કવાંટનો મેળો

વિકિપીડિયામાંથી
કવાંટનો મેળો
ગેરનો મેળો
ગેરનો મેળો
કવાંટના મેળામાં પરંપરાગત વેશભૂષામાં રાઠવા સમુદાય
પ્રકારઆદિવાસી મેળો
શરૂઆતફાગણ વદ ત્રીજ
અવધિવાર્ષિક
સ્થાનકવાંટ, છોટાઉદેપુર, ગુજરાત
અક્ષાંસ-રેખાંશ22°05′33″N 74°03′23″E / 22.09259°N 74.05648°E / 22.09259; 74.05648
દેશભારત
ભાગ લેનારાઓરાઠવા આદિવાસી

કવાંટનો મેળોછોટાઉદેપુર વિસ્તારના રાઠવા જાતિના આદિવાસીઓનો મેળો છે જે હોળીના તહેવાર પછી તરત કવાંટ ગામમાં યોજાય છે.[૧]

કવાંટના મેળામાં ઢોલ સાથે અન્ય સંગીતના વાદ્ય સાથે આદિવાસી યુવક યુવતીઓ નૃત્ય કરતાં જોવા મળે છે. આદિવાસીઓ સ્ત્રી-પુરુષો તેમના માથા પર મોરના પીંછાંની કલગી લગાવે છે અને તેના દ્વારા તેમનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમભાવ રજુ કરે છે.

સ્થાન અને સમય[ફેરફાર કરો]

વડોદરાથી આશરે સો કિલોમીટરના દુર આવેલા રાઠવા જાતિના આદિવાસીઓના વતન છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ ગામમાં હોળી પછીના પાંચમા દિવસે કવાંટનો મેળો યોજાય છે.[૨]

મેળો[ફેરફાર કરો]

વિવિધ પચ્ચીસ ગામોમાંથી અને મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી અસંખ્ય આદિવાસી લોકો રંગબેરંગી પોષાક પહેરી આ મેળામાં આવે છે. કવાંટના મેળામાં અન્ય દેશોમાંથી પણ ઘણા લોકો આદિવાસી સંસ્કૃતિને માણવા માટે આ મેળામાં આવે છે.[૧] રાઠવા આદિવાસીઓ કુશળ બાણાવળી તરીકે જાણીતા છે.[૩] રાઠવા આદિવાસીઓ ઝાડીઓથી ઘેરાયેલા જંગલ વિસ્તારમાં વાંસ, ઘાસ-પાંદડાં અને માટીના બનાવેલાાં ઘરોમાં રહે છે. આ લોકો માટી અને છાણથી લીંપેલી દિવાલો ઉપર પીઠોરાના ચિત્રો દોરે છે.[૩] આ પીઠોરાના ચિત્રો દોરવા પાછળ તેમની માન્યતા છે કે આ ચિત્રો દોરવાથી ભગવાનનો તેમના ઘરમાં વાસ થાય છે. એવાં જ ચિત્રો મેળામાં યુવાનો પોતાના આખા શરીર પર ધોળાં ટપકાં કરીને દોરે છે, તથા મોરના પીંછાઓ, વાંસની રંગીન ટોપીઓ અને બળદના ગળે બાંધવામાં આવે તેવા ઘૂઘરાઓનો કંદોરો બનાવી પોતાની કેડ ઉપર બાંધે છે. ત્યાર પછી ઢોલ વગાડવામાં આવે છે અને યુવાનો તાલબદ્ધ રીતે યુવતીઓને રીઝવવા નૃત્ય કરે છે. નાચતાં સમયે ઉત્પન્ન થતો તાલબદ્ધ ઘૂઘરાનો અવાજ આવે છે. આદિવાસીના આ મેળામાં લગ્નથી પણ જોડતા હોય છે જે તેમના સામાજીક જીવનનો એક ભાગ છે.[૨]

મેળામાં રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા ઘોડાની મૂર્તિઓ અને અન્ય દેવ-દેવતાઓની મૂર્તિઓઓને ગામની બહાર બેઠેલા દેવના થાનકે મૂકી આવે છે. તેમની માન્યતા છે કે આમ કરવાથી દેવ તેનાથી ખુશ થાય છે. આદિવાસીઓના કવાંટના મેળામાં સંગીત-નૃત્યનું ખાસ મહત્વ છે. જોડિયા પાવા, ઢોલ અને પીહો જેવા વિવિધ સંગીતના સાધનોથી મેળાનું દ્રશ્ય અનેરું બને છે. મેળામાં આવેલ આદિવાસીઓનું રંગબેરંગી કપડાં અને સુંદર ઘરેણાંઓથી તેઓ અલગ જ દેખાય છે. કવાંટનો મેળો આદિવાસી સંસ્કૃતિનું જતન કરનારો મેળો છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "ગુજરાત સમાચાર". www.gujaratsamachar.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-26.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ કાલરીયા, અશોક (2019–20). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૪૬-૪૭.CS1 maint: date format (link)
  3. ૩.૦ ૩.૧ "ક્વાંટમાં આદિવાસીઓનો ગેર મેળો". Divya Bhaskar. 2020-03-07. મેળવેલ 2020-11-26.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]