મહાવિરામ
(ગુરુવિરામ થી અહીં વાળેલું)
: | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહાવિરામ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
મહાવિરામ કે ગુરુવિરામ ચિહ્ન અર્ધ વિરામથી વધારે અને પૂર્ણ વિરામથી કંઈક ઓછો વિરામ લેવાનું સૂચવે છે.[૧] તેનો વપરાશ:
૧. ગણતરી કરવી હોય, સમજૂતી આપવી હોય કે વર્ણન કરવું હોય તો પ્રસ્તાવરૂપ પ્રથમના વાક્ય પછી આ ચિહ્ન મુકાય છે. જેમકે,
- ઉત્તરોત્તર થતા જતા સુધારાનાં મુખ્ય બે ધ્યેય હતા : મુસાફરીની સગવડ વધારવી અને ગતિને ત્વરિત કરવી.
- વિભક્તિ : તેના અર્થ.
૨. કોઈના બોલેલા શબ્દો વાક્યના બીજા શબ્દોથી છૂટા પાડવા માટે અલ્પ વિરામને બદલે કેટલીક વખત આ ચિહ્ન વપરાય છે. જેમકે,
- પ્રધાનજી હસ્યા : "ના બાપુ ! ના. આ સમય અનુકૂલ નથી."
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૫૮, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.૧૯૩૯
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |