ઇલોરાની ગુફાઓ
ઈલોરાની ગુફાઓ | |
---|---|
કૈલાશનાથ મંદિર, ગુફા ૧૬ | |
સ્થાન | ઔરંગાબાદ જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 20°01′36″N 75°10′38″E / 20.0268°N 75.1771°E |
પ્રકાર | સાંસ્કૃતિક |
માપદંડ | i, iii, vi |
યાદીમાં ઉમેરેલ | ૧૯૮૩(૭મું સત્ર) |
સંદર્ભ ક્રમાંક | ૨૪૩ |
UNESCO વિસ્તાર | એશિયા-પેસેફિક |
ઈલોરા (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે ભારત દેશમાં ઔરંગાબાદ, મહારાષ્ટ્ર થી ૩૦ કિ.મિ. (૧૮.૬૦ માઈલ) જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને રાષ્ટ્રકૂટ વંશે બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે.
ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. અહીં ૩૪ "ગુફાઓ" અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફલક છે. આમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ગુફ઼ા મંદિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.
ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે, આને ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલો ને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે. [૧]
આ સ્થળ યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે.[૨]
ચિત્રો[ફેરફાર કરો]
નૃત્ય કરતા નટરાજ ની કૈલાશ પર્વત પર પ્રતિમા, ગુફ઼ા સંખ્યા-૧૬. આ પર રંગ રોગન હજી પણ ભરપૂર દેખાય છે, જે ક્યારેક પૂરી ગુફ઼ામાં લાગ્યો હતો.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "અતુલ્ય ભારત". ઇનક્રેડેબલ ઇંડિયા. Retrieved ૨૩ જૂન ૨૦૦૭. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "Ellora UNESCO World Heritage Site". Retrieved ૧૯ ડિસેમ્બર ૨૦૦૬. Check date values in:
|accessdate=
(મદદ)
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કોમન્સ પર ઈલોરાની ગુફાઓ સંબંધિત માધ્યમો છે. |