ઉષા ઉપાધ્યાય
દેખાવ
ઉષા ઉપાધ્યાય | |
|---|---|
ઉષા ઉપાધ્યાય, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, જાન્યુઆરી ૨૦૧૫ | |
| જન્મ | ઉષા ઘનશ્યામ ઉપાધ્યાય ૭ જૂન ૧૯૫૬ ભાવનગર, ગુજરાત, ભારત |
| વ્યવસાય | લેખક, કવિયત્રી અને પ્રાધ્યાપક |
| ભાષા | ગુજરાતી |
| શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
ઉષાબહેન ઘનશ્યામભાઈ ઉપાધ્યાય ગુજરાતી સાહિત્યકાર છે.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ગુજરાતના ભાવનગર શહેરમાં ૭ જૂન ૧૯૫૬ના દિવસે થયો હતો.[૧][૨] તેઓએ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક (એમ.એ.) સુધીનો અભ્યાસ કર્યો અને પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદમાં પ્રાધ્યાપિકા રહ્યા હતા અને અમદાવાદ ખાતે મ.દે. મહાવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત તેઓ ગુજરાતી લેખક મંડળના ઉપપ્રમુખ રહ્યાં છે.[૧][૩][૨]
સાહિત્ય સર્જન
[ફેરફાર કરો]ગુજરાતી ભાષામાં નાટકો, નિબંધો, કવિતાઓ અને વાર્તાઓ તેમણે આપી છે.[૧]
| કૃતિનું નામ | સાહિત્ય પ્રકાર | પ્રકાશન વર્ષ |
|---|---|---|
| મસ્તીખોર મનિયો | એકાંકીસંગ્રહ | ૨૦૦૪ |
| વાદળી સરોવર | અનુવાદ | ૧૯૯૯ |
| જળબિલ્લોરી | કવિતાસંગ્રહ | ૧૯૯૯ |
| અરુંધતીનો તારો | કવિતાસંગ્રહ | ૨૦૦૬ |
| ઈક્ષિત | વિવેચન | ૧૯૯૦ |
| સાહિત્યસંનિધિ | વિવેચન | ૧૯૯૯ |
| આલોકપર્વ | વિવેચન | ૨૦૦૫ |
| સાંપ્રત ગુજરાતી સાહિત્ય | વિવેચન | ૨૦૦૮ |
| અક્ષરને અજવાળે | વિવેચન | ૨૦૦૯ |
| ગુજરાતી સંશોધન સંપાદન | વિવેચન | ૨૦૦૯ |
| મિતાક્ષર | વિવેચન | ૨૦૧૬ |
| અધીત, ૧૫ થી ૧૮ | સંપાદન | ૧૯૯૨ થી ૧૯૯૫ |
| ગુજરાતી કવિતાચયન ૧૯૯૯ | સંપાદન | ૨૦૦૦ |
| સર્જનપ્રક્રિયા અને નારીચેતના(કેફિયત) | સંપાદન | ૨૦૦૬ |
| ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ (નારી સપ્તકશ્રેણી) | વાર્તાઓ | ૨૦૦૬ |
| ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ નિબંધો (નારી સપ્તકશ્રેણી) | નિબંધો | ૨૦૦૬ |
| ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ આત્મકથ્ય (નારી સપ્તકશ્રેણી) | આત્મકથા | ૨૦૦૬ |
| ગુજરાતી સાહિત્યનો જ્ઞાનસંવાદ | સ્પર્ધાત્મક પરીક્ષા માટે | ૨૦૦૬,૨૦૧૩ |
| શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ | અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓની કવિતા | ૨૦૦૭ |
| રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા... | મધ્યકાલીન ગુજરાતી કવયિત્રીઓની કવિતા | ૨૦૦૭ |
| કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ :૧(ખંડ -૧) | સંશોધન - સંપાદન | ૨૦૧૨ |
| શ્યામ પંખી અવ આવ... | કવિતાસંગ્રહ | ૨૦૧૩, ૨૦૨૧ |
| અમેરિકા - નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા | સંશોધન | ૨૦૧૯ |
પુરસ્કાર
[ફેરફાર કરો]તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ભગિની નિવેદિતા પારિતોષિક અને બટુભાઇ ઉમરવાડિયા પારિતોષિક તેમજ ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન, લખનૌ તરફથી સૌહાર્દ સમ્માન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 3 Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. pp. 147–148. ISBN 978-93-5108-247-7.
- 1 2 3 Matari, Jalan (July 2014). "ગઝલ કોકિલા ઉષા ઉપાધ્યાય". કુમાર. 90 (1039). કુમાર ટ્રસ્ટ: 52 – Internet Archives દ્વારા.
- ↑ "ઉષા ઉપાધ્યાય". gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 2018-04-11.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]| આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |