ઉદ્ગારચિહ્ન
! | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ઉદ્ગારચિહ્ન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
૧. આશ્ચર્ય કે લાગણીનો આવેશ જે વાક્યોથી બતાવાય છે તેવા વાક્યોને અંતે. જેમકે,[૧]
- કેવું અદ્ભુત દૃશ્ય !
- બિચારો મનુષ્ય ! તેના મીઠામાં મીઠા ગીતના સ્વરો કારુણ્યથી રંગાયેલા છે ! તેના હાસ્યસાગરને તળિયે રુદનનાં બિન્દુ બાઝેલાં છે !
૨. લાગણી કે આશ્ચર્ય બતાવનાર કેવળપ્રયોગી અવ્યવો પછી. જેમકે,
- અરેરે ! પેલો માણસ કેટલો દુઃખી છે !
- અહો ! અહો ! આ અવલોકિતેશ્વર !
૩. સંબોધનની પછી કેટલીક વખત ઉદ્ગારચિહ્ન આવે છે. જેમકે,
- હે પ્રભુ ! તું મને આ સંકટમાંથી બચાવ.
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૫૭, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.૧૯૩૯
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |