લખાણ પર જાઓ

ઉદ્‌ગારચિહ્ન

વિકિપીડિયામાંથી
!
ઉદ્‌ગારચિહ્ન
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન( ? )
ઉદ્‌ગારચિહ્ન( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા( )
ગુરુ કે મહારેખા( )
અવતરણ ચિહ્ન(  ’, “ ”, ' ', " " )
કૌંસ( (), [], {} )
લોપકચિહ્ન( )

૧. આશ્ચર્ય કે લાગણીનો આવેશ જે વાક્યોથી બતાવાય છે તેવા વાક્યોને અંતે. જેમકે,[]

  • કેવું અદ્‌ભુત દૃશ્ય!
  • બિચારો મનુષ્ય! તેના મીઠામાં મીઠા ગીતના સ્વરો કારુણ્યથી રંગાયેલા છે! તેના હાસ્યસાગરને તળિયે રુદનનાં બિન્દુ બાઝેલાં છે!

૨. લાગણી કે આશ્ચર્ય બતાવનાર કેવળપ્રયોગી અવ્યવો પછી. જેમકે,

  • અરેરે! પેલો માણસ કેટલો દુઃખી છે!
  • અહો! અહો! આ અવલોકિતેશ્વર!

૩. સંબોધનની પછી કેટલીક વખત ઉદ્‌ગારચિહ્ન આવે છે. જેમકે,

  • હે પ્રભુ! તું મને આ સંકટમાંથી બચાવ.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. p. ૧૫૭.