ડામોર

વિકિપીડિયામાંથી

ડામોર (અંગ્રેજી: Damor) ભારત દેશના ગુજરાત રાજ્યમાં વસવાટ કરતો એક પરંપરાગત આદિવાસી સમુદાય છે. તેમને ડામરીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧]

મૂળ

ડામોર સમુદાય ભીલ આદિજાતિઓ પૈકીનો એક સમુદાય છે. તેઓ પોતાને રાજપૂત મૂળના હોવાનો દાવો કરે છે, તેમ જ રાજપૂત પુરુષ સાથે ભીલ સ્ત્રીએ લગ્ન કર્યા પછી, તેમના વંશમાંથી આ સમુદાય ઉતરી આવ્યો હોવાનો દાવો કરે છે. આ ડામોર સમાજના લોકો મુખ્યત્વે સાબરકાંઠાપંચમહાલ અને અરવલ્લી જિલ્લાઓમાં જોવા મળે છે. તેમની બોલી રાજસ્થાની ગામેતી બોલી સમાન છે, તેમ છતાં સમાજના ઘણા લોકો ગુજરાતી ભાષા બોલી અને સમજી શકે છે.

હાલના સંજોગો

આ ડામોર સમુદાય અંતર્વિવાહી (endogamous) અને વ્યવહારમાં ગોત્રાંતર વિવાહમાં માન્યતા ધરાવે છે. તેમના મુખ્ય કુળો પરમાર, સિસોદિયા, રાઠોડ, ચૌહાણ, સોલંકી અને સરાડીયા છે. આમાં મોટા ભાગના કુળો જાણીતા રાજપૂત કુળો પણ છે. ડામોર લોકો મુખ્યત્વે ખેડૂત છે, જેમાં મજૂર, જમીનમાલિકો અને ભાગીદારીમાં ખેતી કરતા ખેડુતોનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૦૧ અનુસાર, રાજસ્થાનમાં વસતા ડામોર સમાજના લોકોને ભારતીય સરકાર આરક્ષણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત આદિજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.[૨]

સંદર્ભો

  1. Lal, R. B.; Padmanabham, S. V.; Mohideen, A. (સંપાદકો). People of India Gujarat. XXII Part One. Popular Prakashan. પૃષ્ઠ 311–314. મેળવેલ 27 November 2012.
  2. "List of Scheduled Tribes". Census of India: Government of India. ૭ માર્ચ ૨૦૦૭. મૂળ માંથી ૫ જુન ૨૦૧૦ પર સંગ્રહિત. મેળવેલ 27 November 2012. Check date values in: |archive-date= (મદદ)