સાત ઘોર પાપ (ખ્રિસ્તી ધર્મ)

વિકિપીડિયામાંથી
હિરોનિમસ બોશનું ધ સેવન ડેડલી સિન્સ અને ધ ફોર લાસ્ટ થિન્ગ્સ

બાઇબલ મુજબસાત ઘોર પાપ, કે જે ગંભીર પાપ અથવા કાર્ડીનલ પાપ તરીકે ઓળખાય છે તે, સૌથી વધુ વાંધાજનક ગંભીરદોષનું વર્ગીકરણ છે કે જે પ્રારંભના ક્રિશ્ચિયન સમયથી શિષ્યોને પાપમાં પડવાની માનવી વૃતિની અનૈતિકતા સામે શિક્ષિત કરવા ઉપદેશ આપવામાં ઉપયોગમાં લેવાય છે. તેની સુચિના આખરી સ્વરૂપમાં સમાવેશ છે ક્રોધ, લોભ આળસ, ગર્વ, વાસના, ઇર્ષા અને ખાઉધરાપણું.

કેથોલીક ચર્ચે પાપને બે મુખ્ય કક્ષામાં વહેંચ્યો છે: “ક્ષમ્ય કે નજીવા પાપ” જે પ્રમાણમાં હળવા છે અને ચર્ચની ધાર્મિક વિધિઓ (સાત વિધિઓ) કે તેમાંની એક કરીને માફ કરી શકાય છે અને વધુ "ગંભીર" કે ભયંકર પાપ. ભયંકર પાપ મોહકતાની જીંદગીનો નાશ કરે છે અને પેનાન્સની ચર્ચની વિધિ દ્વારા કે પ્રાયશ્ચિત કરનાર દ્વારા સંપુર્ણ પસ્તાવા દ્વારા તેનો નાશ ન કરાય તો શાશ્વત નરકની સજાનો ભય ઊભો કરે છે.

14 મી સદીના પ્રારંભમાં તે વખતના યુરોપીયન કલાકારોમાં મુખ્ય વિષય તરીકે આ સાત ઘોર પાપની લોકપ્રિયતાએ, કેથોલીક સંસ્કારના ઘણા ક્ષેત્રોમાં તથા કેથોલીક માન્યતામાં એકંદર દુનિયાભરમાં ઊંડી જડ નાંખવામાં મદદ કરી હતી. આવી એક ઊંડી જડ હતી આ સાત ઘોર પાપના લેટીન ભાષાના પ્રથમાક્ષરો સુપર્બીયા, એવેરીટીયા, લુક્ષુરીયા, ઇન્વીડીયા, ગુલા, ઇરા, અકેડીયા ના આધારે સ્મરણશક્તિના "સેલીજીયા"ની રચના હતી.[૧]

બાઇબલીકલ સુચિ[ફેરફાર કરો]

બુક ઓફ પ્રોવર્બ્સમાં, ખાસ કરીને ઇશ્વરને અણગમો છે તેવી છ બાબતો અને સાતમો તેના આત્માને જે ગમતી નથી તે બાબત દર્શાવી છે જેના નામ નીચે મુજબ છે.[૨]

  • અભિમાની દેખાવ
  • ખોટું બોલતી જીભ
  • નિર્દોષનું લોહી વહેવડાવતા હાથ
  • દુષ્ટ કાવત્રા ઘડતું હ્રદય
  • દુષ્કૃત્યો ભણી દોરી જતા પગ
  • ખોટું બોલીને છેતરપીંડીયુક્ત સાક્ષી આપવી
  • ભાઈઓની વચ્ચે કુસંપ પેદા કરનાર

આમાં સાત હોવા છતા તે પરંપરાગત યાદી કરતા ઘણું અલગ છે, બંને તરફ સમાન હોય તેવું પાપ માત્ર ગર્વ છે. બીજી ખરાબ વસ્તુની યાદી, આ વખતે જે એપિસ્ટલ દ્વારા ગેલેશિયન્સને આપવામાં આવી હતી તેમાં પરંપરાગત સાત પાપના વધારે પાપ સમાવેશ કરે છે, જો કે યાદી ઘણી લાંબી છે: વ્યભિચાર, અપરિણત સ્ત્રી-પુરૂષનો દેહસંબંધ, અસ્વચ્છતા, કામાતુરતા, મૂર્તિપૂજા, મેલીવિદ્યા, તિરસ્કાર, અણબનાવ, સ્પર્ધાત્મકતા, ગુસ્સો, કજિયો, રાજદ્રોહ, પાખંડ, ઈર્ષ્યા, ખૂન, દારૂડિયાપણું, ખાઈ-પીને મસ્તી કરવી "અને તેના જેવા".[૩]

બાઈબલનાં પાઠો[ફેરફાર કરો]

પ્રોર્વબ્સ 6:16-24 પ્રોર્વબ્સ 6

  • 16 આ છ વસ્તુઓ ઈશ્વર ધિક્કારે છે: હા, સાત વસ્તુઓ તેમને માટે તિરસ્કારપાત્ર છે:
  • 17 અભિમાની દેખાવ, જુઠી જબાન અને નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ.
  • 18 હૃદય જે દુષ્ટ કલ્પનાઓનું આયોજન કરે, પગ જે તોફાન કરવા ઝડપથી દોડે,
  • 19 ખોટો સાક્ષી જે જુઠું બોલ, અને તે જે ભાઈઓમાં કુસંપના બી વાવે.
  • 20 મારા દિકરા, તારા પરમ પિતાના આદેશોનું પાલન કર, અને તારી માતાના કાનૂનનો ત્યાગ ન કર:
  • 21 તેઓને સતત તારા હૈયા સાથે જકડી રાખ અને તારી ગરદન આસપાસ બાંધી છે.
  • 22 તું જયારે જઈશ ત્યારે, તે તને દોરશે, તું સૂઈ જઈશ ત્યારે, તે તારું ધ્યાન રાખશે; અને તું જાગીશ ત્યારે, તે તારી સાથે વાત કરશે.
  • 23 આદેશ એક દીવો છે; અને કાયદો એ પ્રકાશ છે; અને સૂચના અંગે ઠપકો આપવો તે જિંદગીનો રાહ છે:
  • 24 દુષ્ટ સ્ત્રીથી તમને દૂર રાખવા, અજાણ સ્ત્રીની ખુશામતભરી વાતોથી દૂર કરવા.

પરંપરાગત સાત પાપોનો વિકાસ[ફેરફાર કરો]

સાત ઘોર પાપોની આધુનિક વિભાવના, 4થી સદીના સંતઈવાગ્રિયસ પોન્ટિકસના કામો સાથે જોડાયેલી છે, જેમણે ગ્રીકમાં દુષ્ટ વિચારો ની યાદી કરી હતી જે નીચે મુજબ છે: [૪]

  • [Γαστριμαργία] Error: {{Lang}}: unrecognized language code: gk (help)(ગેસ્ટિમાર્ગિયા)
  • [Πορνεία] Error: {{Lang}}: unrecognized language code: gk (help) (પોર્નિયા)
  • [Φιλαργυρία] Error: {{Lang}}: unrecognized language code: gk (help) (ફિલરગિનિયા)
  • [Λύπη] Error: {{Lang}}: unrecognized language code: gk (help) (લાઇપ)
  • [Ὀργή] Error: {{Lang}}: unrecognized language code: gk (help) (ઓર્જે)
  • [Ἀκηδία] Error: {{Lang}}: unrecognized language code: gk (help) (અકેડિયા)
  • [Κενοδοξία] Error: {{Lang}}: unrecognized language code: gk (help) (નોડોક્ષિયા)
  • [Ὑπερηφανία] Error: {{Lang}}: unrecognized language code: gk (help) (હાઇપરફાનિયા)

તેનું ભાષાંતર લેટિનમાં કેથલિક સ્પિરિટયુલ પાઈટાસમાં (અથવા કેથલિક ઉપાસનાઓમાં) નીચે મુજબ કરવામાં આવ્યું હતું:[૫]

આ ’દુષ્ટ વિચારોને’ ત્રણ જૂથમાં વિભકત કરી શકાય:[૫]

  • લાલસાપૂર્ણ રૂચિ (ખાઉધરાપણું, અપરિણીત સ્ત્રી-પુરૂષનો દેહસંબંધ તથા લોભ)
  • ચીડિયાપણું (ક્રોધ)
  • હોશિયાર (બડાઈખોરી, દુ:ખ, અભિમાન અને હતોત્સાહ)

ઈ.સ. 590 માં એવાગ્રિયસના થોડાક વર્ષો બાદ, પોપ ગ્રેગરી 1 દ્વારા આ યાદી સુધારવામાં આવી અને વધુ સામાન્ય સાત ઘોર પાપો ની યાદી બનાવી, જેમાં દુ:ખ/નિરાશા ને ધર્મ પ્રત્યેની ઉદાસીનતા માં અને બડાઈખોર ને અભિમા નમાં આવરી લીધા અને અતિશય ખર્ચાળપણું તથા ઈર્ષ્યા ને ઉમેરીને યાદીમાંથી અપરિણિત સ્ત્રી-પુરૂષ દેહસંબંધ ને કાઢી નાખવામાં આવ્યું. પોપ ગ્રેગરી અને દાંતે અલિધિએરીએ તેના મહાકાવ્ય ધ ડિવાઈન કોમેડી માં વાપરેલ ક્રમમાં સાત ઘોર પાપ નીચે પ્રમાણે છે:

  1. [luxuria] Error: {{Lang}}: text has italic markup (help) (અતિશય ખર્ચાળપણું)
  2. [gula] Error: {{Lang}}: text has italic markup (help) (ખાઉધરાપણું)
  3. [avaritia] Error: {{Lang}}: text has italic markup (help) (લોભ/લાલચ)
  4. [acedia] Error: {{Lang}}: text has italic markup (help) (ધર્મ પ્રત્યે ઉદાસીનતા)
  5. [ira] Error: {{Lang}}: text has italic markup (help) (ગુસ્સો)
  6. [invidia] Error: {{Lang}}: text has italic markup (help) (ઈર્ષ્યા)
  7. [superbia] Error: {{Lang}}: text has italic markup (help) (અભિમાન)

તેમના ઇતિહાસ દરમિયાન સાત ઘોર પાપોની ઓળખ અને વ્યાખ્યા એક પ્રવાહી પ્રક્રિયા રહી છે અને સાતેય પાપોમાં જે વિચાર ખરેખર આવરી લેવામાં આવ્યો છે તેમાં સમય જતા વિકાસ થયો છે. વધુમાં સિમેન્ટિક (ભાષા વિજ્ઞાનની શાખા) પરિવર્તનને પરિણામે:

  • લક્ષેરિયા ને બદલે કામવાસના શબ્દ બદલવામાં આવ્યો હતો પરંતુ તે માત્ર નામ પૂરતો જ સુધારો હતો.
  • અકેડિયા માટે સોકોર્ડિયા આળસ શબ્દ બદલવામાં આવ્યો હતો

દાન્તેએ આ સુધારેલ યાદીનો ઉપયોગ કર્યો છે. (આમ છતાં અતિશય ખર્ચાળપણાને બાકાત નથી કર્યા - દાન્તેએ સ્વર્ગના ચોથા સર્કલમાં નિરર્થકને સજા પામેલ રૂપે રાખેલ છે). સિમેન્ટિક પરિવર્તનની પ્રક્રિયાને એ હકિકતથી સહાય મળી છે કે બાઈબલે પોતે, ક્યાં તો જોડનાર કે સાંકેતિક ઢબે, સામૂહિક વ્યકિતત્વના લક્ષણોનો સામૂહિક રીતે ઉલ્લેખ કર્યો નથી; આના બદલે અન્ય સાહિત્યિક અને ધર્મવિષયક પુસ્તકોની વ્યાખ્યા તારવી શકાય તેવાં સ્ત્રોતો તરીકે ચર્ચાવિચારણા થાય છે. દાન્તેની ડિવાઈન કોમેડી ના પુર્ગાટોરિયા નો ભાગ 2 લગભગ ચોક્કસપણે નવજાગૃતિના સમયકાળથી સૌથી ઉત્તમ જાણીતો સ્ત્રોત બની રહયો છે.

આધુનિક રોમન કેથલિક કેટકિસમ પાપોની યાદી કરે છે, "અભિમાન, લોભ લાલચ, ઈર્ષ્યા, ક્રોધ, કામાતુરતા, ખાઉધરાપણું અને ધર્મ પ્રત્યે સુસ્તી/ઉદાસીનતા .[૬] હવે દરેક સાત ધોર પાપો સામે વિરુધ્ધ આનુષંગિક પવિત્ર સાત ગુણો પણ છે. (કેટલીકવાર તેનો વિરુધ્ધ ગુણો તરીકે પણ ઉલ્લેખ થાય છે). આ પાપોના સમાંતર ક્રમમાં તેઓની વિરુધ્ધના સાત પવિત્ર ગુણો છે, નમ્રતા, સખાવત, દયા, ધીરજ, પવિત્રતા, સંયમ અને ખંત.

ઘોર પાપોની ઐતિહાસિક અને આધુનિક વ્યાખ્યાઓ[ફેરફાર કરો]

અતિશય ખર્ચાળપણું[ફેરફાર કરો]

અતિશય ખર્ચાળપણું એટલે અનિયંત્રિત આત્યંતિકતા. અતિશય ખર્ચાળપણાની વર્તણુંકમાં મોજશોખની વસ્તુઓની વારંવાર ખરીદીનો અને વિલાસિતાના સ્વરૂપોની ખરિદીનો સમાવેશ થાય છે. રોમાન્સની ભાષાઓમાં, લક્ષેરિયા તે સમાનાર્થીમાંથી (પાપનું લેટિન નામ) ઉદ્દભવ્યું છે, જેનો સંપૂર્ણતયા સેકસ્યુઅલ અર્થ થાય છે; જેથી ફ્રેન્ચ મૂળ સમાનાર્થી અંગ્રેજીમાં લક્ષરી તરીકે અપનાવામાં આવ્યો, પરંતુ 14મી સદી સુધીમાં તેનો સેકસને લગતો અર્થ નાશ પામ્યો.[૭]

કામાતુરતા[ફેરફાર કરો]

કામાતુરતા અથવા લેચેરી(કાર્નલ "લક્ષેરિયા ") સામાન્યપણે સેકસ્યુઅલ પ્રકૃત્તિના અતિશય વિચારો કે ઈચ્છાઓ તરીકે વિચારાય છે. એરિસ્ટોટલનું ધોરણ હતું, બીજાઓ પ્રત્યેનો અતિશય પ્રેમ , જેથી તેમનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને નિષ્ઠા ગૌણ-દ્વિતિય ક્રમે ગણાતો હતો. દાંતેના પુર્ગાટોરિયા માં, પસ્તાવો કરનાર પોતાનો કામપૂર્ણ, લૈંગિક વિચારો અને લાગણીઓ શુધ્ધ કરવા જવાળાઓમાં થઈને ચાલે છે. દાંતેના "ઈન્ફર્નો" માં કામતુરતાના પાપના માફ ન કરાયેલ આત્માઓ પવનની જેમ જંપીને ન રહેતા વાવાઝોડામાં ઊડી જાય છે, જે ભૌતિક જીવનમાં પોતાના કામપૂર્ણ આવેશો પર તેમના પોતાના નિયંત્રણના અભાવના પ્રતીકરૂપ છે.

ખાઉધરાપણું[ફેરફાર કરો]

"એક્સેસ"(એલબર્ટ એન્કર, 1896)

લેટિન શબ્દ ગ્લુટિર પરથી વ્યુત્પન્ન થયેલો શબ્દે, જેનો અર્થ છે ઉતાવળથી કોળિયા ઉતારી જવા કે ગળી જવા.ખાઉધરાપણું (લેટિન [gula] Error: {{Lang}}: text has italic markup (help)- એટલે બગાડના મુદ્દે કોઈપણ વસ્તુમાં અતિશય અસંયમ અને અતિશય ઉપભોગ. ખ્રિસ્તી ધર્મમાં તેને પાપ ગણાય છે, કારણ કે ખોરાકની આત્યંતિક ઈચ્છા, અથવા જરૂરીયાતમંદ પાસેથી તેનો ઉપયોગ અટકાવવાને પાપ ગણવામાં આવે છે.[૮]

સંસ્કૃતિ પર આધાર રાખીને, તેને દુર્ગુણ કે દરજ્જાની નિશાની તરીકે જોઈ શકાય. જયાં અન્નની પ્રમાણમાં અછત હોય ત્યાં સારી રીતે ખાઈ શકાય તે અભિમાન લેવા જેવી કોઈક વસ્તુ બને. પરંતુ જે વિસ્તારમાં રાબેતા મુજબ વિપુલ માત્રામાં હોય ત્યાં, તેના અતિશય ભોગ ભોગવવાની લાલચનો પ્રતિકાર કરવો એ આત્મસંયમની નિશાની ગણી શકાય. મધ્યકાળના ચર્ચના અગ્રણીઓએ (દા.ત. થોમસ એકિવનસ) ખાઉધરાપણાનો એક ખૂબ વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો,[૮] તેમણે દલીલ કરી કે તેમાં ભોજનનું વળગેલી અપેક્ષા, અને સ્વાદિષ્ટ તથા અતિશય કીમતી આહાર સતત ખાવાનો સમાવેશ થાય છે.[૯] એકિવનસે ખાઉધરાપણું આચરવાના છ માર્ગોની યાદી તૈયાર કરી, જેમાં સમાવિષ્ટ છે:

  • પ્રાઇપ્રોપેરે - ખૂબ ઝડપથી ખાવું.
  • લૌટે - ખૂબ ખર્ચાળ ખાવું.
  • નિમિસ - ખૂબ વધારે ખાવું.
  • આર્ડેન્ટર - અતિશય આતુરતાથી ખાવું (બળતાં હોય તે રીતે).
  • સ્ટુડિઓસે - અતિશય સ્વાદિષ્ટ ખાવું (ઉત્સુકતાથી).
  • ફોરેન્ટે - જંગલીની જેમ ખાવું (કંટાળાજનક રીતે).

લોભ[ફેરફાર કરો]

લોભ (લેટિન, [avaritia] Error: {{Lang}}: text has italic markup (help)), જેને લાલચ કે લાલસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કામાતુરતા અને ખાઉધરાપણાની જેમ અતિશયતાનું પાપ છે. આમ છતાં લોભ (ચર્ચ દ્વારા જોવામાં આવે છે તે પ્રમાણે) તે ધન, દરજ્જો અને સત્તાના ખૂબ આત્યંતિક કે બેહદ લોભપૂર્ણ ઈચ્છા અને તેની મેળવવાની શોધ છે. સંત થોમસ એકિવનને લખ્યું હતું કે લોભ એ "ઈશ્વર સામેનું, બધા નશ્વર પાપોની જેમ પાપ છ, જેને માણસ ભૌતિક વસ્તુઓ ખાતર શાશ્વત વસ્તુઓને વખોડે છે." દાંતેના પુર્ગાટોરિમાં પસ્તાવો કરનારાઓને પાર્થિવ વિચારો પર અતિશય ધ્યાન આપવા બફલ બાંધીને ભૂમિ પર મોં નીચું રાખીને સુવાડવામાં આવ્યા હતા. "લાલચ" એ વિશેષ તો ઢાંકપિછોડ કરનાર શબ્દ છે, જે લોભી વર્તણુંકના બીજા અનેક ઉદાહરણોનું વર્ણન કરી શકે છે. આમાં ખાસ કરીને વ્યકિતગત લાભ માટે રાજદ્રોહ, જાણીબુઝીને બેવફાઈ, છેતરપિંડી[સંદર્ભ આપો]નો સમાવેશ થાય છે, ખાસ કરીને વ્યક્તિગત લાભ માટે, ઉદાહરણ તરીકે રુશ્વત મારફત.  વસ્તુઓ શોધવી[સંદર્ભ આપો]અને માલસામાન કે પદાર્થોના સંગ્રહ કરવો ખાસ કરીને હિંસા, યુકિત પ્રયુકિત કે સત્તાના દુરૂપયોગ દ્વારા ચોરી અને લૂંટ, આ તમામ કૃત્યો લોભ દ્વારા પ્રેરિત થાય છે. આવાં દુષ્કૃત્યોમાં ચર્ચાનો વેપાર માટે ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે, જયાં વ્યકિત ચર્ચની અંદર ખરેખરી સરહદની અંદર માલ પ્રાપ્ત કરીને નફો કરે છે.

ધર્મ પ્રત્યે ઉદાસીનતા[ફેરફાર કરો]

ધર્મ પ્રત્યે ઉદાસીનતા (લેટિન, [acedia] Error: {{Lang}}: text has italic markup (help)) (ગ્રિક ακηδία માંથી) એટલે વ્યકિતએ જેની સંભાળ રાખવી જોઈએ તે પ્રત્યે બેકાળજી. તેનું આનંદરહિત હતાશા; ઉદાસીન નીરસતામાં ભાષાંતર કરાય છે. તે ખિન્નતા જેવી છે, જો કે ધર્મ પ્રત્યે ઉદાસીનતા ના વર્તનનું વર્ણન કરે છે, જયારે ખિન્નતા , તેનું નિર્માણ કરતી લાગણી સૂચવે છે. પ્રારંભિક ખ્રિસ્તી વિચારણામાં આનંદના અભાવને, ઈશ્વરના સારાપણાને તથા ઈશ્વરે સર્જેલી દુનિયાનો ઈરાદાપૂર્વકનો ઈન્કાર ગણવામાં આવતો; તેથી વિરુધ્ધ, ઉદાસીનતાને જરૂરીયાતના સમયે બીજાઓને મદદ કરવાનો ઈન્કાર ગણવામાં આવતો..

થોમસ એકિવનસધર્મ પ્રત્યે ઉદાસીનતા ને યાદીનું તેનું અર્થઘટન કર્યું ત્યારે તેઓએ તેનું મનની બચેની તરીકે વર્ણન કર્યું છે, કેમ કે અશાંતિ અને અસ્થિરતા જેવા હળવા પાપો માટેના તે પૂર્વજો છે. દાંતેએ આ વ્યાખ્યામાં વધુ સુધારો કરીને ઉદાસીનતાનું વ્યકિતએ પૂરા હૃદયથી પૂરા મનથી અને પૂરા આત્માથી ઈશ્વરને પ્રેમ કરવાની નિષ્ફળતા તરીકે વર્ણન કર્યું છે; તેના મતે તે મધ્યમ પાપ છે, જેનું વર્ણન પ્રેમનો અભાવ કે અપૂરતા પ્રેમ દ્વારા જ કરાય.

નિરાશા[ફેરફાર કરો]

નિરાશા (લેટિન, [Tristitia] Error: {{Lang}}: text has italic markup (help)) આ સંદર્ભમાં નિરાશા એ આત્મહત્યાનું અવિચારી કારણ છે. નિરાશા, વિષાદ અને માથે તોળાઈ રહેલ નિયતિને લગતી લાગણીઓ એ ખિન્નતાની સ્થિતિ જેવી ન હતી. "માણસ નિરાધાર હોય તો તેને આશ્વાસન આપો. તેને શારીરિક દુખ હોય તો દવા આપો. જો તેને મૃત્યુની ઇચ્છા હોય, તો તેને આશા આપો. કારણ, ઉત્સાહ અને શ્રધ્ધા, આશા પેદા કરે છે, તેથી તેઓનો ઉદારતાથી ઉપયોગ કરો." ફ્રાન્સિસ ઓફ અસિસિ ખિન્નતા/દુ:ખનું પરિણામ ઉદાસીનતામાં આવતું હોવાથી પોપ ગ્રેગરીની યાદીની સુધારણા નિરાશા ને ધર્મ પ્રત્યે ઉદાસીનતા ની કોટિમાં મૂકે છે.

સુસ્તી[ફેરફાર કરો]

ધીમે ધીમે ધ્યાન કારણને બદલે ઉદાસીનતાના પરિણામો તરફ કેન્દ્રિત થઈ રહયું છે, અને તેથી, 17 મી સદી સુધીમાં ઉલ્લેખ કરાયેલ ચોક્કસ ઘોર પાપ ને વ્યકિતની પ્રતિભા અને બક્ષિસનો ઉપયોગ કરવાની નિષ્ફળતા હોવાનું માનવામાં આવતું હતું.[સંદર્ભ આપો]વ્યવહારમાં તે ધર્મ પ્રત્યે ઉદાસીનતા કરતાં સુસ્તી (લેટિન, [Socordia] Error: {{Lang}}: text has italic markup (help))ની વધુ નજીક આવતું હતું. દાંતેના સમયમાં પણ આ પરિવર્તનની નિશાનીઓ હતી; તેમના પુર્ગાટોરિયો માં તેમણે સુસ્તીને માટે તપશ્ચર્યાને ટોચની ઝડપે સતત દોડનાર તરીકે વર્ણન કર્યું હતું. આધુનિક અભિપ્રાય આગળ વધે છે, જેમાં વસ્તુના કેન્દ્ર સ્થાને પાપ તરીકે પ્રસાદ અને ઉદાસીનતા છે. આ વધુ હેતુપૂર્વકની નિષ્ફળતાની વિરુધ્ધ છે, ઉદાહરણ તરીકે ઈશ્વરને અને તેનાં કામોને ચાહવાથી, સુસ્તી ઘણીવાર બીજાં પાપો કરતાં ઠીક ઠીક પ્રમાણમાં ઓછા ગંભીર પાપ તરીકે જોવામાં આવે છે, વિશેષમાં, કાર્ય કરવા કરતાં કાર્ય ચૂકવવાનું પાપ.

ક્રોધ[ફેરફાર કરો]

ક્રોધ (લેટિન, [ira] Error: {{Lang}}: text has italic markup (help)), જે ગુસ્સા અથવા "ક્રોધાવેશ" તરીકે પણ જાણીતો છે, તેને ધિક્કાર અને ગુસ્સાની અવિચારી અને અનિયંત્રિત લાગણીઓ તરીકે વર્ણવી શકાય. ગુસ્સો એવા શુધ્ધ સ્વરૂપમાં, સ્વ-વિનાશ, હિંસા અને તિરસ્કાર સાથે રજૂ થાય છે, જે એવા હાડવેરને ઉત્તેજન આપે છે, જે સૈકાઓ સુધી ચાલુ રહી શકે છે. ગુસ્સો, જે વ્યકિત બીજા તરફ ગંભીર ખોટું કૃત્ય કરે તે મૃત્યુ પામે ત્યારપછી પણ લાંબો સમય ચાલુ રહી શકે. "તેની હકિકતમાં રૂઝ આવવામાં દશ પેઢીઓ પસાર થઇ જાય છે. સમય જતા આપણે, આખુંય વિશ્વ અંધ અને દંતહીનતામાં સમેટાશે એવા ભયથી ’આંખ માટે આંખ અને દાંત સામે દાંતની’ માગણીનો અંત આણીશું..." મહાત્મા ગાંધી

ગુસ્સાની લાગણીઓ અધીરાઈ, બદલો અને સાવધતા સહિત અનેક રીતે વ્યકત થઈ શકે છે.

ક્રોધ એ એકમાત્ર પાપ એવું છે, જે સ્વાર્થીપણા કે સ્વ-હિત સાથ આવશ્યકપણે સંકળાયેલ નથી. (જો કે વ્યકિત સ્વાર્થના કારણસર ક્રોધી બને શકે, જેમ કે ઈર્ષ્યા, જે અદેખાઈના પાપ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે) દાંતે વેરને "બદલા તથા દ્વેષના કુમાર્ગે વળેલ ન્યાય ના પ્રેમ" તરીકે વર્ણવે છે. તેના મૂળ સ્વરૂપમાં, ક્રોધના પાપમાં પણ બાહયને બદલે વિશેષ આંતરિક તરફ નિર્દેશિત ગુસ્સાને આવરી લે છે. આમ આત્મહત્યા, એ આખરી, જો કે કરુણ, આંતરિક રીતે નિર્દેશિત ક્રોધની અભિવ્યકિત છે, ઈશ્વર દ્વારા આપવામાં આવેલ બક્ષિસ નો આખરી ઈન્કાર છે.

ઈર્ષ્યા[ફેરફાર કરો]

લોભની જેમ ઇર્ષ્યા (લેટિન, [invidia] Error: {{Lang}}: text has italic markup (help)) ને સંતોષી ન શકાય તેવી ઈચ્છા દ્વારા વર્ણવી શકાય; જો કે તે બે મુખ્ય કારણોસર અલગ પડે છે. પ્રથમ, લોભ મહદંશે ભૌતિક વસ્તુઓ સાથે સંકળાયેલ છે, જયારે ઈર્ષ્યા વિશેષ સામાન્યપણે લાગુ પાડી શકાય છે. બીજું, જેઓ ઈર્ષ્યાનું પાપ કરે છે તેઓને ગુસ્સો આવે છે કે બીજી વ્યકિત પાસે કોઈક વસ્તુ છે, જેનો તેમની પાસે અભાવ છે, અને ઈચ્છે છે કે તે વ્યકિત પણ તેનાથી વંચિત થાય. દાંતેએ આની વ્યાખ્યા, "બીજી વ્યકિતને તેમની વસ્તુઓથી વંચિત કરવાની ઇચ્છા" એમ કરે છે. ઈર્ષ્યા સીધે સીધી ટેન કમાન્ડમેન્ટ્સ સાથે સંબંધિત કરી શકાય છે, ખાસ કરીને "તમારા પડોશી પાસે હોય તે કોઈપણ વસ્તુની... તમે ઈચ્છા કરશો નહીં." દાંતેના પુર્ગાટોરિમાં ઈર્ષ્યાવાળા માણસો માટેની સજા, તેમની આંખોને તારથી સીવી લેવાની છે, કારણ કે તેઓએ બીજાઓ નીચે આવે તે જોવાનો પાપપૂર્ણ આનંદ મેળવ્યો છે. એકિવનસે ઈર્ષ્યાનું "અન્યના સારા માટે થતું દુખ" તરીકે વર્ણન કર્યું હતું.[૧૦]

અભિમાન[ફેરફાર કરો]

લગભગ તમામ યાદીમાં અભિમાન (લેટિન, [superbia] Error: {{Lang}}: text has italic markup (help)) કે હુબરિસ , સાત ઘોર પાપોમાં મૂળ અને સૌથી ગંભીર પાપ ગણવામાં આવ્યું છે, અને અલબત્ત બીજાઓના ઉદ્ભવ માટે જે સૌથી ઉત્તમ સ્ત્રોત છે. તેની ઓળખ, અન્ય કરતાં વધુ મહત્વપૂર્ણ કે આકર્ષક દેખાવાની ઈચ્છા, બીજાના સારા કામને સ્વીકારવામાં નિષ્ફળતા, અને જાત પ્રત્યે અનહદ પ્રેમ (ખાસ કરીને ઈશ્વર પ્રત્યેની યોગ્ય સ્થિતિમાંથી જાતને બહાર કાઢવી) છે. દાંતેની વ્યાખ્યા હતી "જાત માટેનો પ્રેમ તેના પાડોશી પ્રત્યેના ધિક્કાર અને તિરસ્કાર તરફ વળવો." જેકબ બિડરમેનના મધ્યકાળના ચમત્કારપૂર્ણ નાટક સેનોડોક્સ સમાં અભિમાન એ તમામ પાપો પૈકીનું સૌથી ઘોર પાપ છે અને તે સીધેસીધા પેરિસિયન નામધારી પ્રખ્યાત ડોકટરની દૂર્ગતિ તરફ દોરી જાય છે. કદાચ વધુ જાણીતા ઉદાહરણમાં લ્યુસીફરની વાર્તામાં, અભિમાન (ઈશ્વર સાથે સ્પર્ધા કરવાની તેની ઈચ્છા) ને કારણે તેનું સ્વર્ગમાંથી પતન થાય છે, અને પરિણામે, તે શેતાનમાં પરિણમ્યો. દાંતેની ડિવાઇન કોમેડી માં પસ્તાવો કરનારાઓને તેમના પીઠ પર પથ્થરની શિલાઓ ઉપાડીને ચાલવા દબાણ કરાયું હતું જેથી નિરાભિમાનની લાગણીઓ પેદા થાય.

બડાઈખોરી[ફેરફાર કરો]

બડાઈખોરી (લેટિન, [vanagloria] Error: {{Lang}}: text has italic markup (help)) એટલે વિનાકારણ ડંફાશ મારવી. પોપ ગ્રેગરીના મતે તે અભિમાનનું એક સ્વરૂપ હતું, તેથી તેને બડાઈખોરી ને, પાપની તેમની યાદીમાં અભિમાનમાં સમાવેશ કર્યો. લેટિન શબ્દ ગ્લોરિયા નો અંદાજે અર્થ બડાઈ મારવી તેવો થાય છે, જો કે તેનો અંગ્રેજી સમાનાર્થી શબ્દ ગ્લોરી સંપૂર્ણતયા હકારાત્મક અર્થ ધરાવે છે; ઐતિહાસિક રીતે બડાઈ એટલે નિરર્થક , પરંતુ 14મી સદી સુધીમાં અપ્રસ્તુત ચોકસાઈનો, મજબૂત અહંપ્રેમનો હળવો ઓપ આપ્યો, જેનો તે આજે ઉપયોગ કરે છે.[૧૧] આ સિમેન્ટીક પરિવર્તનોને પરિણામે, બડાઇખોરી શબ્દ ભાગ્યે જ વપરાતો શબ્દ બન્યો, અને તેનું હાલમાં સામાન્યપણે લડાઈ ના ઉલ્લેખ તરીકે અર્થઘટન કરાય છે (આધુનિક અહંપ્રેમના અર્થમાં).

કેથલિક સાત-ગુણો[ફેરફાર કરો]

રોમન કેથોલિક ચર્ચ સાત ગુણોને પણ સ્વીકારે છે, જે સરેક સાત ઘોર પાપો સામે વિરુદ્ધાર્થી સંલગ્ન થાય છે.

દુર્ગુણ લેટિન ગુણ લેટિન
કામાતુરતા લક્ષેરિયા પવિત્રતા કેસ્ટિટાસ
ખાઉધરાપણું ગુલા મદ્યપાન નિષેધ ટેમ્પેરેન્શિયા
લોભ અવારિશિયા સખાવત કેરિટાસ
સુસ્તી અકેડિયા ખંત ઇન્ડસ્ટ્રિયા
ક્રોધ ઇરા ધીરજ પેશન્શિયા
ઇર્ષ્યા ઇન્વિડિયા દયા હ્યુમાનિટાસ
અભિમાન સુપરબિયા નમ્રતા હ્યુમિલિટાસ

ફાર્સી:شهوت،شكم پرستي،طمع،سستي،قهر،حسادت و فخر

રાક્ષસો સાથે સંયોજનો[ફેરફાર કરો]

1589 માં પીટર બિન્સફેલ્ડ એ, દરેક ઘોર પાપની સાથે રાક્ષસની જોડી કરી, જેઓ લોકોને પાપ સાથે સંકળાયેલ વસ્તુઓ તરફ આકર્ષિત કરતા. રાક્ષસોના બેન્સફિલ્ડના વર્ગીકરણ પ્રમાણે, જોડીઓ નીચે પ્રમાણે છે.

પદ્ધતિઓ[ફેરફાર કરો]

જેસ્યુટ વિદ્વાન, દ્વારા કરાવેલ 2009ના અભ્યાસ અનુસાર પુરૂષો દ્વારા એકરાર કરાતા સૌથી વધુ સામાન્ય ઘોર પાપો છે કામાતુરતા અને સ્ત્રીઓ માટે અભિમાન.[૧૨] એ બાબત સ્પષ્ટ નથી કે આ તફાવતો કાર્ય કરવાના જુદા જુદા પ્રમાણને કારણે હતા કે જેના પર "ગણતરી" કરાય અથવા કબૂલાત થાય તે અંગેના જુદા અભિપ્રાયોને કારણે હતા.[૧૩]

સાંસ્કૃતિક સંદર્ભો[ફેરફાર કરો]

સાત ઘોર પાપો, લાંબા સમયથી, લેખકો અને કલાકારો માટે મધ્યકાલિન નીતિ કથાઓથી આધુનિક મેન્ગા શ્રેણીઓ અને વીડિયો રમતો સુધી પ્રેરણાનું સ્ત્રોત બનેલ છે.

ઘોર પાપો અંગે મેનિન્જરનો અભિપ્રાય[ફેરફાર કરો]

કાર્લ મેનિન્જર એ 1973માં તેમના પુસ્તક વોટએવર બિકેમ ઓફ સિન માં દલીલ કરી હતી કે સાત ઘોર પાપોની પરંપરાગત યાદી અપૂર્ણ હતી; સૌથી વધુ આધુનિક નીતિશાસ્ત્રીઓ ક્રૂરતા અને અપ્રમાણિકતાનો સમાવેશ કરે છે અને કદાચ આને, ખાઉધરાપણા કે ઉદાસીનતા જેવાં કેટલાંક પરંપરાગત પાપો કરતાં વધુ ગંભીર તરીકે નિર્ધારિત કરશે.

ઘોર પાપો અંગે કલ્બર્ટસનનો અભિપ્રાય[ફેરફાર કરો]

એન્ડ્રુ કલ્બર્ટસને તેમના 1908ના પુસ્તક "હાઉ વન ઇસ નો ટુ બી" માં દલીલ કરી છે કે ઘોર પાપોમાં બે વધુ દુર્ગણો, ભય અને વહેમનો સમાવેશ કરવો જોઈએ. કલ્બર્ટસનના વર્ણનમાં ભયને આધુનિક માનસિક સ્થિતિ, ભ્રમણાત્મક વિકૃતિ ગણી છે, જયારે વહેમ એ "છળકપટ અને આધ્યાત્મિક વિશ્વાસ ધરાવતા માણસોને નાણાં આપવા સુધી, એવી વસ્તુઓની માન્યતા કે જે વ્યકિત સમજતો નથી."

એનિયાગ્રામ એકિકરણ[ફેરફાર કરો]

એનિયાગ્રામ ઓફ પર્સનાલિટી સાત પાપો સાથે વધારાના બે "પાપો" છેતરપિંડી અને ભય નો સમન્વય કરે છે. એનિયાગ્રામના વર્ણનો પરંપરાગત ક્રિЉચયન અર્થઘટન કરતાં વ્યાપક છે અને તે સર્વાંગી નકશામાં રજૂ કર્યાં છે.[૧૪][૧૫]

સાત ઘોર પાપો દ્વારા પ્રેરિત સાહિત્યિક પુસ્તકો[ફેરફાર કરો]

  • જહોન કલાઈમેકસ (7મી સદી) લેડર ઓફ ધ ડિવાઇન એસેન્ટ માં 30 પગથિયાંની સીડીના વ્યકિતગત પગલા તરીકે આઠ વિચારો પરના વિજયની રજૂઆત કરી છે : ક્રોધ (8), બડાઈખોર (10, 22), લોભ (16, 17), ધર્મ પ્રત્યે ઉદાસીનતા (18), અને અભિમાન (23)
  • દાંતેનું (126પ-1321)ધ ડિવાઈન કોમે ડી ત્રણ ભાગનાં તૈયાર થયેલું છે "ઈન્ફર્નો", "પુર્ગાટોરિયો" અને "પેરાડિસો ". "ઈન્ફર્નો", નરકને નવ કેન્દ્રિત સર્કલોમાં વિભાજીત કરે છે, જેમાંના ચાર કેટલાંક ઘોર પાપો સાથે સીધેસીધા સંકળાયેલ છે ( સર્કલ 2 કામાતુરતા સાથે, 3 ખાઉધરાપણું સાથે, 4 લોભ સાથે અને 5 ક્રોધ તેમજ સુસ્તી સાથે). આ બે ઘોર પાપોની સાજા સ્ટેજિયન સરોવરમાં અપાય છે, ક્રોધી માણસને સરોવરની ટોચે સજા કરાય છે, જેમાં ઝેરીલા દાંત સહિત તેમના વ્યક્તિત્ત્વવાળા માણસોના વિવિધ સભ્યો એકબીજા પર હુમલા કરે છે.[૧૬] સુસ્ત લોકોને સરોવરની તળિયે સજા કરાય છે પરપોટામાં ઊંડા નિસાસા લઇને, અને વર્જિલે કાન્ટો VII માં કહયા પ્રમાણે દુ:ખના ગીતને ગાઈને..[૧૭]બાકીના સર્કલોનું સાત પાપો પર યોગ્ય અર્થ નથી થતો. "પુર્ગાટોરિયો" માં માઉન્ટ પુર્ગાટોરીને સાત સ્તરમાં ક્રમાંકન કરવામાં આવ્યું છે અને તે એકિવનસના પાપના ક્રમને અનુસરે છે (અભિમાનથી શરૂ કરીને).[સંદર્ભ આપો]
  • વિલ્યમ લેન્ગલેન્ડના (1332-1386) ના વિઝન ઓફ પ્લાયર્સ પ્લોમાન ની રચના ઈશ્વરદત્ત જીવનને પ્રાત્સાહન આપવાની સાથે જે સમકાલિક મહત્વની ભૂલો છે તેના સપનાંની શ્રેણીઓની આસપાસ કરી છે. પાપો આ ક્રમમાં આપ્યા છે : પ્રાઉડ (અભિમાન; પાસ્સુસ વ લીટીઓ 62-71), લેકોર (કામીપણું; V (71-74), એન્વિયે (ઈર્ષ્યા; V 75-132), રેથે (ક્રોધ; V 133-185), કોવીએટેસે , (લોભીપણું; V 71-306), ગ્લટન (ખાઉધરાપણું; V 307-385) સ્લ્યુથે (સુસ્તી; V 386-453) (બી-ટેકસ્ટનો ઉપયોગ કરીને).[સ્પષ્ટતા જરુરી][૧૮]
  • જહોન ગોવરના (1330-1408) કન્ફેશિયો અમાન્ટિસ એમાન્સ ("પ્રેમી") થી જીનિયસ, દેવી વિનસના પાદરી, સમક્ષ કરેલી કબૂલાત પર કેન્દ્રિત છે. તે સમયની કબૂલાત કરવાની પ્રેકિટસને અનુસરીને, કબૂલાતની રચના સાત ઘોર પાપોની આસપાસ કરવામાં આવી હતી, જો કે દરબારી/સંસ્કારી શિષ્ટાચારયુકત પ્રેમના નિયમો સામેના તેના પાપો પર ધ્યાન કેન્દ્રિત કરાય છે.[૧૯]
  • જિયોફ્રે ચોસરની (1340-1400) કેન્ટરબરી ટેલ્સ માં, ધ પાર્સન્સ ટેલ માં સાત ઘોર પાપો દર્શાવ્યા હતા : અભિમાન (ફકરા 24-29), ઈર્ષ્યા (30-31), ક્રોધ (32-54), સુસ્તી (55-65) લોભ (64-70), ખાઉધરાપણું (71-74), કામાતુરતા (75-84).[૨૦]
  • ક્રિસ્ટોફર માર્લોના (1564-1593) ધ ટ્રેજિકલ હિસ્ટરી ઓફ ડોકટર ફાઉસ્ટસ માં દર્શાવ્યું છે કે લ્યુસિફર, બીલ્ઝેબુબ અને મેફિસ્ટોફાઈલસ નરકમાંથી આવીને ર્ડો ફાસ્ટસને "કેટલાક સમય પસાર કરવાની રીતો" દર્શાવે છે. (અંક- II દૃશ્ય 2). પાપો આ ક્રમમાં રજૂ થાય છે : અભિમાન, લોભ, ઈર્ષ્યા, ક્રોધ, ખાઉધરાપણું, સુસ્તી, કામાતુરતા.[૨૧]
  • એડમન્ડ સ્પેન્સરના (1552-1599) ફેરી ક્વિન માં "પુસ્તક 1 (ધ લેજન્ડ ઓફ થે નાઇટ ઓફ ધ રેડ ક્રોસ, હોલિનેસ)" માં સાત ઘોર પાપોને ઉદ્દેશીને લખ્યું છે: મિથ્યાભિમાન/અભિમાન (કાન્ટો ઈવ, સ્ટાન્ઝ 4-17), આળસ/સુસ્તી (IV. 18-20), ખાઉધરાપણું (IV. 21-23), કામાતુરતા (IV. 24-26), લોભ (IV. 27-29), ઈર્ષ્યા (IV. 30-32), ક્રોધ (IV. 33-35).[૨૨]
  • ગાર્થ નિકસનું "ધ કીસ ટુ કિંગ્ડમ" સાત પુસ્તકની બાળકોની શ્રેણી છે, જેમાં દરેક પુસ્તકના મુખ્ય બદલો લેનાર સાત ઘોર પાપો પૈકી એક સાથે સંકળાયેલ છે.
  • ડેલ ઈ બેસયેની શ્રેણીઓ જે થી શરુ થાય છે તેના દરેક પુસ્તકમાં એક ઘોર પાપ સામેલ છે.
  • અ કલેકશન ઓફ સ્ટાર ટ્રેક સ્ટોરિસ, સ્ટર ટ્રેક: સેવન ડેડલી સિન્સ , તાજેતરમાં બહાર પડયું હતું. તેમાં સાત નાની નવલકથા છે, જેમાં દરેક ઘોર પાપ, મુખ્ય ટ્રેક રેસ સાથે સંકળાયેલ છે: રોમ્યુલન્સ (અભિયાન), બોર્ગ (ખાઉધરાપણું), કિલન્ગન્સ (ગુસ્સો), પેકલેડ્સ (સુસ્તી), ધ મીરર યુનિવર્સ (કામાતુરતા), ધ ફિરંગી (લોભ), અને ધ કાર્ડાસિયન્સ (ઈર્ષ્યા).[૨૩][૨૪]

કલા અને સંગીત[ફેરફાર કરો]

ફિલ્મ, ટેલિવિઝન, રેડિયો, કોમિક પુસ્તકો અને વીડીયો રમતો[ફેરફાર કરો]

  • 1917 માં સાત મૂંગી ફિલ્મોની શ્રેણીઓ તૈયાર થઈ હતી જે શ્રેણીઓનું શીર્ષક હતું, ધ સેવન ડેડલી સિન્સ , જેની શરૂઆત ઈર્ષ્યા (1917) થી થઈ, અભિમાન (1917), લોભ (1917), સુસ્તી (1917), આવેશ (1917) અને ક્રોધ (1917) શીર્ષકથી તે ચાલુ રહી અને સમાનાર્થી શીર્ષક ધ સેવન્થ સિન (1917) તેની સમાપ્તિ થઈ. છેલ્લા હપ્તાનું શીર્ષક તે આપવામાં આવ્યું કારણ કે ખાઉધરાપણા ને અત્યંત ગુનાહિત ગણવામાં આવતું હતું અને નિર્માતાઓ યોગ્ય સમાનાર્થી નામ શોધી શકયા નહીં.
  • ફિલ્મ ધ ડેવિલ્સ નાઇટમેર શરણે આવેલ વ્યકિત અંગે છે, જેને પ્રવાસીઓના એક જૂથની હત્યા કરી છે, જેમાંથી દરેક સાત પાપો પૈકી એક માટે ગુનેગાર છે.
  • બિડેઝલ્ડ (1967) (ફરીથી 2000માં બનાવી) ફિલ્મની મૂળ કૃતિમાં તમામ સાતેય પાપોનો સમાવેશ છે: રેકવેલ વેલ્ચ (લિલિયન) કામાતુરતા, બેરી હમ્ફ્રીસ ઈર્ષ્યા તરીકે, આલ્બા મિથ્યા અભિમાન તરીકે, રોબર્ટ રસેલ ગુસ્સા તરીકે, પારનેલ મેકગેરીખાઉધરાપણા તરીકે, ડેનિયલ નોઈલ ઉદાસીનતા તરીકે અનેહાવર્ડ ગુરને સુસ્તી તરીકે છે.
  • એન્ડ્રુ કેવિન વોકરે લખેલી, ડેવિડ ફિન્ચેરે નિર્દેશન કરેલ અને બ્રાડ પિટ તથા મોર્ગન ફ્રિમેને અભિનય આપેલ સે7વન (1995) ફિલ્મમાં, શ્રેણીબદ્ધ હત્યારો, પોતાનો ગુનાઓ મારફત દરેક ઘોર પાપના પાપીને સજા કરે છે.
  • ધ મેગ્નિફિસિયેન્ટ સેવન ડેડલી સિન્સ (1971) એક બ્રિટીશ ફિલ્મ છે, જેની રચના સાત ઘોર પાપો અંગેના રમૂજી રેખાચિત્રોની શ્રેણી આસપાસ કરાઈ છે અને તે રૂઢિગત પાશ્ચાત્ય ધ મેગ્નિફિસિયેન્ટ સેવન નો નિર્દેશ કરે છે.
  • ઓવરલોર્ડ વિડીયોગેમમાં સાત અભિનેતાઓ કે જેને આગેવાન વ્યકિતઓએ અચૂક હરાવવા જોઈએ, તે સાત પાપ પર આધારિત છે.
  • સાત ઘોર પાપો (પરંપરાગત રીતે "મનુષ્યના સાત ઘોર દુશ્મનો" તરીકે ઓળખાવેલ) નું ફાવસેટ/ડીસી કોમિક્સ સુપરહિરો કેપ્ટન માર્વેલની કાલ્પનિક કથામાં આગળ પડતું દેખાય છે અને તાજેતરના ડીસી કોમિકસ પ્રકાશનોમાં સુપરવિલન તરીકે અનેકવાર રજૂ થયા છે.
  • માન્ગા અને એનાઇમ ડીજીમોન માં સાત મહાન રાક્ષસ નાયકો, જેમાંનો દરેક પાપો પૈકી એકની રજુઆત કરે છે, તે પ્રતિસ્પર્ધીઓનું એક મોટું જૂથ છે.
  • માન્ગા અને એનાઇમ કાટેક્યો હિટમેન રિબોર્ન! માં, વારિયાના સભ્યો, દરેકનો સાત પૈકી એક ઘોર પાપ સાથે, તેમના લેટિન નામ પ્રમાણે, અથવા સંબંધિત પાપના રાક્ષસો સાથે મેળમાં આવે છે.
  • માન્ગા અને એનાઇમ ફુલમેટલ એલકેમિસ્ટ માં દરેક પાપનો "હોમ્યુનક્યુલાઇ" તરીકે ઓળખાતા સત્તાધારી ખોટા માણસોના જૂથના દરેક સભ્યના નામ તરીકે ઉપયોગ કરાયો છે જેમાં, દરેક હોમ્યુનક્યુલાઇનું વ્યકિતત્વ તેનું કે તેણીનું નામ જેના પરથી પાડવામાં આવ્યું છે તે પાપ પર આધારિત છે.
  • ડેવિલ મે ક્રાય 3 વિડીયોગેમમાં, સામાન્ય દુશ્મનોનું જૂથ તેમજ સાત નરકને લગતા ઘંટો દ્વારા સાત ઘોર પાપો રજૂ કર્યા છે. પડી ગયેલા દેવદૂતો પાપોનું રૂપ ધારણ કરે છે, જેઓને પ્રિકવલ મેન્ગામાં ખૂબ દર્શાવવામાં આવેલા છે, જેમા તેઓ પ્રથમ તબક્કે ઘંટવાળા ટાવરને આદેશ આપવા માટે અગત્યના છે.
  • ફિલિપાઈન્સ ટી.વી. શ્રેણી લાસ્ટિકમેન ના દરેક મુખ્ય દુષ્ટ નાયક ઘોર પાપો પૈકી એકને રજૂ કરે છે.
  • નોર્વેઇઅન ટી.વી. શો ડે સિવ ડોડસિન્ડે ને (સાત ઘોર પાપો ) માં ક્રિસ્ટોફર સ્કાઉ સાતેય ઘોર પાપોમાંથી દરેકને હાથ ઘરીને ઈશ્વરનો ગુસ્સો પેદા કરવાનો પ્રયત્ન કરે છે. સ્કાઉ ટોક શો સેન્કવેલ્ડ (લેટ નાઇટ ) પર શો અંગે વાત કરી હતી ત્યારે તેણે કહયું હતું કે, "હું નરકમાં અંત ન આણું તો પછી, કોઈ નરક છે જ નહીં." આ કાર્યક્રમની સેન્સરશિપના મામલે સારી એવી જાહેર ચર્ચા થઈ હતી.
  • મેટ ફ્રેકશનની કોમિક બુક કેસેનોવા માં શ્રેણીના પ્રશ્નોને સાત પૈકી દરેક પાપ માટે લેટિન નામ આપ્યું છે. જેની શરૂઆત લક્ષેરિયા થી થાય છે.
  • Rengoku II: The Stairway to Heaven ટાવરના આઠ સ્તરો પર આધારિત છે, સાત સ્તરને પાપનાં નામ આપ્યાં છે, આઠમું સ્તર સ્વર્ગનું છે.
  • વેબકોમિક જેકમાં સાતેય પાપો પર માણસોના સ્વરૂપનું આરોપણ કરાયું છે. મુખ્ય પાત્ર જેક ક્રોધના પાપને રજૂ કરે છે.
  • માર્ક વોટસન મેક્સ ધ ર્વલ્ડ સબસ્ટેન્શિયલી બેટર, બીબીસી રેડિયો શ્રેણીના છ ભાગમાં પાપોને બરાબર ગોઠવે છે, જેમાં લોભ અને ખાઉધરાપણાને "સમાન પાપો" તરીકે જોડવામાં આવ્યા છે.
  • નાઇટ ઓનલાઇનમાં, બાઇફ્રોસ્ટ રાક્ષસો છે, જે સાતેય પાપોના ટુકડાનો શિકાર કરી શકે છે. ટુકડાઓને અદ્વિતિય વસ્તુઓ ફેરવી શકાય અથવા અલ્ટિમાની ચેમ્બરમાં પ્રવેશ મેળવવા માટે ભેગાં કરી શકાય છે.
  • 11આઇસમાં બ્લેક નાઈટસને અવારિશિયા, ઇન્ડ, ઇન્વિડિયા, અકેડિઆ, ગુલા અને સુપરબિયા નામ આપ્યા છે.
  • ઉમિનેકે નો નાકુ કોરો ની માંં પુર્ગાટોરીની સાત જવાબદારીઓને પીટર બિન્સફિલ્ડના લલચાવનાર રાક્ષસોના નામ પાછળ આપે છે અને ઘોર પાપોનો પ્રચાર કરે છે અથવા સમાવિષ્ટ કરે છે. તેમની ઉંમર પુર્ગાટોરિયો ક્રમને અનુસરાય છે, લ્યુસિફર (અભિમાન) સૌથી મોટો છે અને આસ્મોડિયસ (કામાતુરતા) સૌથી નાનો છે.
  • ગ્રાન્ડ ફેન્ટાસિયા માં સાત ઘોર પાપો પર આધારિત દૈનિક માલિકો હોય છે.

વિજ્ઞાન[ફેરફાર કરો]

  • કાનસાસ સ્ટેટ યુવિર્સિટી ભૂગોળ સંશોધન એસોસિયેટ થોમસ વોટ તેના અભ્યાસ "ધ સ્પેચિયલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સેવન ડેસલી સિન્સ વિથિન નેવાડા" પ્રસ્તુત કર્યું. વધુમાં અભ્યાસમાં દેશના 3000 કાઉન્ટિને આવરી લીધા છે, અને યુ.એસમાં પાપ વિતરણના આંતર-સક્રિય નકશાઓનો સમાવેશ કર્યો છે.[૨૫]

આ પણ જોશો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

નોંધો
  1. Boyle, Marjorie O'Rourke (1997). "Three: The Flying Serpent". Loyola's Acts: The Rhetoric of the Self. The New Historicism: Studies in Cultural Poetics,. 36. Berkeley: University of California Press. પૃષ્ઠ 100–146. ISBN 978-0-520-20937-4. Unknown parameter |origdate= ignored (|orig-date= suggested) (મદદ)
  2. Proverbs 6:16–19
  3. Galatians
  4. ઈવાગ્રિયો પોન્ટિકો,ગ્લિ ઓટો સ્પિરિટિ માલવાગી, અનુવાદ., ફેલિસ કોમેલો, પ્રાટિચે ઍડિટ્રાઇસ, પાર્મા, 1990, p.11-12.
  5. ૫.૦ ૫.૧ રેફુલે, 1967
  6. કેટેકિસમ ઓફ કેથોલિક ચર્ચ
  7. ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિકશનરી
  8. ૮.૦ ૮.૧ ઓખોલ્મ, ડેનિસ. "આરએક્ષ ફોર ગ્લટની" સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૪ ના રોજ વેબેક મશિન. ક્રિશ્ચિઆનિટી ટુડે , વોલ્યુમ. 44, નંબર. 10, સપ્ટેમ્બર 11, 2000, p.62
  9. "Gluttony". Catholic Encyclopedia.
  10. "Summa Theologica: Treatise on The Theological Virtues (QQ[1] - 46): Question. 36 - OF ENVY (FOUR ARTICLES)". Sacred-texts.com. મેળવેલ 2010-01-02.
  11. ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિકશનરી
  12. ટુ સેક્સિસ 'સીન ઇન ડિફરન્ટ વેસ'
  13. ટ્રુ કન્ફેશન્સ: મેન એન્ડ વુમેન સિન ડિફરન્ટ્લી
  14. મૈત્રી, ધ એનિઆગ્રામ ઓફ પેશન્સ એન્ડ વર્ચ્યુસ , pp.11-31
  15. રોહ્ર, ધ એનીઆગ્રામ
  16. જુઓ ઇન્ફર્નો, કાન્ટો VII
  17. ઇન્ફર્નો, કાન્ટો VII.120-128, એચ.એફ. કેરી દ્વારા અનુવાદ, પ્રોજેક્ટ ગુટેનબર્ગના સહયોગથી
  18. http://www.hti.umich.edu/cgi/c/cme/cme-idx?type=HTML&rgn=TEI.2&byte=21030211[હંમેશ માટે મૃત કડી]
  19. "Confessio Amantis, or, Tales of the Seven Deadly Sins by John Gower - Project Gutenberg". Gutenberg.org. 2008-07-03. મેળવેલ 2010-01-02.
  20. "The Canterbury Tales/The Parson's Prologue and Tale - Wikisource". En.wikisource.org. 2008-11-01. મેળવેલ 2010-01-02.
  21. "Christopher Marlowe, The Tragedie of Doctor Faustus (B text) (ed. Hilary Binda)". Perseus.tufts.edu. મેળવેલ 2010-01-02.
  22. http://darkwing.uoregon.edu/~rbear/queene1.html
  23. http://memory-beta.wikia.com/wiki/Seven_Deadly_Sins
  24. http://memory-alpha.org/en/index.php/Seven_Deadly_Sins
  25. By dukeofurl. "One nation, seven sins - Thursday, March 26, 2009 | 2 a.m." Las Vegas Sun. મેળવેલ 2010-01-02.
ગ્રંથસૂચિ
  • Refoule, F. (1967) ઇવાગ્રિયસ પોન્ટિકસ. ઇન સ્ટાફ ઓફ કેથોલિક યુનિવર્સિતિ ઓફ અમેરિકા (Eds.) ન્યુ કેથોલિક એન્સાઇક્લોપિડિયા. વોલ્યુમ 5, pp644–645. ન્યુ યોર્ક: મેગ્રોહિલ.
  • શુમાકર, મેઇનોલ્ફ(2005): "કેટાલોગ્સ ઓફ ડેમન્સ એસ કેટાલોગ્સ ઓફ વાઇસિસ ઇન જર્મન લિટરેચર: 'ડેસ ટ્યુફેલ્સ નેઝ' અને ઉલરિચ વોન એટઝેન્બેક દ્વારા ધ એલેક્સાન્ડર રોમાન્સ." ઇન ધ ગાર્ડન ઓફ ઇવિલ: ધ વાઇસિસ એન્ડ કલચર ઇન ધ મિડલ એજિસ . રિચાર્ડ ન્યુહોસર દ્વારા સંપાદિત, pp. 277–290. ટોરોન્ટો: ફોન્ટિફિક્લ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિવિયલ સ્ટડીસ.

વધુ વાંચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]