લખાણ પર જાઓ

ઉષા ઉપાધ્યાય

વિકિપીડિયામાંથી
ઉષા ઉપાધ્યાય
ઉષા ઉપાધ્યાય, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, જાન્યુઆરી ૨૦૧૫
ઉષા ઉપાધ્યાય, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, જાન્યુઆરી ૨૦૧૫
જન્મઉષા ઘનશ્યામ ઉપાધ્યાય
(1956-06-07) 7 June 1956 (ઉંમર 68)
ભાવનગર, ગુજરાત, ભારત
વ્યવસાયલેખક, કવિયત્રી અને પ્રાધ્યાપક
ભાષાગુજરાતી
શિક્ષણએમ.એ., પીએચ.ડી.

ઉષાબહેન ઘનશ્યામભાઈ ઉપાધ્યાય ગુજરાતી સાહિત્યકાર છે.

તેમનો જન્મ ગુજરાતના ભાવનગર શહેરમાં ૭ જૂન ૧૯૫૬ના દિવસે થયો હતો.[][] તેઓએ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક (એમ.એ.) સુધીનો અભ્યાસ કર્યો અને પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદમાં પ્રાધ્યાપિકા રહ્યા હતા અને અમદાવાદ ખાતે મ.દે. મહાવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત તેઓ ગુજરાતી લેખક મંડળના ઉપપ્રમુખ રહ્યાં છે.[][][]

સાહિત્ય સર્જન

[ફેરફાર કરો]

ગુજરાતી ભાષામાં નાટકો, નિબંધો, કવિતાઓ અને વાર્તાઓ તેમણે આપી છે.[]

કૃતિનું નામ સાહિત્ય પ્રકાર પ્રકાશન વર્ષ
મસ્તીખોર મનિયો એકાંકીસંગ્રહ ૨૦૦૪
વાદળી સરોવર અનુવાદ ૧૯૯૯
જળબિલ્લોરી કવિતાસંગ્રહ ૧૯૯૯
અરુંધતીનો તારો કવિતાસંગ્રહ ૨૦૦૬ શ્યામ પંખી અવ આવ... કવિતાસંગ્રહ ૨૦૧૩,૨૦૨૧
ઈક્ષિત વિવેચન ૧૯૯૦
સાહિત્યસંનિધિ વિવેચન ૧૯૯૯
આલોકપર્વ વિવેચન ૨૦૦૫
સાંપ્રત ગુજરાતી સાહિત્ય વિવેચન ૨૦૦૮
અક્ષરને અજવાળે વિવેચન ૨૦૦૯
ગુજરાતી સંશોધન સંપાદન વિવેચન ૨૦૦૯
મિતાક્ષર વિવેચન ૨૦૧૬
અધીત, ૧૫ થી ૧૮ સંપાદન ૧૯૯૨ થી ૧૯૯૫
ગુજરાતી કવિતાચયન ૧૯૯૯ સંપાદન ૨૦૦૦
સર્જનપ્રક્રિયા અને નારીચેતના(કેફિયત) સંપાદન ૨૦૦૬
ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ (નારી સપ્તકશ્રેણી) વાર્તાઓ ૨૦૦૬
ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ નિબંધો (નારી સપ્તકશ્રેણી) નિબંધો ૨૦૦૬
ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ આત્મકથ્ય (નારી સપ્તકશ્રેણી) આત્મકથા ૨૦૦૬
ગુજરાતી સાહિત્યનો જ્ઞાનસંવાદ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ૨૦૦૬,૨૦૧૩
શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓની કવિતા ૨૦૦૭
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા... મધ્યકાલીન ગુજરાતી કવયિત્રીઓની કવિતા ૨૦૦૭
કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ :૧(ખંડ -૧) સંશોધન - સંપાદન ૨૦૧૨
અમેરિકા - નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા સંશોધન ૨૦૧૯

પુરસ્કાર

[ફેરફાર કરો]

તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ભગિની નિવેદિતા પારિતોષિક અને બટુભાઇ ઉમરવાડિયા પારિતોષિક તેમજ ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન, લખનૌ તરફથી સૌહાર્દ સમ્માન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 147–148. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Matari, Jalan (July 2014). "ગઝલ કોકિલા ઉષા ઉપાધ્યાય". કુમાર. કુમાર ટ્રસ્ટ. 90 (1039): 52 – Internet Archives વડે.
  3. "ઉષા ઉપાધ્યાય". gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 2018-04-11.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]