નીરવ પટેલ
નીરવ પટેલ | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| જન્મ | સોમો હીરો ચમાર ૨ ડિસેમ્બર ૧૯૫૦ [૧] ભુવલડી, ગુજરાત, ભારત | ||||||||||
| મૃત્યુ | ૧૫ મે ૨૦૧૯ (ઉંમર 68) અમદાવાદ, ગુજરાત, ભારત | ||||||||||
| વ્યવસાય | કવિ, અનુવાદક, સંપાદક | ||||||||||
| ભાષા | ગુજરાતી, અંગ્રેજી | ||||||||||
| રાષ્ટ્રીયતા | ભારતીય | ||||||||||
| શિક્ષણ | પીએચ.ડી. | ||||||||||
| લેખન પ્રકાર | અછાંદસ | ||||||||||
| સાહિત્યિક ચળવળ | ગુજરાતી દલિતસાહિત્ય | ||||||||||
| નોંધપાત્ર સર્જનો |
| ||||||||||
| સહી | |||||||||||
| |||||||||||
નીરવ પટેલ (૨ ડિસેમ્બર ૧૯૫૦ - ૧૫ મે ૨૦૧૯) ગુજરાતી અને અંગ્રેજી ભાષાના કવિ, અનુવાદક અને સંપાદક હતા; જેઓ મુખ્યત્વે ગુજરાતી દલિત સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતા છે, જેમાં બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ (૧૯૮૦, અંગ્રેજી કવિતાઓ), વોટ ડીડ આઇ ડુ ટૂ બી બ્લેક એન્ડ બ્લુ (૧૯૮૭, અંગ્રેજી કવિતાઓ) અને બહિષ્કૃત ફુલો (૨૦૦૬, ગુજરાતી) મુખ્ય છે. તેમણે ગુજરાતીમાં દલિત લખાણના સામયિક સ્વમાનનું સંપાદન કર્યું હતું.[૨]
જીવન
[ફેરફાર કરો]નીરવ પટેલનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ભુવલડી ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ સોમો હિરો ચમાર હતું.[૩] તેમણે પોતાનું નામ નીરવ પટેલ રાખ્યું કારણ કે તેમને જાતિવાદને કારણે અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.[૩] અંગ્રેજી સાહિત્યમાં તેમણે પીએચ.ડી. કર્યું હતું. તેમણે બેંક અધિકારી તરીકે સેવા આપી હતી. નિવૃત્તિ પછી, તેમણે પોતાનો સમય દલિત સાહિત્યમાં સમર્પિત કર્યો.
તેમણે ૧૯૬૭માં કોલેજ દરમિયાન કવિતા લખવાનું શરૂ કર્યું.[૪] તેમણે દલિત લોકો પર આધારીત દલિત કવિતા લખી, જેઓ અત્યાચાર, શોષણ, ભેદભાવ અને અલગતાનો ભોગ બની રહ્યા હતા.[૪]
તેમણે ગુજરાતી દલિત સાહિત્યની ચળવળની પહેલ કરી અને ગુજરાતના દલિત પેન્થરની આગેવાની હેઠળ ૧૯૭૮માં પ્રથમ દલિત સાહિત્યિક મેગેઝિન આક્રોશનું પ્રકાશન કર્યું. તેમણે અન્યો સાથે કાળો સુરજ, સર્વનામ, સ્વમાન અને વાચા જેવા અલ્પજીવી ગુજરાતી સામયિકો માટે સંપાદત કર્યું હતું.[૫]
૧૫ મે ૨૦૧૯ના રોજ કેન્સરના કારણે અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.[૬][૭]
સર્જન
[ફેરફાર કરો]તેમણે અંગ્રેજીમાં બે કાવ્યસંગ્રહો બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ (૧૯૮૦) અને વોટ ડીડ આઇ ડુ ટુ બી બ્લેક એન્ડ બ્લુ (૧૯૮૭) પ્રકાશિત કર્યા હતા. તેમણે ૨૦૦૬માં ગુજરાતી કવિતાસંગ્રહ બહિષ્કૃત ફુલો પ્રકાશિત કર્યો હતો.[૨] તેમણે તેમની કવિતાઓમાં દલિત સંવેદનશીલતા રજૂ કરી કરી.[૮][૯]
પુરસ્કારો
[ફેરફાર કરો]તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી મહેન્દ્ર ભગત પુરસ્કાર (૨૦૦૪–૨૦૦૫) અને ગુજરાત સરકાર તરફથી સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ (૨૦૦૫) મળ્યો હતો. [૧૦]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 "Welcome to Muse India". Welcome to Muse India. 1950-10-02. મૂળ માંથી 2016-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-02.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - 1 2 Agarwal, Beena; Patel, Neerav (July 2009). "Conversing With Neerav Patel". Impressions (A bi-Annual Refereed e-Journal English Studies). III (II). ISSN 0974-892X. મૂળ માંથી 22 May 2019 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2019.
{{cite journal}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 "Inequity of inequality: A lament in Gujarati". Firstpost. 2017-01-30. મેળવેલ 2017-06-04.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ); Cite has empty unknown parameter:|1=(મદદ) - ↑ "Poets translating Poets". Poets - Goethe-Institut (લેટિનમાં). મેળવેલ 2016-10-13.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Maitreya, Yogesh (21 May 2019). "Neerav Patel, poet and pioneer of Dalit literature in Gujarat, passes away; but power of his verses lives on". Firstpost. મેળવેલ 22 May 2019.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Kothari, Rita (1 June 2019). "Farewell, Neeravbhai". Economic and Political Weekly. 54 (22). Mumbai: 70–71. eISSN 2349-8846. ISSN 0012-9976. મૂળ સંગ્રહિત માંથી 2 જૂન 2019 પર સંગ્રહિત. મેળવેલ 8 ઑગસ્ટ 2019 – Economic and Political Weekly દ્વારા.
{{cite journal}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Welcome to Muse India". Welcome to Muse India. મૂળ માંથી 2016-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-13.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Amar Nath Prasad; M. B. Gaijan (1 January 2007). Dalit Literature: A Critical Exploration. New Delhi: Sarup & Sons. p. 156. ISBN 978-81-7625-817-3. મેળવેલ 4 January 2017.
{{cite book}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Parmar, Manoj (October 2017). Pratiti. Ahmedabad: Rannade Prakashan. p. 276. ISBN 978-93-86685-28-5.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ફર્સ્ટપોસ્ટ પર નીરવ પટેલની અનુવાદિત કવિતાઓ
- નીરવ પટેલ સાથે વાતચીત ('લે સિમ્પલેગડી'માં નીરવ પટેલની મુલાકાત)