ઉદ્‌ગારચિહ્ન

વિકિપીડિયામાંથી
!
ઉદ્‌ગારચિહ્ન
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

૧. આશ્ચર્ય કે લાગણીનો આવેશ જે વાક્યોથી બતાવાય છે તેવા વાક્યોને અંતે. જેમકે,[૧]

  • કેવું અદ્‌ભુત દૃશ્ય !
  • બિચારો મનુષ્ય ! તેના મીઠામાં મીઠા ગીતના સ્વરો કારુણ્યથી રંગાયેલા છે ! તેના હાસ્યસાગરને તળિયે રુદનનાં બિન્દુ બાઝેલાં છે !

૨. લાગણી કે આશ્ચર્ય બતાવનાર કેવળપ્રયોગી અવ્યવો પછી. જેમકે,

  • અરેરે ! પેલો માણસ કેટલો દુઃખી છે !
  • અહો ! અહો ! આ અવલોકિતેશ્વર !

૩. સંબોધનની પછી કેટલીક વખત ઉદ્‌ગારચિહ્ન આવે છે. જેમકે,

  • હે પ્રભુ ! તું મને આ સંકટમાંથી બચાવ.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૫૭, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.૧૯૩૯