મીંઢોળા નદી

વિકિપીડિયામાંથી
મીંઢોળા નદી
મીંઢોળા નદી
સ્થાન
જિલ્લાઓતાપી અને સુરત
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
અરબી સમુદ્ર
લંબાઇ૧૦૫ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનઅરબી સમુદ્ર
કાંઠાની લાક્ષણિકતાઓ
મહત્વનાં સ્થળોબારડોલી, બાજીપુરા, મલેકપુર
મીંઢોળા નદી, પલસાણા નજીક

મીંઢોળા નદીતાપી અને સુરત જિલ્લાની મહત્વની નદી છે, જે ગુજરાત રાજ્યમાં થઈને વહે છે. આ નદીની કુલ લંબાઈ ૧૦૫ કિ.મી. અને સ્ત્રાવ વિસ્તાર (કૅચમેન્ટ એરિયા) ૧૫૧૮ ચોરસ કિ.મી. જેટલો છે.[૧] તેનો ઉદ્ભવ સોનગઢ તાલુકાના ડોસવાડા ગામની ઉપરવાસમાં આવેલા જંગલ વિસ્તારમાંથી થાય છે. આ નદી પર ડોસવાડા ગામ નજીક એક નાનો બંધ બાંધવામાં આવેલ છે. આ નદીનો અંત અરબી સમુદ્રમાં ઉભરાટ નજીક આવેલા દાંતી ગામ પાસે થાય છે. તેનો ઉપયોગ ખાસ તો સીંચાઇ માટે કરવામાં છે, તેના ઉપર ૩ નાના-મોટા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી તેના પર વાહન-વ્યવહારના લગભગ ૧૪ જેટલા પુલો આવેલા છે. મીંઢોળા નદીને કીનારે બાજીપુરા, બારડોલી, મલેકપુર જેવા ગામો વસ્યા છે.

ઇતિહાસમાં ઉલ્લેખ[ફેરફાર કરો]

ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવેલા મીઠાના સત્યાગ્રહ હેઠળ આયોજીત દાંડી યાત્રાના માર્ગમાં આ નદી આવતી હતી. સત્યાગ્રહીઓને નદી પાર કરાવવા માટે કપલેથા ગામના લોકોએ પોતાના ગાડાઓને નદીના પટમાં મૂકી હંગામી પુલ બનાવ્યો હતો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-11.
  2. "Natitional Salt Satyagrah Mural". commons.wikimedia.org. Wikimedia Foundation. 2019-08-10. મેળવેલ 2019-08-10.