ઉષા ઉપાધ્યાય
દેખાવ
ઉષા ઉપાધ્યાય | |
---|---|
ઉષા ઉપાધ્યાય, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, જાન્યુઆરી ૨૦૧૫ | |
જન્મ | ઉષા ઘનશ્યામ ઉપાધ્યાય 7 June 1956 ભાવનગર, ગુજરાત, ભારત |
વ્યવસાય | લેખક, કવિયત્રી અને પ્રાધ્યાપક |
ભાષા | ગુજરાતી |
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
ઉષાબહેન ઘનશ્યામભાઈ ઉપાધ્યાય ગુજરાતી સાહિત્યકાર છે.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ગુજરાતના ભાવનગર શહેરમાં ૭ જૂન ૧૯૫૬ના દિવસે થયો હતો.[૧][૨] તેઓએ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક (એમ.એ.) સુધીનો અભ્યાસ કર્યો અને પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદમાં પ્રાધ્યાપિકા રહ્યા હતા અને અમદાવાદ ખાતે મ.દે. મહાવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત તેઓ ગુજરાતી લેખક મંડળના ઉપપ્રમુખ રહ્યાં છે.[૧][૩][૨]
સાહિત્ય સર્જન
[ફેરફાર કરો]ગુજરાતી ભાષામાં નાટકો, નિબંધો, કવિતાઓ અને વાર્તાઓ તેમણે આપી છે.[૧]
કૃતિનું નામ | સાહિત્ય પ્રકાર | પ્રકાશન વર્ષ | |||
---|---|---|---|---|---|
મસ્તીખોર મનિયો | એકાંકીસંગ્રહ | ૨૦૦૪ | |||
વાદળી સરોવર | અનુવાદ | ૧૯૯૯ | |||
જળબિલ્લોરી | કવિતાસંગ્રહ | ૧૯૯૯ | |||
અરુંધતીનો તારો | કવિતાસંગ્રહ | ૨૦૦૬ | શ્યામ પંખી અવ આવ... | કવિતાસંગ્રહ | ૨૦૧૩,૨૦૨૧ |
ઈક્ષિત | વિવેચન | ૧૯૯૦ | |||
સાહિત્યસંનિધિ | વિવેચન | ૧૯૯૯ | |||
આલોકપર્વ | વિવેચન | ૨૦૦૫ | |||
સાંપ્રત ગુજરાતી સાહિત્ય | વિવેચન | ૨૦૦૮ | |||
અક્ષરને અજવાળે | વિવેચન | ૨૦૦૯ | |||
ગુજરાતી સંશોધન સંપાદન | વિવેચન | ૨૦૦૯ | |||
મિતાક્ષર | વિવેચન | ૨૦૧૬ | |||
અધીત, ૧૫ થી ૧૮ | સંપાદન | ૧૯૯૨ થી ૧૯૯૫ | |||
ગુજરાતી કવિતાચયન ૧૯૯૯ | સંપાદન | ૨૦૦૦ | |||
સર્જનપ્રક્રિયા અને નારીચેતના(કેફિયત) | સંપાદન | ૨૦૦૬ | |||
ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ (નારી સપ્તકશ્રેણી) | વાર્તાઓ | ૨૦૦૬ | |||
ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ નિબંધો (નારી સપ્તકશ્રેણી) | નિબંધો | ૨૦૦૬ | |||
ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ આત્મકથ્ય (નારી સપ્તકશ્રેણી) | આત્મકથા | ૨૦૦૬ | |||
ગુજરાતી સાહિત્યનો જ્ઞાનસંવાદ | સ્પર્ધાત્મક પરીક્ષા માટે | ૨૦૦૬,૨૦૧૩ | |||
શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ | અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓની કવિતા | ૨૦૦૭ | |||
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા... | મધ્યકાલીન ગુજરાતી કવયિત્રીઓની કવિતા | ૨૦૦૭ | |||
કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ :૧(ખંડ -૧) | સંશોધન - સંપાદન | ૨૦૧૨ | |||
અમેરિકા - નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા | સંશોધન | ૨૦૧૯ |
પુરસ્કાર
[ફેરફાર કરો]તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ભગિની નિવેદિતા પારિતોષિક અને બટુભાઇ ઉમરવાડિયા પારિતોષિક તેમજ ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન, લખનૌ તરફથી સૌહાર્દ સમ્માન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 147–148. ISBN 978-93-5108-247-7.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Matari, Jalan (July 2014). "ગઝલ કોકિલા ઉષા ઉપાધ્યાય". કુમાર. કુમાર ટ્રસ્ટ. 90 (1039): 52 – Internet Archives વડે.
- ↑ "ઉષા ઉપાધ્યાય". gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 2018-04-11.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય
- ઉષા ઉપાધ્યાય ગુજલિટ પર.
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |