શેત્રુંજી નદી
વિકિપીડિયાથી
અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. આ નદી ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ના વર્ષમાં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશક્તિ ધરાવે છે.
૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ (પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે.