અનિલ અંબાણી

વિકિપીડિયામાંથી
અનિલ અંબાણી
જન્મમુંબઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Warwick Business School
  • The Wharton School
  • Hill Grange High School
  • Kishinchand Chellaram College Edit this on Wikidata
જીવન સાથીટીના મુનિમ Edit this on Wikidata
બાળકોઅનમોલ અંબાણી Edit this on Wikidata
કુટુંબDeepti Salgaocar Edit this on Wikidata

અનિલ અંબાણી (Gujarati:અનીલ અંબાણી)(જન્મ 4 જૂન, 1959) ભારતીય વેપારી અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના મુખ્ય શેરહોલ્ડર છે. અનિલના મોટાભાઈ, મુકેશ અંબાણી પણ અબજોપતિ છે, અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીની માલિકી ધરાવે છે. તેમની વ્યકિતગત અંદાજિત 17 બિલિયન ડોલરની સંપત્તિ સાથે, તે મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલ પછી વિશ્વમાં ત્રીજા સૌથી શ્રીમંત ભારતીય છે.[૧]

તે પેનસિલ્વાનિયાની વોર્ટન સ્કુલ ઓફ યુનિવર્સિટી ખાતે ઓવરસીઝ બોર્ડના સભ્ય છે. તે કાનપુરની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી; અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટના ગર્વનર બોર્ડના સભ્ય છે. તે કેન્દ્રિય સલાહકાર સમિતિ, કેન્દ્રિય વીજળી નિયંત્રક આયોગના સભ્ય છે. માર્ચ 2006માં, તેમણે રાજીનામું આપી દીધું હતું. તેઓ ગાંધીનગર ખાતે DA-IICT ના ગર્વનર બોર્ડના અધ્યક્ષ પણ છે.

કારકીર્દિ[ફેરફાર કરો]

અંબાણી, 1983માં તેમના સ્વ. પિતાશ્રી ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપિત કંપની રિલાયન્સમાં સહ-મુખ્ય વહીવટી અધિકારી તરીકે જોડાયા અને ભારતીય મૂડી બજારમાં ઘણાં નાણાકીય નાવીન્યો લાવવામાં અગ્રેસર બનવામાં પ્રતિષ્ઠા સંપન્ન કરી. ઉદાહરણ તરીકે, તેમણે પ્રથમ વૈશ્વિક થાપણ આવકો, કન્વર્ટિબલ્સ અને બોન્ડથી આંતરરાષ્ટ્રીય લોક પ્રસ્તુતિ સાથે દરિયાપારના મૂડી બજારોમાં ભારતના પ્રથમ આક્રમણનું નેતૃત્વ કર્યું. તેમણે જાન્યુઆરી 1997માં સૌથી ઊંચા પોઈન્ટે 100 વર્ષીય યાન્કી બોન્ડ બહાર પાડવા સાથે, દરિયાપારના નાણાકીય બજારોમાંથી 2 બિલિયન યુએસ ડોલરનું ફંડ ઊભું કરીને 1991થી પોતાના પ્રયત્નો દ્વારા રિલાયન્સને આગળ ધપાવ્યું, ત્યારબાદ લોકો તેમને નાણાંકીય જાદૂગર તરીકે ગણવા લાગ્યા.[સંદર્ભ આપો] તેમણે તેમના ભાઈ મુકેશ અંબાણી સાથે રહીને કાપડ, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ, વીજળી, અને ટેલિકોમ કંપનીમાં ભારતના અગ્રેસર તરીકે રિલાયન્સ ગ્રુપને તેના વર્તમાન દરજ્જા સુધી પહોચાડ્યું.

તેઓ તેમની લાંબી કારર્કિદીમાં 15 વર્ષ કરતાં વધુ સમયથી પોતાની પત્ની સહિત અનેક સિને-જગતની વ્યકિતઓ સાથે સંકળાયેલ છે. તે, ચિત્ર જગતના અભિનેતા અમિતાભ બચ્ચન તેમજ સુબ્રતો રોયના નજદીકી મિત્ર છે.મનોરંજન ઉદ્યોગમાં એડલેબ્સ, ચિત્ર નિર્માણથી વિતરણથી મલ્ટિપ્લેક્ષ કંપનીનો હવાલો સંભાળ્યો તે તેમની મુખ્ય સિદ્ધિ છે, જે ભારતના એકમાત્ર ડોમ થિયેટરની માલિકી ધરાવે છે અને તાજેતરમાં સ્ટીવન સ્પીલબર્ગ સાથે 825 મિલિયન યુ.એસ ડોલરની કિંમતના સંયુકત સાહસની જાહેરાત કરી છે.

તેઓ મુકેશ અંબાણી, તેમના ભાઈ સાથે કે.જી. બેઝિનમાંથી ગેસના પુરવઠા અંગેની તકરારમાં સંડોવાયેલા છે..

તાજેતરમાં છેલ્લે 2000ની મંદીમાં[૨] નાણા ગુમાવનાર વેપારી અગ્રેસરોની 'વિશ્વની સૌથી મોટી ખોટ કરનાર' ટોચની વેપારી યાદીમાં ટોચના સ્થાને પહોંચ્યા છે, જેમણે 2008માં 32.5 બિલિયન ડોલરની ખોટ કરી હતી, જેનાથી ટોચના દસની યાદીમાંથી ખસીને 2009માં 34મું સ્થાન મેળવ્યું હતું.

હત્યાના પ્રયત્નો[ફેરફાર કરો]

23 એપ્રિલ 2009ની સાંજે, તેમના 13-બેઠકના હેલિકોપ્ટર VT-RCL ના (બેલ 412) ગિયર બોકસમાં કાદવ, કાંકરા અને પથ્થરો મળી આવ્યા હતા.[૩] ગિયર બોકસ જમીનથી 10 ફૂટની ઊંચાઈએ રાખેલું હોવા છતાં ગિયર બોકસની ફિલર કેપમાં કાંકરા અને પથ્થરો મૂકવામાં આવ્યા હતા. રિલાયન્સ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ્સ પ્રા.લિમિટેડ ના સિનિયર પાયલોટ કેપ્ટન આર. એન. જોષીએ મુંબઈ પોલીસ કમિશનરની કચેરી, મહારાષ્ટ્ર મુખ્ય મંત્રીની કચેરી, મહારાષ્ટ્ર ગૃહમંત્રીની કચેરી, મુખ્ય સચિવની કચેરી, સંયુકત પોલીસ કમિશનરની કચેરી તેમજ શાંતાક્રુજ પોલીસ સ્ટેશને પણ ફરિયાદ દાખલ કરી હતી.

એર વર્કસના ટેકનિશિયન ભરત બોર્ગે ભાંગફોડ થયેલી જોઈ ત્યારે હેલિકોપ્ટર મુંબઈ હવાઈ મથકના હેન્ગરની બહાર ઊભું હતું. બોર્ગ વીલેપાર્લેઅને અંધેરી વચ્ચે મુંબઈ પરાના રેલ્વે ટ્રેક પર 28 એપ્રિલ, 2009ના રોજ મૃત હાલતમાં મળ્યો હતો. તેની પાસે એક પત્ર પણ મળી આવ્યો હતો. રેલ્વે પોલીસ માને છે કે તે ચર્ચગેટ સુધીની ફાસ્ટ લોકલની અડફેટમાં આવી ગયો હોઈ શકે છે. “બોર્ગેના રહસ્યમય મોતે ગભરાટ પેદા કર્યો છે કે અમુક પ્રતિર્સ્પધી ધંધાદારી જૂથો તેને ખત્મ કરવાનો પ્રયત્ન કરી રહ્યાના અનિલ અંબાણીના આક્ષેપને સમર્થન પૂરું પાડે છે.” [૪][૫]

ભરત બોર્ગેના શબ-પરીક્ષણમાં જાહેર થયું હતું કે બહુવિધ ફ્રેકચરોને પરિણામે બ્રેઈન-હેમરેજને કારણે આઘાતથી તે મૃત્યુ પામ્યો હતો.[૬] મરાઠીમાં લખેલો પત્ર તેના ખિસ્સામાંથી મળી આવ્યો હતો, જેમાં લખેલું કે, “મે કશું ખોટું કર્યું નથી”. તે દિવસે, કેટલાક રિલાયન્સના લોકો આવ્યા હતા અને મારી સાથે વાત કરી હતી. મેં તેઓને કશું કહ્યું ન હતું. તેઓ પૈકી એકે મારો નંબર લીધો અને કહ્યું કે તે મારી સાથે પછીથી વાત કરશે. મને લાગ્યું હતું કે તેઓ મારો ઉપયોગ કરી રહ્યા હતા. આખી રાત વિચાર કર્યા પછી હું આ પત્ર લખું છું. એવું લાગે છે કે દોષ મારી પર આવશે. હું માનું છું કે તપાસ સાચા માર્ગે થઈ રહી છે અને સત્ય જલ્દીથી બહાર આવશે.”[૬]

તપાસ કરનારાઓએ પછીથી કહ્યું હતું કે બોર્ગેનું મોત અકસ્માત હતો અને આપઘાત ન હતો.[૭]

એર વર્કસ ઈન્ડિયા એન્જિયનિયરીંગ પ્રા. લિમિટેડ, કંપની કે જે હેલિકોપ્ટરની સંભાળ રાખે છે, તેણે તેના કર્મચારીઓની આ કેસમાં પૂછપરછ કરી હતી.[૮]

પુરસ્કાર અને સન્માન[ફેરફાર કરો]

  • માર્ચમાં 2009 ઈન્ડિયા ટુ ડે પાવર લિસ્ટમાં ભારતના 3જી સૌથી શકિતશાળી વ્યકિત તરીકે મત મેળવ્યા.[૯]
  • ટાઈમ્સ ઓફ ઈન્ડિયા – ટીએનએસ લોક મત દ્વારા 2006ના વર્ષના ચૂંટાયેલા વ્યાવસાયિક વ્યક્તિ[૧૦]
  • 2004 ના પ્રતિષ્ઠિત પ્લેટ્સ ગ્લોબલ એર્નજી એવોર્ડમાં વર્ષના મુખ્ય વહીવટી અધિકારી તરીકેનો નિર્ણય.
  • સપ્ટેમ્બર 2003માં “2003ના વર્ષ માટેના એમટીવી યુવા આદર્શ” તરીકે ચૂંટાયા.
  • ઓકટોબર, 2002માં બોમ્બે મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા “દશકાનો ઉદ્યોગ સાહસિક એવોર્ડ” અપાયો.
  • વેપારનાં ઘણાં ક્ષેત્રોમાં વૈશ્વિક અગ્રેસર તરીકે રિલાયન્સની સ્થાપના કરવામાં તેમના ફાળાની કદર તરીકે વોર્ટન ઈન્ડિયા ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઆઇઇએફ) (WIEF) દ્વારા ડિસેમ્બર, 2001માં પ્રથમ વોર્ટન ઈન્ડિયન એલ્યુમનિ એવોર્ડ અપાયો.
  • ભારતના અગ્રેસર સામયિક બિઝનેસ ઈન્ડિયા એ ડિસેમ્બર, 1997માં “1997ના વર્ષના વ્યાવસાયિક વ્યક્તિ” તરીકેનો એવોર્ડ આપ્યો.

અંગત જીવન[ફેરફાર કરો]

તેમણે ભારતીય બોલિવુડની અભિનેત્રી ટીના મુનિમ સાથે લગ્ન કર્યા અને તેમને અણમોલ તથા આશુંલ એમ બે દીકરા છે. તેમણે મુંબઈ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. અંબાણી, કોકાકોલા ચેમ્પિયનશીપ કલબ, ન્યુકેસલ યુનાઈટેડના જબરજસ્ત ચાહક પણ છે અને સપ્ટેમ્બર, ૨૦૦૮માં કલબ ખરીદવામાં અત્યંત નિકટવર્તી હતા. જૂન ૨૦૦૪માં અનિલ રાજ્ય સભા-ઉપલા ગૃહ, ભારતીય સંસદમાં સમાજવાદી પક્ષના ટેકાથી સ્વતંત્ર સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે દરરોજ સવારે ૪ (ચાર) વાગ્યે ઊઠી જાય છે, સમાચાર તપાસે છે અને દોડવા માટે જાય છે. [૧] સંગ્રહિત ૨૦૧૧-૧૧-૨૯ ના રોજ વેબેક મશિન

તે દરરોજ ૬ લીટર પાણી પીવે છે અને પાઉં-ભાજી ખાવાનું પસંદ કરે છે. [૨][હંમેશ માટે મૃત કડી]

પ્રવાસ[ફેરફાર કરો]

તેમની પાસે બેલ 412 બનાવટનું, ૧૩ બેઠકનું હેલિકોપ્ટર છે, જે તેમણે ઇ. સ. ૨૦૦૧માં ખરીદ્યું હતું.[૧૧]

ઇંગ્લિશ પ્રિમિયર લીગ[ફેરફાર કરો]

અંબાણીએ કલબની માલિકી હસ્તક કરવાના સોદા બાબત એવર્ટન અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ પહેલાં તેઓ ન્યુકેસલ યુનાઈટેડ ખરીદવાની અણી પર પણ હતા.[૧૨][૧૩] હવે તેઓ એવર્ટનમાં પોતાનો રસ ફરી પેદા થયો હોવાનું માને છે, કેમ કે તેના અધ્યક્ષ બિલ કેનરાઈટે સ્વીકાર્યું છે કે હવે તેઓ સક્રિયપણે પોતાના શેર વેચી દેવા માગે છે, કેમ કે કલબ્સ તૂટી પડવાને કારણે ડેસ્ટિનેશન કર્કબી સ્ટેડિયમ પ્રોજેકટ તૂટી પડયો હતો.

ગ્રંથસૂચી[ફેરફાર કરો]

  • યોગેશ છાબરીયા, હેપ્પિઓનાયરેસ કેશ ધ ક્રેશ . સીએનબીસી (CNBC) - નેટવર્ક18. આઇએસબીએન(ISBN) 9788190647953 - 2009

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Mukesh Ambani tops Forbes India rich list with $32 bn fortune". India Today. November 19, 2009. મેળવેલ 23 November 2009.
  2. http://businesssheet.alleyinsider.com/loser-1-anil-ambani[હંમેશ માટે મૃત કડી]
  3. "Ibnlive.com હત્યાનો લેખ". મૂળ માંથી 2012-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-08.
  4. Rediff.com
  5. ઇન્ડિયા ટુડે - મરેલા સાક્ષી પરનો લેખ
  6. ૬.૦ ૬.૧ અંબાણી હેલિકોપ્ટર કેસ: ભરત બોર્ગેના શરીર પરથી મળેલો પત્ર
  7. અંબાણી હેલિકોપ્ટર કેસ: બોર્ગેનું મૃત્યુ એક અકસ્માત, આપઘાત નહીં
  8. અંબાણી હેલિકોપ્ટર કેસ: પહેલાંના એર વર્ક્સના સ્ટાફની પૂછપરછ
  9. http://indiatoday.intoday.in/index.php?option=com_content&task=view&id=31590&Itemid=1&issueid=96&sectionid=30&page=archieve&limit=1&limitstart=1
  10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-04-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-08.
  11. "ibnlive.com assassination article". મૂળ માંથી 2012-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-08.
  12. "Indian Tycoon Anil Ambani sets his sights on buying Everton".
  13. http://www.mirror.co.uk/sport/football/2008/09/29/exclusive-everton-targeted-for-take-over-by-indian-tycoon-worth-20billion-115875-20760882/

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]