંધમાં ઓળખ મોટાભાગે સામાન્ય વંશીયતા પર આધારિત છે.

સિંધી મુસ્લીમ[ફેરફાર કરો]

સિંધની સ્થિર સમૃદ્ધિ અને તેની વ્યૂહાત્મક ભૌગોલિક સ્થીતી ના કારણે એના પર વિદેશી સામ્રાજ્યો દ્વારા આક્રમણ કરવામા આવેલા હતા. ઈસ. ૭૧૨ માં, સિંધને ખિલાફત (ઇસ્લામિક સામ્રાજ્ય) માં સમાવિષ્ટ થય ગયો હતો અને તે ભારતમાં ‘અરબી પ્રવેશદ્વાર’ બન્યુ. (પાછળથી તે બાબ-ઉલ-ઇસ્લામ (ઈસ્લામના દરવાજા) તરીકે ઓળખવા માં આવ્યો).

સિંધે શરૂઆતમાં ઘણા મુસ્લિમ વિદ્વાનો ઉત્પન્ન કર્યા, "પુરુષો જેમનો પ્રભાવ ઇરાક સુધી પહોંચ્યો જ્યાં લોકો તેમના ભણતર વિશે ખૂબ માનતા હતા", ખાસ કરીને હદીસમાં, []] કવિ અબુ અલ-અતા સિંધી (ડી. ૧9)) ની પસંદથી અથવા હદીદ અને ફિકહ વિદ્વાન અબુ માશર સિંધી (મ. 160), અને ઘણા લોકોમાં, અને તેઓ એવા પણ છે જેમણે સંસ્કૃતમાંથી અરબીમાં વૈજ્ scientificાનિક ગ્રંથોનો અનુવાદ કર્યો, દાખલા તરીકે, ખગોળશાસ્ત્રમાં ઝિજ અલ-સિંધિંડ. []]



  1. CCI to consider releasing census results without 5pc audit Dawn News.
  2. "Scheduled Languages in descending order of speaker's strength – 2011" (PDF). Registrar General and Census Commissioner of India. 29 June 2018.
  3. Kesavapany, K.; Mani, A.; Ramasamy, P. (1 January 2008). "Rising India and Indian Communities in East Asia". Institute of Southeast Asian Studies – Google Books વડે.
  4. Ansari, Sarah FD. Sufi saints and state power: the pirs of Sind, 1843–1947. No. 50. Cambridge University Press, 1992.