૧૮૦૨ની સંધિ

વિકિપીડિયામાંથી

૧૮૦૨ની સંધિ, ૧૮૦૨નો કરાર, ૧૮૦૨ની સમજુતિ, વસઈની સંધિ અથવા ટ્રીટી ઓફ બેઝીન એ ઇ.સ. ૧૮૦૨ની સાલમાં પેશ્વા બાજીરાવ બીજા અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વસઇના યુદ્ધ પછી થયેલા એક કરારનું નામ છે.[૧].

સંધિનો દિવસ[ફેરફાર કરો]

આ સંધિ ૩૧ ડિસેમ્બર ૧૮૦૨ના દિવસે થઈ હતી[૧].

પક્ષકારો[ફેરફાર કરો]

આ સંધિના પ્રથમ પક્ષકાર મરાઠા પેશ્વાઓ હતા અને સામેના પક્ષકાર તરીકે ઓનરેબલ ઇસ્ટ-ઇન્ડીયા કંપની નામ હેઠળની અંગ્રેજ સત્તા હતી[૧].

સંધિની માહિતી[ફેરફાર કરો]

આ સંધિ તેના પેટા ક્રમાંક ૪ મુજબ પ્રથમ પક્ષકાર પેશ્વાઓએ ધંધુકા, ચૂડા, રાણપુર અને ઘોઘા પરના પોતાના બધા જ હક્કો અન્ય પક્ષકાર ઓનરેબલ ઇસ્ટ-ઇન્ડીયા કંપનીને આ સમગ્ર વિસ્તારની રખેવાળી અને રાખરખાવ કરવા માટેના ખર્ચ તરીકે સોંપી દેવાની થઈ હતી.[૧] ૧૮૧૬માં એક રેગ્યુલેશન પસાર કરીને આ બધા વિસ્તારોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા એમને અમદાવાદ અદાલતના કાર્યક્ષેત્ર (તાબેદારી) હેઠળ મૂકવામાં આવ્યા હતા.[૨]

સંધિનું મહત્વ[ફેરફાર કરો]

આ સંધિને કારણે કાઠિયાવાડના પ્રદેશોમાં અંગ્રેજ શાસનનો પગપેસારો શરૂ થયો. આ કરારના બદલામાં વાઇસરોય આર્થર વેલેસ્લીએ મે ૧૮૦૩માં પેશ્વા બાજીરાવ બીજાને પુણેની ગાદી પર પુનઃસ્થાપિત કર્યા હતા.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ જવેરીલાલ ઉમીયાશંકર યાજ્ઞીકના ૧૮૮૬માં પ્રકાશીત થયેલા પુસ્તક ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ. હવે સન્યાસીમાં પાના નં ૯ પરથી
  2. જવેરીલાલ ઉમીયાશંકર યાજ્ઞીકના ૧૮૮૬માં પ્રકાશીત થયેલા પુસ્તક ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ. હવે સન્યાસીમાં પાના નં ૧૦ પરથી
  3. એન્સઇક્લોપીડીયા બ્રીટાનીકા