વઢવાણા તળાવ
દેખાવ
| વઢવાણા તળાવ | |
|---|---|
વઢવાણા જળાશય | |
| સ્થાન | વઢવાણા, ડભોઇ તાલુકો, ગુજરાત રાજ્ય |
| અક્ષાંશ-રેખાંશ | 22°10′12″N 73°29′28″E / 22.1699012°N 73.4909751°E |
| પ્રકાર | તળાવ |
| બેસિન દેશો | ભારત |
| ક્ષારતા | નથી. પીવાલાયક પાણી. |

વઢવાણા તળાવ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વઢવાણા પાસે આવેલું એક તળાવ છે જે પક્ષી અભયારણ્ય તેમજ રામસર સ્થળ પણ છે.[૧]
ડભોઇ શહેરના નાંદોદી દરવાજાથી સંખેડા તરફ જતા રસ્તા પર ડાબી તરફ આ તળાવ આવેલું છે. ડભોઈથી બોડેલી જતા રસ્તા એસ.એચ.૧૧ પરથી જતા આ તળાવ જમણી તરફ આવે છે. અંદાજે ૧૦૦ વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ૧૦.૩૮ ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલ આ તળાવનું પાણી પાંચ કેનાલો દ્વારા ૨૨ ગામોના ૧૭૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે. અહીં દર વર્ષે દેશવિદેશથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ૨૦૦ થી વધુ જાતના હજારો યાયાવર પક્ષીઓ આવે છે. વઢવાણા તળાવનો સમાવેશ દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) તરીકે થાય છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "વડોદરા: વઢવાણા તળાવનો Ramsar સાઇટમાં સમાવેશ, શિયાળામાં જોવા મળશે 250 જાતના પક્ષી". News18 Gujarati. 2021-10-05. મેળવેલ 2022-03-27.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "ગુજરાત પાક્ષિક". ક્રમાંક ૪–૫. ગાંધીનગર: માહિતી ખાતું, ગુજરાત રાજ્ય. 1 March 2019.
{{cite magazine}}: Check date values in:|date=(મદદ); Cite magazine requires|magazine=(મદદ)
| આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
