જયપ્રકાશ નારાયણ
| જન્મ તિથિ: | ૧૧મી ઓક્ટોબર, ૧૯૦૨ |
|---|---|
| નિધન: | ૮મી ઓક્ટોબર, ૧૯૭૯ |
| ભારતીય રાજનેતા | |
| જન્મ સ્થળ: | સિતાબદીરા, બલિયા,ઉત્તર પ્રદેશ |
જયપ્રકાશ નારાયણ ( ૧૧મી ઓક્ટોબર, ૧૯૦૨ - ૮મી ઓક્ટોબર, ૧૯૭૯) ભારતીય સ્વતંત્રતા સેનાની અને ઉચ્ચ કક્ષાના રાજનેતા હતા. તેઓ જેપી તરીકે પણ ઓળખાય છે. એમને ઇ. સ. ૧૯૭૦ના વર્ષમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીની સામે વિપક્ષનું નેતૃત્વ કરવા બદલ ઓળખવામાં આવે છે. તેઓ સમાજ-સેવક હતા તથા તેઓ લોકનાયક જેવા નામથી પણ જાણીતા બન્યા હતા.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] શિક્ષણ
પટના ખાતે પોતાના વિદ્યાર્થી જીવનમાં જયપ્રકાશ નારાયણજીએ સ્વતંત્રતા સંગ્રામમાં હિસ્સો લિધો હતો. યુવા જયપ્રકાશ નારાયણ પ્રતિભાશાળી યુવાઓને પ્રેરિત કરવા માટે બિહાર વિદ્યાપીઠમાં સામેલ થઇ ગયા હતા કે જે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સુપ્રસિદ્ધ ગાંધીવાદી અનુગ્રહ નારાયણ સિંહા, કે જે ગાંધીજીના નિકટના સહયોગી રહ્યા હતા અને ત્યાર બાદ બિહાર રાજ્યના પહેલા ઉપ મુખ્યમંત્રી તથા સહ વિત્ત મંત્રી રહી ચુક્યા છે, તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.[૧] ઇ. સ. ૧૯૨૨ના વર્ષમાં તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા ગયા, જ્યાં એમણે ૧૯૨૨-૧૯૨૯ની વચ્ચેના સમયમાં કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય-બરકલી તથા વિસકાંસન વિશ્વવિદ્યાલય ખાતે સમાજ-શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. અભ્યાસ કરતી વેળા મોંઘા ખર્ચેનું વહન કરવાને માટે એમણે ખેતરો, કંપનીઓ, રેસ્ટોરેન્ટોમાં કામ કર્યું હતું. તેઓ આ સમયમાં માર્ક્સના સમાજવાદથી પ્રભાવિત થયા હતા. એમણે એમ.એ.ની પદવી (ડિગ્રી) હાસિલ કરી. એમનાં માતાજીની તબિયત ઠીક ન હોવાને કારણે તેઓ ભારત પાછા આવી ગયા અને પી.એચ.ડી પૂર્ણ ન કરી શક્યા.
[ફેરફાર કરો] આ પણ જુઓ
[ફેરફાર કરો] સંદર્ભો
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- સંપૂર્ણ ક્રાંતિનું આહવાન
- સ્વરાજથી લોકનાયક (स्वराज से लोकनायक) (ગૂગલ પુસ્તક ; લેખક -જયપ્રકાશ નારાયણ , યશવંત સિંહા)
- લોકનાયક જયપ્રકાશ નારાયણ (અંગ્રેજી લેખ)
- જયપ્રકાશ નારાયણનું જીવનવૂતાંત - (અંગ્રેજી લેખ)
- લોકનાયક જયપ્રકાશ નારાયણ (અંગ્રેજી લેખ)
- જેપીનું ગામ (હિંદી ચિટ્ઠા 'જ્ઞાનઘર'માંથી)
- સમગ્ર ક્રાંતિના નાયક જેપી