સંપ્રદાય

વિકિપીડિયામાંથી

હિંદુ ધર્મ પ્રમાણે સંપ્રદાય એટલે પરંપરા, આધ્યાત્મિક માર્ગ, પંથ અથવા ધાર્મિક પ્રથા હોઇ શકે છે. એક જ ધર્મને માનવા વાળા મુખ્ય ધર્માચાર્યોના ઇષ્ટદેવ, વિચારસરણી વગેરે અલગ-અલગ હોય છે.

હિંદુ ધર્મમાં ઇષ્ટદેવની ભિન્નતાને લઈને પાંચ મુખ્ય સંપ્રદાય છે - વૈષ્ણવ (વિષ્ણુના ઉપાસક), શૈવ (શિવ ઉપાસક), ગાણપત (ગણપતિ ઉપાસક), શાક્ત (શક્તિ/દેવી ઉપાસક) અને સૌર (સૂર્ય ઉપાસક).

વિચારની ભિન્નતાને લઈને પાંચ મુખ્ય સંપ્રદાય છે - શંકરાચાર્યનો અદ્વૈત, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત, માધવાચાર્યનો દ્વૈત, નિમ્બાર્કાચાર્યનો દ્વૈતાદ્વૈત, વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈત, ચૈતન્ય મહાપ્રભુનો અચિંત્ય ભેદાભેદ.