લખાણ પર જાઓ

રાકેશ ઝવેરી

વિકિપીડિયામાંથી
રાકેશ ઝવેરી
જન્મની વિગત (1966-09-26) 26 September 1966 (ઉંમર 58)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
અભ્યાસએમ.એ., પી.એચ.ડી
શિક્ષણ સંસ્થાઓસ્માનિયા યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મુંબઈ
માતા-પિતારેખા ઝવેરી -દિલીપ ઝવેરી
વેબસાઇટwww.shrimadrajchandramission.org

રાકેશ ઝવેરી (જન્મ: ૨૬ સપ્ટેમ્બર ૧૯૬૬), જેમને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના અનુયાયીઓ ઘણી વખત તેમને બાપજી કે સાહેબજી તરીકે પણ સંબોધે છે. તે ભારતના એક આધ્યાત્મિક નેતા, ગૂઢવાદી, જૈન ધર્મના વિદ્વાન, લેખક અને વક્તા છે. યુવાન વયથી આધ્યાત્મિક રીતે વલણ ધરાવતા, તે જૈન આધ્યાત્મિક શિક્ષક શ્રીમદ રાજચંદ્રના અનુયાયી છે. તેમણે શ્રીમદ્ રાજચંદ્રના કાર્ય આત્મસિદ્ધિ ઉપર ડોક્ટરલ અભ્યાસ પૂરો કર્યો છે. તેમણે શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરની સ્થાપના કરી જે આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને ટેકો આપે છે.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

રાકેશ ઝવેરીનો જન્મ ભારતના મુંબઇમાં ૨૬ સપ્ટેમ્બર ૧૯૬૬ના રોજ દિલીપ અને રેખા ઝવેરીના ત્યાં થયો હતો. તેમનો પરિવાર જૈન ધર્મની શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરા અનુસરનારો છે. [] ૧૯૬૮ માં રાજસ્થાનના સાધુ સહજ આનંદજી, જેમણે હમ્પી ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના કરી હતી તેઓ પાલિતાણા ખાતે હતા. રાકેશજીના માતાપિતા સહજ આનંદજી દ્વારા પ્રભાવિત હતા જેમનું મૃત્યુ ૧૯૭૦માં થયું હતું અને માતાજી દ્વારા તેમને પછીથી સંભાળવામાં આવ્યા હતા. []

અંગત જીવન

[ફેરફાર કરો]

તેઓ જૈન સાધુપણાના ઘણા સિદ્ધાંતો (જેમ કે મહાવ્રત)નું પાલન કરે છે તેમ છતાં તે પોતાને સાધુ માનતા નથી. તે ધરમપુરના આશ્રમમાં તેમના અનુયાયીઓ સાથે રહે છે અને મુંબઈમાં હોય ત્યારે પોતાના પરિવાર સાથે રહે છે. []

માન્યતા

[ફેરફાર કરો]

તેમને ગાંધી ગ્લોબલ ફેમિલી, એક એનજીઓ દ્વારા ૨૦૧૭માં ગાંધી સેવા ચંદ્રક એનાયત કરાયો હતો. []

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]

નોંધો અને સંદર્ભો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Shweta. "Jain Saint Rakeshbhai Jhaveri: The True Successor of Shrimad Rajchandraji". Religion World. ReligionWorld.in. મેળવેલ 7 June 2018.
  2. Salter 2002.
  3. Chhapia, Hemali (February 2013). "MBAs, doctors, engineers surrender soul to service and prayers". Times of India. મૂળ સંગ્રહિત માંથી 2016-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2014-02-24.
  4. "Gandhi Global Family awards the prestigious Gandhi Seva Medal to Pujya Gurudevshri". Shrimad Rajchandra Mission Dharampur. Shrimad Rajchandra Mission Dharampur. મૂળ સંગ્રહિત માંથી 2017-11-10 પર સંગ્રહિત. મેળવેલ 9 November 2017.