પ્રશ્નચિહ્ન

વિકિપીડિયામાંથી
?
પ્રશ્નચિહ્ન
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

૧. પ્રશ્નરૂપે પૂરેપૂરો વિચાર દર્શાવાતો હોય તો વાક્યને અંતે પ્રશ્નચિહ્ન મુકાય છે. જેમકે,[૧]

  • સંપના અભાવે ભારતને શું ઓછું સહન કરવું પડ્યું છે ?

૨. મિશ્રવાક્યમાં આ ચિહ્ન મૂકતાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી:

  • મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પ્રશ્નચિહ્ન વાપરવું જ. જેમકે,
    • કોણ કહે છે કે તે પ્રમાણિક નથી ?
  • ગૌણવાક્યમાં પ્રશ્ન હોય પરંતુ તે વાક્યને અંતે આવ્યું હોય તો પણ પ્રશ્નચિહ્ન મૂકવું. જેમકે,
    • તે બોલ્યો, તમે અમદાવાદથી ક્યારે પાછા ફરશો ?
  • ગૌણવાક્યમાં પ્રશ્ન હોય અને તે વાક્યની શરૂઆતમાં આવ્યું હોય તો પ્રશ્નચિહ્ન મુકાતું નથી. જેમકે,
    • તમે અમદાવાદથી ક્યારે પાછા ફરશો એમ તેણે પૂછ્યું.

૩. આજ્ઞાના સ્વરૂપમાં પ્રશ્ન હોય તો પ્રશ્નચિહ્ન મુકાતું નથી, પણ પૂર્ણવિરામ જ મુકાય છે. જેમકે,

  • ફ્રાન્સની રાજધાની કહો.
  • નામના પ્રકાર ગણાવો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૫૬.