લખાણ પર જાઓ

હલ્દી ઘાટી

હલ્દી ઘાટી
હલ્દી ઘાટી અરવલ્લી પર્વતમાળા ખાતે એક સ્થળ
શિખર માહિતી
અક્ષાંસ-રેખાંશ24°53′32″N 73°41′52″E / 24.8921711°N 73.6978065°E / 24.8921711; 73.6978065
ભૂગોળ
સ્થાનરાજસ્થાન,  ભારત
પિતૃ પર્વતમાળાઅરવલ્લી પર્વતમાળા
હલ્દી ઘાટ ખાતે હળદર જેવા પીળા રંગની માટી

હલ્દી ઘાટી ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે. તે રાજસ્થાન રાજ્યમાં એકલિંગજી થી ૧૮ કિલોમીટર છે. તે અરવલ્લી પર્વતમાળામાં એક ઘાટ માર્ગ છે. આ ઘાટ રાજસમંદ અને પાલી જિલ્લાને એકબીજા સાથે જોડે છે. આ સ્થળ ઉદયપુર શહેરથી ૪૦ કિમી દૂર છે. આ સ્થળનું નામ 'હલ્દી ઘાટી' પડ્યું, કારણ કે અહીંની માટી હળદર જેવી પીળા રંગની છે.[]

હલ્દી ઘાટીનું યુદ્ધ

[ફેરફાર કરો]

હલ્દી ઘાટીનું યુદ્ધ ૧૮ જૂન ૧૫૭૬ના દિને થયું હતું. આ જ યુદ્ધમાં રાણા પ્રતાપનો પ્રખ્યાત ઘોડો ચેતક માર્યો ગયો હતો. વર્તમાન સમયમાં અહીં એક સંગ્રહાલય બનાવવામાં આવેલ છે. આ સંગ્રહાલય ખાતે હલ્દી ઘાટીના યુદ્ધનું એક નિદર્શન મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત અહીં મહારાણા પ્રતાપ જોડે સંબંધિત વસ્તુઓ મૂકવામાં આવેલ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Haldighati". મૂળ માંથી 2017-05-05 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-27. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)