નવાપુર (જિ. નંદરબાર)

વિકિપીડિયામાંથી

નવાપુર શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જિલ્લાના નવાપુર તાલુકાનું વહીવટી મુખ્ય મથક છે.

નવાપુર ગુજરાત રાજ્યના સુરતથી ભુસાવળ રેલ્વે માર્ગ પર આવેલું રેલ્વે સ્ટેશન છે. આ ઉપરાંત અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પસાર થતો હોવાને કારણે અન્ય સ્થળો પર જવા માટે વાહનવ્યવહાર સરળતાથી ઉપલબ્ધ થાય છે. અહીંથી પિંપલનેર તેમ જ આહવા જવા માટે પણ સડક માર્ગની સવલત પ્રાપ્ય છે.


નવાપુર ખાતે બાલમંદિરથી લઇને મહાવિદ્યાલય સુધીના શિક્ષણ માટેની વિવિધ સંસ્થાઓ આવેલી છે.

નવાપુર શહેર રંગાવલી નદીને કિનારે વસેલું છે.