ચિત્રકલા

વિકિપીડિયામાંથી
ભારતીય ચિત્રો
સમઘડી દિશામાં ઉપર-ડાબેથી: રાધા (૧૬૫૦), અજંતાની ગુફાઓના ચિત્ર (ઇ.સ. ૪૫૦), હિંદુ ચિત્રકલા (ઇ.સ. ૧૭૧૦), શકુંતલા (ઇ.સ. ૧૮૭૦, રાજા રવિ વર્મા).

ચિત્ર દોરવાની અને તેને સંબંધિત કલાને ચિત્રકલા કહેવામાં આવે છે.

ગુજરાતમાં ચિત્રકલા[ફેરફાર કરો]

ગુજરાતના કેટલાક વિશ્વ વિખ્યાત ચિત્રકારોમાં રવિશંકર રાવળ, કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, હિરાલાલ ખત્રી, યજ્ઞેશ્વર શુક્લ, સોમાલાલ શાહ, બંસીલાલ વર્મા, ઈશ્વર સાગરા, પીરાજી સાગરા, ભુપેન ખખ્ખર વગેરેનો સમાવેશ કરી શકાય.

ગુજરાતમાં ચિત્રકલાના નમૂના સૌથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિનાં કેન્દ્રો જેવાં કે લોથલ, રંગપુર અને રોઝડી વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયાં છે. ગુજરાતની ચિત્રકલાની એક શૈલી પિછવાઈ-ચિત્રશૈલી છે.