લખાણ પર જાઓ

ઉષા ઉપાધ્યાય

વિકિપીડિયામાંથી
ઉષા ઉપાધ્યાય
ઉષા ઉપાધ્યાય, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, જાન્યુઆરી ૨૦૧૫
ઉષા ઉપાધ્યાય, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, જાન્યુઆરી ૨૦૧૫
જન્મઉષા ઘનશ્યામ ઉપાધ્યાય
(૧૯૫૬-૦૬-૦૭) ૭ જૂન ૧૯૫૬ (ઉંમર ૬૯)
ભાવનગર, ગુજરાત, ભારત
વ્યવસાયલેખક, કવિયત્રી અને પ્રાધ્યાપક
ભાષાગુજરાતી
શિક્ષણએમ.એ., પીએચ.ડી.

ઉષાબહેન ઘનશ્યામભાઈ ઉપાધ્યાય ગુજરાતી સાહિત્યકાર છે.

તેમનો જન્મ ગુજરાતના ભાવનગર શહેરમાં ૭ જૂન ૧૯૫૬ના દિવસે થયો હતો.[][] તેઓએ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક (એમ.એ.) સુધીનો અભ્યાસ કર્યો અને પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદમાં પ્રાધ્યાપિકા રહ્યા હતા અને અમદાવાદ ખાતે મ.દે. મહાવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત તેઓ ગુજરાતી લેખક મંડળના ઉપપ્રમુખ રહ્યાં છે.[][][]

સાહિત્ય સર્જન

[ફેરફાર કરો]

ગુજરાતી ભાષામાં નાટકો, નિબંધો, કવિતાઓ અને વાર્તાઓ તેમણે આપી છે.[]

કૃતિનું નામસાહિત્ય પ્રકારપ્રકાશન વર્ષ
મસ્તીખોર મનિયોએકાંકીસંગ્રહ૨૦૦૪
વાદળી સરોવરઅનુવાદ૧૯૯૯
જળબિલ્લોરીકવિતાસંગ્રહ૧૯૯૯
અરુંધતીનો તારોકવિતાસંગ્રહ૨૦૦૬
ઈક્ષિતવિવેચન૧૯૯૦
સાહિત્યસંનિધિવિવેચન૧૯૯૯
આલોકપર્વવિવેચન૨૦૦૫
સાંપ્રત ગુજરાતી સાહિત્યવિવેચન૨૦૦૮
અક્ષરને અજવાળેવિવેચન૨૦૦૯
ગુજરાતી સંશોધન સંપાદનવિવેચન૨૦૦૯
મિતાક્ષરવિવેચન૨૦૧૬
અધીત, ૧૫ થી ૧૮સંપાદન૧૯૯૨ થી ૧૯૯૫
ગુજરાતી કવિતાચયન ૧૯૯૯સંપાદન૨૦૦૦
સર્જનપ્રક્રિયા અને નારીચેતના(કેફિયત)સંપાદન૨૦૦૬
ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ (નારી સપ્તકશ્રેણી)વાર્તાઓ૨૦૦૬
ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ નિબંધો (નારી સપ્તકશ્રેણી)નિબંધો૨૦૦૬
ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ આત્મકથ્ય (નારી સપ્તકશ્રેણી)આત્મકથા૨૦૦૬
ગુજરાતી સાહિત્યનો જ્ઞાનસંવાદસ્પર્ધાત્મક પરીક્ષા માટે૨૦૦૬,૨૦૧૩
શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટઅર્વાચીન ગુજરાતી કવયિત્રીઓની કવિતા૨૦૦૭
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા...મધ્યકાલીન ગુજરાતી કવયિત્રીઓની કવિતા૨૦૦૭
કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ :૧(ખંડ -૧)સંશોધન - સંપાદન૨૦૧૨
શ્યામ પંખી અવ આવ...કવિતાસંગ્રહ૨૦૧૩, ૨૦૨૧
અમેરિકા - નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષાસંશોધન૨૦૧૯

પુરસ્કાર

[ફેરફાર કરો]

તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ભગિની નિવેદિતા પારિતોષિક અને બટુભાઇ ઉમરવાડિયા પારિતોષિક તેમજ ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન, લખનૌ તરફથી સૌહાર્દ સમ્માન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 3 Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. pp. 147–148. ISBN 978-93-5108-247-7.
  2. 1 2 3 Matari, Jalan (July 2014). "ગઝલ કોકિલા ઉષા ઉપાધ્યાય". કુમાર. 90 (1039). કુમાર ટ્રસ્ટ: 52 Internet Archives દ્વારા.
  3. "ઉષા ઉપાધ્યાય". gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 2018-04-11. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]