અમરેલી
અમરેલી | |
|---|---|
શહેર | |
અમરેલી ટાવર | |
| અક્ષાંશ-રેખાંશ: 21°36′11″N 71°13′19″E / 21.603177°N 71.222083°E | |
| દેશ | ભારત |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | અમરેલી જિલ્લો |
| તાલુકો | અમરેલી તાલુકો |
| ઊંચાઇ | ૧૨૮ m (૪૨૦ ft) |
| વસ્તી (૨૦૧૧)[૧] | |
| • કુલ | ૧,૧૭,૯૬૭ |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
| પિનકોડ | ૩૬૫૬૦૧ |
| ટેલિફોન કોડ | ૦૨૭૯૨ |
અમરેલી શહેર તથા નગરપાલિકા, ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર ભાગમાં આવેલા અમરેલી જિલ્લામાં સ્થિત છે. આ શહેર ખાતે અમરેલી જિલ્લાનું મુખ્ય મથક તેમ જ અમરેલી તાલુકાનું મથક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું.[૨][૩] પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાની નોંધ મળે છે.[૪] વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું.[૨][૩]
અમરેલી શહેરના ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ સંગ્રહાલયમાં સચવાયેલા છે.
અઢારમી સદીમાં વર્તમાન અમરેલીના માત્ર પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં જ લોકો વસવાટ કરતા હતા. આ વિસ્તાર આજે જુની અમરેલી તરીકે ઓળખાય છે. જુના કોટ નામના કિલ્લાનો ઉપયોગ જેલ તરીકે થતો હતો. આધુનિક અમરેલીએ 1793 થી વિકાસ કરવાનું શરૂ કર્યું, જ્યારે ભાવનગરના વખાતસિંહે ચિતલના પડોશી કાઠીનો કબજો તોડી પાડ્યો, જેના કારણે તેના ઘણા લોકો અમરેલી અને જેતપુરમાં રહેવા ગયા.[૫]
જાણીતાં વ્યક્તિઓ
[ફેરફાર કરો]- ડો. જીવરાજ નારાયણ મહેતા - ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી.
- રમેશ પારેખ - કવિ.
- મૂળદાસ - જાણીતા સંત કવિ.
- દીના પાઠક - અભિનેત્રી.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Amreli City Census 2011 data".
- 1 2 "About Amreli | About Us | અમરેલી જિલ્લા કલેક્ટર - કચેરી". collectoramreli.gujarat.gov.in. મૂળ માંથી 2021-01-28 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-08.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 "NRI Division". મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ, ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે
- ↑ "BK 349 -Gazetteer By Bombay Presidency Vol 8 Kathiawar : John W Watson : Free Download, Borrow, and Streaming : Internet Archive". Internet Archive. 2016-10-23. મેળવેલ 2025-11-16.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)