તારક મહેતા
તારક મહેતા | |
|---|---|
તારક મહેતા અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૨૦૦૯ | |
| જન્મ | ૨૬ ડિસેમ્બર ૧૯૨૯ અમદાવાદ, ગુજરાત |
| મૃત્યુ | માર્ચ ૧, ૨૦૧૭ (ઉંમર 87) |
| વ્યવસાય | અધિકારી, લેખક |
| શિક્ષણ | બી.એ., એમ.એ. |
| નોંધપાત્ર પુરસ્કારો | પદ્મશ્રી |
| જીવનસાથીઓ |
|
તારક જનુભાઈ મહેતા (૨૬ ડિસેમ્બર ૧૯૨૯ - ૧ માર્ચ ૨૦૧૭) પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક હતા.[૧][૨] તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૫માં મૅટ્રિક પાસ કર્યા બાદ ૧૯૫૬માં ખાલસા કૉલેજમાંથી શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ.ની પદવી મેળવી હતી.
વ્યવસાય
[ફેરફાર કરો]તેઓ ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી, ૧૯૫૯-૬૦માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી અને ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાંતલેખક અને ગૅઝેટેડ અધિકારી રહ્યા હતા.
સાહિત્ય
[ફેરફાર કરો]એમણે ત્રિઅંકી નાટકો નવું આકાશ નવી ધરતી (૧૯૬૪), દુનિયાને ઊંધા ચશ્મા (૧૯૬૫), પ્રહસન કોથળામાંથી બિલાડું (૧૯૬૫) ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ (૧૯૭૮) અને તારક મહેતાનાં છ એકાંકીઓ (૧૯૮૩) આપ્યાં છે.
તારક મહેતાના ઊંધા ચશ્મા (૧૯૮૧), શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (૧૯૮૨), તારક મહેતાનો ટપુડો (૧૯૮૨), તારક મહેતાના ટપુડાનો તરખાટ (૧૯૮૪), દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી ભા. ૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. એક્શન રિપ્લે નામે તેમણે આત્મકથા લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ખૂબ જ ઉલ્લેખનિય છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
[ફેરફાર કરો]હિંદીમાં સબ ટીવી પરથી પ્રસારિત થતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નામની ટી.વી. ધારાવાહિક શ્રેણી ભારે લોકપ્રિય બની છે.[૩] પ્રસ્તુત ધારાવાહિક ચિત્રલેખાની ધારાવાહિક 'દુનિયાને ઉંધા ચશ્માં'ના આધારે તૈયાર થઇ છે.[૪]
અંગત જીવન
[ફેરફાર કરો]તારક મહેતા ૨૦૦૦ની સાલ પછી અમદાવાદમાં તેમની બીજી પત્નિ ઇંદુ સાથે રહેતા હતા. તેમની પ્રથમ પત્નિ ઇલા (અવસાન: ૨૦૦૯)જેઓ પછીથી મનોહર જોશી સાથે પરણ્યા હતાં, પણ તેમની બાજુની ઇમારતમાં રહેતા હતા. તેમની પુત્રી ઇશાની યુ.એસ.એ. ખાતે રહે છે.[૫][૬]
પુરસ્કારો
[ફેરફાર કરો]
તારક મહેતાને ૨૦૧૫માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૭][૨] ૨૦૧૧માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો અને ૨૦૧૭માં રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક મરણોત્તર એનાયત થયો હતો.[૮][૯]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Contemporary Indian theatre: interviews with playwrights and directors. Sangeet Natak Akademi. ૧૯૮૯. p. ૧૫૯.
- 1 2 "પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું અમદાવાદમાં નિધન, પરિવારજનોએ દેહદાન કરવાનો લીધો નિર્ણય". ચિત્રલેખા. ૧ માર્ચ ૨૦૧૭. મૂળ માંથી 2017-03-07 પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Laughing away to success". Indian Express. ૩૦ જુલાઇ ૨૦૧૦.
{{cite news}}: Check date values in:|date=(મદદ) - ↑ "Comedy Inc!". Indian Express. ૨ જુલાઇ ૨૦૧૦.
{{cite news}}: Check date values in:|date=(મદદ) - ↑ "Tarak Mehta is 'booked'!". DNA (newspaper). ૯ માર્ચ ૨૦૦૯.
{{cite news}}: Check date values in:|date=(મદદ) - ↑ "Tragedy strikes Tarak Mehta". The Times of India. ૧૪ જુલાઇ ૨૦૦૯. મૂળ માંથી 2012-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-21.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "૨૦૧૫ના પદ્મ પારિતોષિકો". Press Information Bureau. મૂળ સંગ્રહિત માંથી 2015-01-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જાન્યુઆરી ૨૦૧૫.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Tarak Mehta gets an award from Gujarat Government=૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭". INDIA NEW ENGLAND NEWS. મૂળ માંથી 2017-03-01 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-13.
{{cite news}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "સર્વપ્રિય હાસ્યલેખક તારક મહેતા 'રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક'થી સમ્માનિત". ચિત્રલેખા. ૩૧ માર્ચ ૨૦૧૭. મૂળ માંથી 2017-04-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ એપ્રિલ ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય
- http://www.tarakmehtakaooltahchashmah.com/who-is-original-tarak-mehta/ સંગ્રહિત ૨૦૧૭-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન
| આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |