અબ્દુલ કલામ
| ભારતનાં રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ | |
|---|---|
| જન્મની વિગત | ૧૫/૧૦/૧૯૩૧ રામેશ્વરમ,તામિલ નાડુ,ભારત |
| કાર્યકાળ | પચ્ચીસમી જુલાઇ, ૨૦૦૨ થી પચ્ચીસમી જુલાઇ, ૨૦૦૭ |
| ઉપરાષ્ટ્રપતિ | ભૈરોસિંહ શેખાવત |
| પુરોગામી | કે.આર.નારાયણન |
| અનુગામી | પ્રતિભા પાટીલ |
| ખિતાબ | ભારત રત્ન |
| ખ્યાતનામી | મિસાઇલ મેન, જનસામાન્યનાં રાષ્ટ્રપતિ. |
| ધર્મ | મુસ્લિમ |
| જીવનસાથી | અપરણીત |
અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે,તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર, ૧૯૩૧ના રોજ તામિલનાડુ રાજ્યમાં થયો હતો. તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના મેળવી. રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા તેઓ "તકનિકી સ્વપ્નદ્રષ્ટા" તરીકે ઓળખાતા, ઇ. સ. ૧૯૯૭ માં તેઓને તેમની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (DRDO)નીં કામગીરી અને ભારત સરકારનાં "વૈજ્ઞાનિક સલાહકાર" તરીકેની સેવાઓ બદલ ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન વડે વિભૂષિત કરવામાં આવ્યા હતા. ભારતીય આંતરખંડીય પ્રક્ષેપાત્ર (en:ballistic missile) અને અવકાશ યાન પરનાં કાર્યને કારણે તેઓ "મિસાઇલ મેન" તરીકે પણ પ્રસિધ્ધ થયા.
[ફેરફાર કરો] રાજકીય દ્રષ્ટિ
એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.હવે એ કરસે .
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- ભારત દેશના રાષ્ટ્રપતિઓના અધિકૃત જાળસ્થળ પર ડો. અબ્દુલ કલામનું જીવન ચરિત્ર - અંગ્રેજી ભાષામાં
- ભારત દેશના રાષ્ટ્રપતિઓનું અધિકૃત જાળસ્થળ
|
|||||||