ગાંધીધામ-પાલનપુર રેલ્વે લાઈન

વિકિપીડિયામાંથી
ગાંધીધામ–પાલનપુર રેલ્વે લાઈન
Overview
Systemનૂર
Statusસક્રિય
Localeગુજરાત
Terminiગાંધીધામ
પાલનપુર
Operation
Opened૧૯૫૨
Ownerભારતીય રેલ
Operator(s)પશ્ચિમ રેલ્વે વિભાગ
Technical
Track length301 km (187 mi)
Track gauge૧,૬૭૬ mm (5 ft 6 in) બ્રોડ ગોજ
Route map
કિમી મારવાડ તરફ
૩૦૧ પાલનપુર
SH-૪૧
to અમદાવાદ
SH-૪૧
૨૯૪ ચડોતર
૨૮૮ ચંડીસર
૨૮૧ રસાણા
૨૭૩ ડીસા
બનાસ નદી
NH-૧૪
૨૬૪ લોરવાડા
સમદડી તરફ
૨૫૫ ભિલડી
૨૪૫ જસાલી
૨૩૬ ધાનકવાડા
૨૨૯ દિયોદર
NH-૧૫
નર્મદા મુખ્ય નહેર
મીઠા
૨૧૨ ભાભાર
કચ્છ શાખા નહેર
૧૯૮ દેવગામ
૧૮૭ રાધનપુર
૧૭૯ પીપલી
૧૭૧ વારાહી
NH-૧૫
૧૬૨ વાઘપુરા
૧૫૨ છાનસરા
૧૪૪ સાંતલપુર
૧૩૭ ગારમેડી
૧૨૯ પિપરાળા
કોરી ખાડી
૧૧૯ લખપત
NH-૧૫
૧૧૩ અદેસર
ભીમસર-અદેસર હાઇવે
૧૦૨ ભુટાકિયા
૯૦ પદમપુર
૮૬ કિડિયાનગર
૭૪ ચિત્રોડ}
૬૯ શિવલંકા
૬૩ લાકડિયા
આધોઇ રોડ
સમાખળી-માલિયા મિયાંણા વિભાગ તરફ
ટ્રેક બદલી
૫૩ સમાખળી
૪૨ વોંધ
૩૭ ભચાઉ
NH ૮એ
૨૩ ચિરાની
NH ૮એ
૧૪ ભીમસર
NH ૮એ
NH ૧૪૧
નૂર બદલી
3 ગાંધીધામ કેબિન
ગાંધીધામ-ભૂજ વિભાગ તરફ
નૂર ડેપો
0 ગાંધીધામ
ટ્રેક બદલી
ગાંધીધામ-કંડલા બંદર વિભાગ તરફ

ગાંધીધામ-પાલનપુર રેલ્વે લાઇનનો વિભાગ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાની પશ્ચિમ રેલ્વે હેઠળ આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ગુજરાત સરકાર, કંડલા પોર્ટ ટ્રસ્ટ અને મુન્દ્રા પોર્ટ વચ્ચે ગાંધીધામ-પાલનપુર બ્રોડગોજ રૂપાંતરણના પ્રોજેક્ટની શરૂઆત

આ વિભાગને કચ્છના મહારાવ ખેંગારજી બાવાએ નાણાં પૂરા પાડ્યા હતા. અંજારથી કંડલા સુધી ૧૫ માઇલની સેવા ૧૯૩૦માં શરૂ કરવામાં આવી હતી. કંડલાથી શરૂ કરીને ડીસા સુધીની બીજી લાઇન ૧૯૫૦માં ૫.૫ કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. ગાંધીધામ-ડીસા વિભાગ ૧૯૫૨માં ત્યારના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્રારા ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ વિભાગનું બ્રોડગેજમાં રૂપાંતરણ માર્ચ ૨૪, ૨૦૦૬ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું.[૧] SPV વિભાગ હેઠળ ગાંધીધામ-પાલનપુર વિભાગનું રૂપાંતરણ પ્રથમ લાંબા અંતરનું રૂપાંતરણ હતું.[૨]

મહત્વ[ફેરફાર કરો]

૩૦૧ કિમી લાંબો ગાંધીધામ-પાલનપુર વિભાગ કચ્છના અખાતને દિલ્હી-અમદાવાદ વિભાગ સાથે જોડે છે. આ વિભાગ કંડલા અને GAPLના મુન્દ્રા બંદરોને ઉત્તર ભારત સાથે જોડે છે. આ વિભાગને કારણે દિલ્હી અને કંડલા વચ્ચેનું અંતર ૧૧૪ કિમી જેટલું ઘટી જવા પામે છે.

નૂર સેવા[ફેરફાર કરો]

પશ્ચિમ ગુજરાતની તે સમર્પિત નૂર સેવા છે. કંડલા અને મુન્દ્રા બંદરો, સ્થાનિક મીઠાના ઉદ્યોગો, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને કંડલામાં ઇફ્કોનું ખાતરનું ઓદ્યૌગિક એકમ આ નૂર સેવા વડે લાભ મેળવે છે. આ વિભાગમાં પશ્ચિમ રેલ્વેની માલ-સામાન ટ્રેન ૧૨ એપ્રિલ ૨૦૧૧ના રોજ શરૂ થઇ હતી.[૩]

દ્વિપક્ષી સેવા[ફેરફાર કરો]

સમખળી-પાલનપુર વિભાગનું દ્વિપક્ષી રૂપાંતરણ ૧૩મી પંચવર્ષીય યોજના હેઠળ આગલા પાંચ વર્ષોમાં ૨૦૨૫માં પૂર્ણ થવાની યોજના છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gauge conversion of Palanpur-Gandhidham section". મૂળ માંથી 2013-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-25.
  2. "Gauge conversion under SPV". મૂળ માંથી 2012-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-25.
  3. "Python goods train by WR".
  4. "Doubling of Samakhiali-Palanpur section".[હંમેશ માટે મૃત કડી]